જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય એટલે બહું ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાનાં ઉપાયો ખોળીએ છીએ. જો કે, એ ઉપાયો બહુ લાંબો સમય ટકતા નથી, કારણ કે, વિષયની ઈચ્છાઓને એમ ઝડપી ઉપાયો દ્વારા કાબૂમાં કરવું શક્ય નથી. તે માટે ઊંડી સમજણ, અખૂટ ધીરજ, આંતરિક સ્થિરતા અને સૌથી મહત્વનો દ્રઢ નિશ્ચય માંગે છે.
સૌ પ્રથમ, તો એવી બધી જ વસ્તુઓથી દૂર રહો કે જેનાથી તમને આવેગ ઉભા થાય. બીજા શબ્દોમાં કહીએ તો, તમારે વિષય સંબંધિત ચિત્રો, વિડીયો કે વાર્તાઓ વાંચવા કે જોવા ન જોઈએ. જ્યારે તમે આવી કોઈપણ પ્રવૃત્તિમાં શામેલ થાવ છો ત્યારે, તે વિષયી વૃત્તિઓને દસ ગણી વધારી દે છે અને ઈચ્છાઓને કાબુ કરવું મુશ્કેલ બનાવી દે છે.
વિજાતીય લોકો સાથે દ્રષ્ટિ મિલાવવાનું અને કોઈપણ ભોગે સ્પર્શ કરવાનું ટાળો. એવા વ્યકિતનો કે મિત્રોનો સંગ ટાળો કે જે વિષયને ઉત્તેજન આપે, જોક્સ દ્વારા પણ કારણ કે, તમને ખબર જ નહી પડે કે તમે ક્યારે તેમની સાથે સહમત થઈ જશો.
ચાલો વાંચીએ પરમ પૂજ્ય દાદાશ્રી એમના જ શબ્દોમાં શું સલાહ અને સમજણ આપે છે :
“આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય. વિષય તો વધારે સળગતા જાય. જે સુખ ભોગવે છે એની તરસ વધતી જાય છે. ભોગવવાથી તરસ વધતી જાય. ના ભોગવે તો તરસ મટી જાય. એનું નામ તૃષ્ણા. ના ભોગવવાથી થોડાં દહાડાં હેરાન થઈ એ વખતે મહિનો, બે મહિના. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી.” તેઓ એવી સલાહ પણ આપે છે કે, “જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે, માટે ત્યાંથી ભાગવું. લપસવાની જગ્યા હોય ત્યાંથી ભાગવું, તો લપસી ના પડાય.”
વિષયનાં વિચારો વાગોળવા અને તેમાંથી કેવી રીતે સુખ લઈશું તેવી કલ્પનાઓ કરવાથી તે આવેગો ને વધુ તીવ્ર બનાવશે, અને વધારો થશે. તેથી, પોતે જાગૃત રહેવું જોઈએ અને કોઈપણ વિષયનાં વિચારને એક સેકંડ કરતા વધુ ચલાવી ન લેવાય..
પરંતુ તમે આ વિચારો કે આવેગોને આવતાંની સાથે જ કેવી રીતે અટકાવશો ? વિષય ખરેખર શું છે તેનાં અભ્યાસ અને પૃથ્થકરણ દ્વારા. જેમાં આકર્ષણની વસ્તુનું સંપૂર્ણપણે અવમૂલ્યન કરવું આવી જાય છે. (દાખલા તરીકે, વ્યકિત, વિચારો, શરીરનાં અંગો, વગેરે.) બધી જ રીતે વિષયથી મળતું સુખ ફક્ત ભ્રાંતિ છે, સાચું નથી, અને ક્ષણિક જ છે, તમે આવું વિચારીને પણ પૃથક્કરણ કરી શકો છો કે, જ્યારે તમે વિષયમાં કોઈપણ રીતે તન્મયાકાર થાવ છો ત્યારે તમે ભૂલી જાવ છો કે મનુષ્યનું શરીર ખરેખર કેટલો ગંદવાડો છે. જેમ કે, તમે ભૂલી જાવ છો કે દરેક છિદ્રો અને આપણા શરીરનાં દરેક અંગો દ્વારા કચરો બહાર કાઢે છે, કે જેનો દેખાવ અને ગંધ ચીતરી ચઢે તેવા હોય છે. જો સંડાસ, પરસેવો અને બીજા ડીસ્ચાર્જ આટલા બધા ગંદી ગંધવાળા હોય તો, જરા કલ્પના કરો કે આપણા શરીરની મહીં જે હશે તે કેવું હશે. વધુમાં, જો શારીરિક સંબંધ અને સ્પર્શમાં સાચુ સુખ અને આનંદ હોય તો, પછી જ્યારે તમારી ચામડીમાં ખરજવું કે જખમ થયો હોય તો તે વખતે પણ સ્પર્શ કરવામાં આનંદ થવો જોઈએ પણ તેવું નથી થતું. વળી, આ જગતમાં કોઈપણ પ્રકારની પરવશતા દુઃખનું કારણ છે, તો પછી કોઈનીયે પરવશતા સુખનું કારણ કેવી રીતે બની શકે ?
