Related Questions

વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?

જો તમારે કંઈપણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઇફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો શોધવા પડે. એકવાર તમે તે કારણોનો અંત લાવશો પછી તેના પરિણામ સ્વયં બંધ થઈ જશે. તેથી, વિકારી આકર્ષણ બંધ કરવા એ જાણવું મહત્વનું છે કે, તે ક્યાંથી ઉભું થાય છે.

વિચારો મનમાંથી ઊભા થાય છે અને મન ગાંઠોનું બનેલું છે. જે ગાંઠ મોટી, તેના વિચારો વધુ આવે. વિષય ગાંઠ છે તે તો નક્કી જ છે; જેમ ટાંકણીને લોહચુંબક સાથે આકર્ષણ થાય છે તેવું જ આકર્ષણ અહીં પણ ઉત્પન્ન થાય છે. 

જ્યારે વિષયની ગાંઠ ફૂટે છે, ત્યારે વિષયી સ્પંદનો ઉભા થાય છે. સામાન્ય રીતે, એ સ્પંદન એટલું સ્ટ્રોંગ હોય છે કે પોતે તેમાં તન્મયાકાર થઈ જાય છે. જો આ જીવનમાં વિકારી આકર્ષણ ના થાય અને જ્યારે તમે યુવાન સ્ત્રીને જુઓ અને તમને મનમાં એમ થાય કે, “આ છોકરી કેટલી સુંદર છે, તે કેટલી બધી દેખાવડી છે.” તો તમે તરત જ તમારા આવતા જન્મ માટે બીજ વાવો છો. આ સાથે, તમને તમારા આવતા જન્મમાં વિષયી આકર્ષણ ઉત્પન્ન થશે.

એકવાર વિષયની ગાંઠ ઓગળી ગઈ પછી સંસારી વ્યવહારનું આકર્ષણ નથી રહેતું. ‘ટાંકણી’ અને ‘લોહચુંબક’ વચ્ચેનો સંબંધ બંધ થઈ જશે. પૂર્વ જન્મની વિષયની ગાંઠોના આધારે જ આ વિષયના સંબંધનું અસ્તિત્વ હોય છે.

એક ઝાંખી કરીએ, દાદા ભગવાનની દ્રષ્ટિ તરફ:

દાદાશ્રી : વિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાયને ભડકી જાય. તેથી અંધારું રાખે. અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે ?

પ્રશ્નકર્તા : 'વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.'

પ્રશ્નકર્તા : સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય ?

દાદાશ્રી : માન્યતા આપણી, રોંગ બિલિફો તેથી. ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું ?! માન્યતાઓ ખાલી. કશું હોતું નથી. ખાલી બિલિફો છે. બિલિફો તોડી નાખો એટલે કશુંય નહીં.

પ્રશ્નકર્તા : એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે ?

દાદાશ્રી : લોકોના કહેવાથી આપણને થાય. આપણા કહેવાથી માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્ઢ થઈ જાય અને એમાં એવું શું છે ? માંસના લોચા છે !

વિષયી આકર્ષણ થવાનાં ચોક્કસ કારણો : 

