Related Questions

મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?

એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજા ના જિતાય. તેમ આ રાજા (વિષયરૂપી) જીત્યો કે બધું જ આપણા તાબામાં આવ્યું. આ એક જ વિષય એવો છે કે જે જીતે તો રાજપાટ બધું હાથમાં આવી ગયું. એવી જ રીતે જો તમે વિષય અને વિકારી વૃત્તિઓ પર, બ્રહ્મચર્ય પાળીને વિજય મેળવશો તો તમે જગત જીતી જશો. (પછી) તમે આ જગતમાં કોઈપણ વસ્તુના (કે વ્યક્તિના) પરાધીન નહી રહો. કારણકે, ખરેખર તો બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. તો આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે તમારે બ્રહ્મચર્ય પાળવાની જરુર છે.

પરમ પૂજ્ય દાદાશ્રી એમના પોતાના જ શબ્દોમાં કોઈપણ વ્યકિતએ શા માટે બ્રહ્મચર્ય પાળવું જોઈએ તેની પાછળનું વિજ્ઞાન સમજાવે છે.

પ્રશ્નકર્તા: પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ ?

દાદાશ્રી: આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ ? શું ફાયદો ?

પ્રશ્નકર્તા: બહુ લોહી જતું ના રહે.

દાદાશ્રી: લોહી જતું રહે તો શું થાય ?

પ્રશ્નકર્તા: શરીરમાં બહુ વિકનેસ આવી જાય.

દાદાશ્રી: તો આ બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય. આ બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણકે બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું.... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતાં થતાં પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો !

એટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ, વગર કામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાયછે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.

બ્રહ્મચર્ય પાળવાનાં અસંખ્ય ફાયદાઓ (બેનીફીટ્સ) છે, તો ચાલો એક નજર કરીએ એમાંના થોડાક ફાયદાઓ (બેનીફીટ્સ) પર:

  • જે વ્યક્તિ બ્રહ્મચર્ય પાળતો હોય તે મન, વચન અને કાયાની શકિતઓનો જીતી (ધારી દિશામાં વાળી શકે) કરી શકે છે. તેનો મતલબ તે વ્યકિત કોઈપણ ધાર્યા કામ પુરા કરી શકે છે.
  • એકાગ્રતા અને ધારણ શકિત વધે છે.
  • જો થોડા જ વર્ષો માટે બ્રહ્મચર્ય સાચવવામાં આવે તો સાચા કંટ્રોલ સાથે તો, વીર્યની શકિત વધે છે. તે પછી કોઈપણ વ્યકિત આ બધા શાસ્ત્રો કે પુસ્તકોનો આધ્યાત્મિક સાર ધારણ કરી શકે. નહી તો આ સારને ધારણ કરવો સહેલો નથી. જેવું તમે કંઈક વાંચશો તેમ ભૂલતા જશો.  
  • આપણે જે ખોરાક લઈએ છીએ, એ બધાનો સારનો સાર એ વીર્ય છે, એ એક્સ્ટ્રેકટ છે. હવે એકસ્ટ્રેકટ જો બરોબર સચવાઈ રહે તો આત્મા જલદી પ્રાપ્ત થાય, સાંસારિક દુઃખો ના આવે, શારીરિક દુઃખો ના આવે, બીજાં કોઈ દુઃખો આવે નહીં.
  • જ્યાં વિષયી વ્યવહાર નથી ત્યાં ક્લેશ (અથડામણ) નથી. જ્યાં વિષય બંધ ત્યાં (ડખાસખી બંધ) ઘર્ષણનો ઈતિહાસ ત્યાં અટકે છે.
  • તમારી લાઈફમાં કોઈપણ (ગમે તે) વિઘ્ન આવે તો પણ, તમે સ્થિર રહી શકશો અને પરિસ્થિતનો હાથવગો (તુરંત જ) ઉકેલ લાવી શકશો. 
  • બ્રહ્મચર્ય હોય તો પછી તમારું ધાર્યુ હોય એ કામ થાય. ધાર્યા વ્રત-નિયમ બધાં પાળી શકાય. આગળ જઈ શકાય ને પ્રગતિ થાય. (બધી જ દિશાઓમાં આગળ પ્રગતિ થવામાં સરળતા રહે છે)
  • રોગપ્રતિકારક શકિત વધે અને તેના પરિણામે શારિરીક સ્વાસ્થ્ય સારું રહે. કશી અડચણ જ ના આવે. કોઈ જાતની ડિફેક્ટ જ ના આવે.
  • ક્રોધ-માન-માયા-લોભ ધીમે ધીમે ઓછા થતાં જાય.
  • મનોબળ વધે, જેનો મતલબ તમે ધારો તે કંઈપણ કરી શકો.
  • જેમ જેમ બ્રહ્મચાર્ય પાળે તેમ, આત્મવીર્ય વધે. આત્મવીર્ય થી વધું મૂલ્યવાન બીજી કોઈ વસ્તુ નથી.
  • એવા ગુણો કે જેમાં વ્યકિત પાસે પ્રતાપ અને શુદ્ધતાની આભા (તેજ ઊભું) ઊભી થાય છે.
  • બ્રહ્મચર્ય થી નૂર (ઓજસ/તેજ) ઉત્પન્ન થાય.
  • તમારી જ્ઞાન અને દર્શનની આંતરિક શક્તિઓ એટલી શુદ્ધ થશે કે જેથી તમારી આંતરિક વૃત્તિઓ સંસાર (તરફ) ભણી જશે જ નહી.
  • કેવળ જ્ઞાન માત્ર બ્રહ્મચર્ય પાળવાથી જ પ્રાપ્ત થાય છે.
Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
  7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on