એકવાર તમે તમારી જાતને વિષયથી દૂર કરી અને તેમાં સુખ નથી એવું પૃથ્થકરણ કરી લીધું તો પછી જ્યારે તમારી અંદરથી વિષયનાં આવેગો ઊભા થશે ત્યારે તમે શું કરશો ?
વિષયની ઈચ્છાઓ કે વૃત્તિઓ ઊભી થાય કે તરત જ તેને કેવી રીતે કાબૂમાં લેવી તેના માટેની ટીપ્સ અને યુક્તિઓનું આ લિસ્ટ છે :
આવેગની તીવ્રતા અને પ્રકારનાં આધારે એક જ સમયે તમારે ઘણી બધી ચાવીઓ વાપરવાની જરૂર પડે અથવા અમુક પરિસ્થિતિઓમાં અમુક ચાવીઓ સારું કામ કરે છે એવું લાગશે અને બીજી પરિસ્થિતિઓમાં બીજી ચાવીઓ સારું કામ કરે છે આવું લાગશે. કોઈ એક ચાવી કામ ના કરે તો મૂંઝાય નહી જવાનું, તરત બીજી ચાવી સાથે આપણે તૈયાર હોવા જોઈએ. લડાઈમાં કયારેય હારવાનું નથી, માત્ર તમારે લડવા માટેના નવા નવા રસ્તાઓ ખોળવાના છે.
ઈન્દ્રિય સુખો તરફની ઉદાસીનતાનાં કારણે, વિષયની ઈચ્છાઓ અને આવેગો પર સંયમ આવશે તે હમેંશા માટે ટકશે. આવી ઉદાસીનતા ઈન્દ્રિયના સુખો એ કેવી રીતે માત્ર ભ્રામક જ છે, તેના વિગતવાર ચિંતવન દ્વારા જ ઉદભવે છે. વિષય તરફ વધારે ખેંચી જનાર બાબતો વિષે વિચાર કરવાને બદલે, આપણે ઈન્દ્રિય સુખોની ફસામણના દરેક પરિણામો, બ્રહ્મચર્યનું મહત્વ અને ફાયદાઓ વિશે વિચારવું જોઈએ.
બ્રહ્મચર્ય પાળવાના ફાયદાઓ વિશે જાણવા માટે અહીં ક્લીક કરો.
બ્રહ્મચર્ય પાળવાનું મહત્વ જાણવા માટે અહીં કલીક કરો.
વિષયની ઈચ્છાઓથી છૂટકારો મેળવવા માટેનું અંતિમ પગથિયું એ છે કે એવું દ્રઢ પ્રતીતિ સાથે સમજવું કે કોઈ પણ પ્રકારનાં વિષયમાં કોઈપણ રીતે સુખ નથી જ. આવું પ્રાપ્ત કરવા, પોતાને વિષયથી પ્રાપ્ત થતાં સુખ કરતાં ચઢિયાતું સુખ ચાખવું પડે. આવું સુખ માત્ર પોતાના શુદ્ધાત્મા પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. પોતાના શુદ્ધાત્માના સુખનો આનંદ અનુભવવા માટે જ્ઞાનીપુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આવો આનંદ માત્ર પોતાના શુદ્ધાત્મા પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. આવા શુદ્ધાત્માના આનંદનો અનુભવ કરવા, વ્યકિતએ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે.
આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે વધુ જાણવા અહીં ક્લીક કરો.
પ્રશ્નકર્તા : જ્ઞાનીપુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે ?
દાદાશ્રી : વિષય બંધ થતા જાય દહાડે દહાડે, નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તોય કશું ના વળે.
પ્રશ્નકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ?
દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! 'જુલાબ આપે એવા શબ્દ' કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે !
પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈરીતે પ્રાપ્ત થયું હોય ?
દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીંને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય.
'જ્ઞાનીપુરુષ'નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચનના કરાવતાં હોય તો એ 'જ્ઞાનીપુરુષ' જ નથી.
Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે... Read More
Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર... Read More
Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
A. જો તમારે કંઈપણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઇફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો... Read More
Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
A. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યકિત, વિચારો, શરીરનાં અંગો, વગેરે) ની કિંમત... Read More
Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More
Q. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ ! અને આમને આ... Read More
Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે... Read More
Q. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું... Read More
Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
A. જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More
Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દ્ઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More
Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
A. હસ્તમૈથુન.. એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ... Read More
subscribe your email for our latest news and events