  • જ્યારે વિષયની ગાંઠ ફૂટે છે, ત્યારે તે વિકારી આકર્ષણમાં પરિણમે છે.
  • હાડ, માંસ, લોહી વગેરેથી શરીર પુષ્ટ થવાથી.
  • વિકારી ચિત્રો, વિડીયો જોવાથી અને વાર્તાઓ વાંચવાથી પણ તે ઊભું થાય છે
  • વિષય વિકારી ચિંતવનો અને કલ્પનાઓમાં પડવાથી.
  • પરજાતિ સાથે દ્રષ્ટિ મળવાથી અને સ્પર્શ કરવાથી.
  • વિષયમાં સુખ છે તેવી ખોટી માન્યતાથી.
  • તે ચંચળતા અને અસંતોષની આગને લીધે છે. આખો દા’ડો મહેનત કરવાથી નિરંતર અંતરદાહની બળતરા ઊભી થાય છે. આ બળતરા અને અસંતોષને શમાવવા માટે મનુષ્યો વિષયના ક્ષણિક સુખની લાલચમાં પડે છે.
  • લોકો આમાં લલચાઈ પડે છે કારણ કે, બીજા લોકો કરે છે. આ તો માત્ર લોકસંજ્ઞાને લઈને તેમના વર્તનનું અનુકરણ કરે છે. અનંતકાળથી, લોકસંજ્ઞાને લઈને આવી રીતે ચાલે છે અને તેના કારણે સંસારી જ્ઞાન ઊભુ થઈ ગયું છે અને તેનાથીયે વધું તો અવળી માન્યતા અને અવળી સમજણ અંદર ઘર કરી ગઈ છે. હવે જે કંઈપણ પોતાની માન્યતા છે, તે માન્યતા તેના વર્તનમાં અવશ્ય આવશે જ.
  • કુસંગી લોકો કે મિત્રો કે જે મજાકમાં પણ વિષયને ઉત્તેજન આપતા હોય તેમના સંગમાં રહેવાથી.
  • મનુષ્યની જાતીય વ્યવહારના નિયમિત અભ્યાસનાં લીધે, મન ફરી-ફરી ત્યાં જશે અને ત્યાંને ત્યાં જ ફરશે. આમ વિષયનો છોડવો ફરી ઊગશે. ત્યારબાદ ફરી વિષયનો છોડ વિકાસ પામશે.
  • કોઈએ ક્યારેય વિષયનું વિશ્લેષણ કર્યું જ નથી અને આના કારણે જ તેઓ હજી પણ તેમાં અટવાઇ જાય છે. વિશ્લેષણ કર્યું ન હોવાને કારણે લોક મૂંઝાય છે અને આકર્ષણ થયા કરે છે.
  • તે અણસમજણના કારણે છે. આમાં સુખ છે એવો અણસમજણનો જો જૂનો તાર રહેલો હશે તો આકર્ષણ રહેશે.
  • વિષય, એ બહુ સારો છે એવું કદી બોલવું નહિ અને વર્તનમાં પણ ન હોવું જોઈએ નહીં તો આવા પ્રકારનું વર્તન, વિકારી આકર્ષણનું કારણ બની શકે છે.
  • વિષયનું વારંવાર રક્ષણ પણ જીવનમાં વિષયનું બીજ લાવે છે. ‘વિષયમાં શું વાંધો છે? ’ આવું એકવાર કહેવાથી વિષયનું રક્ષણ થઈ ગયું ! અને એકવાર વિષયનું રક્ષણ થઈ ગયું એટલે તેનું આયુષ્ય વધી જાય.
  • જ્યાં ભાવ બગાડ્યા હોય ત્યાં જ વિષયના સ્પંદન ઉભા થાય છે (પૂર્વ જન્મમાં વિષયના ભાવ). માટે ચેતતા રહો અને તરત જ વિષયનાં સ્પંદનને ઉખેડી નાખો.
  • વિષયમાં સુખ લાગવાનું કારણ એ છે કે બીજે ક્યાંય પણ સુખનો અનુભવ કર્યો નથી. આપણે જો ખરેખર જોઈએ, તો સૌથી વધારે ગંદવાડો બીજે ક્યાંય નથી, પણ વિષયમાં જ છે.

આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે વિચારો કે વર્તન દ્વારા વિષયનો સ્વાદ ચાખ્યા પછી આપણે સુખી થઈ જઈશું. આપણને કુતુહલવૃત્તિ ઉભી થાય છે અને નવી નવી રીતે વિષય ભોગવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અંતે, જે સંતોષની આપણે આશા રાખી હતી, તે ક્યારેય પ્રાપ્ત થતો જ નથી. તેથી, આપણે સુખ મેળવવા માટે ફરીથી જુદી જુદી રીતો શોધીએ છીએ. આ એક વ્યસન જેવું થઈ જાય છે, જે ક્યારેય પૂર્ણ થતું નથી અને એક દુષ્ચક્ર ની જેમ ચાલ્યા જ કરે છે.

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
  7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on