અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે બ્રહ્મચર્યમાં વર્તીને હજારોને વર્તાવી શક્યા છે. પરિણીતોને એવા પગથિયા સમજાવ્યા છે કે બહારના પરિણામમાં ફેરફાર કર્યા વગર, મહીં અંદર સમજ એવી ફીટ થતી જાય કે ધીમે ધીમે બહાર ફેરફાર લાવે. એક પત્નીવ્રત-એક પતિવ્રત તે આ કાળમાં બ્રહ્મચર્ય ગણાય, એવી પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને ગેરેન્ટી આપે છે. તો પછી પરિણીતો પણ જ્ઞાનીની દ્રષ્ટિએ સમજી લઈને કેમ બ્રહ્મચર્યનો માર્ગ પૂરો ન કરી શકે ?
વિષયના સંબંધમાં, તમારે તમારી પત્ની સાથે પરસ્પર સમજણથી સંતોષકારક ઉકેલ લાવવો પડશે. એવી રીતે વ્યવહાર કરો કે તમારા અને તેમના બંનેનાં સંતોષની કાળજી લેવાય. જો તેને સંતોષ ના થાય અને તમને સંતોષ થાય તો તેવો વ્યવહાર બંધ કરી દો. આપણું આ 'અક્રમ વિજ્ઞાન' છે ! સ્ત્રી સાથે જીવન જીવી શકાય એમ છે. આજે બધાં શાસ્ત્રોએ સ્ત્રી સાથે રહેવાની જ ના પાડી છે, ત્યારે તેઓ (પરમ પૂજ્ય દાદાશ્રી) સ્ત્રી સાથે રહી શકાય છે, એમ કહે છે. પણ સાથે આ થર્મોમીટર આપે છે જેથી કરીને સ્ત્રીને દુઃખ ના થાય એવી રીતે વિષયનો વ્યવહાર રાખવો અને એનું માપદંડ પણ માપી શકો.
ધર્મમાં પ્રગતિ માટે લગ્ન કરવાના છે. બેઉ સાથે રહે, આગળ વધે. પણ એ વિષયરૂપ થઈ ગયું. તે આગળ વધવાનું તો ક્યાં ગયું પણ વઢંવઢા કરે છે. સ્ત્રી હોય અને વિષય ન હોય તો વાંધો જ નથી. હા, આપણા ઋષિ-મુનિઓ પૈણતાને ! એક-બે, એક બાબો ને એક બેબી એટલે બસ. બીજું કંઈ નહીં. પછી ફ્રેન્ડશીપ. આવું જીવન જીવવાનું છે. અત્યારે એક પુત્ર કે પુત્રી માટે હોય લગ્ન, તો વાંધો નથી. પછી મિત્રચારીની પેઠ રહે. પછી દુઃખદાયી નહીં. આ તો વિષયમાં સુખ ખોળે અને તે જ બધા દુઃખોનું મૂળ કારણ છે.
જ્ઞાની પુરુષ, હક્ક ના વિષય માટે શું કહે છે કે વિષય એ ‘ગળી દવા’ છે; તે દવાનાં રૂપમાં છે તેથી રોજ ના લેવી જોઈએ. બંનેને ‘તાવ’ ચઢવો જોઈએ, અને તે પણ તાવ સહન ના થઈ શકે તો ‘દવા’ લઈ શકાય. નહી તો, કારણ કે દવા ગળી છે માટે પીધા જ કરે તો, આ જ દવા ઝેર બની જશે અને પછી ‘દાકતર’ ની જવાબદારી નથી! વધુમાં, પોતાનું વિષયમાં તન્મયાકાર માત્ર એવી જ લાચારી અને અણગમાથી જેમ પોલીસવાળો પકડીને કરાવે તેમ હોવું જોઈએ, તેને ચાર દા’ડા ભૂખ્યો રાખે, મારે અને પછી માંસ ખાવાનું કહે તો તે ખાય ખરો પણ માત્ર જબરજસ્તી થી (દબાણથી જ).
લગ્નજીવન દીપે ક્યારે ? કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. આ માત્ર દવા જ છે. મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, તો સંયમી પુરુષની જરૂર છે. આ બધા જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જોઈએ ! આ બધા જે આગળ રામ ને એ બધા થઈ ગયા, તે બધા પુરુષો સંયમવાળા. પત્ની સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવા ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં પાંચ પાંચ લાખ જીવ મરી જાય છે, એક વારમાં, તો નહીં સમજણ હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ? ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ બ્રહ્મચર્ય પાળવાની સમજણ ના હોય ત્યારે શું થાય ?
જો પરણિતો બ્રહ્મચર્ય વ્રત લે તો, તે આત્માના સુખ ને સંપૂર્ણ પણે સમજી શકે. નહીં તો, સુખ આત્મામાંથી આવે છે કે વિષયમાંથી તે સમજી શકે નહી. જેમણે બ્રહ્મચર્ય વ્રત લીધુ છે તેમને આત્માના શાશ્વત (આનંદનો) સુખનો અનુભવ વર્તે. તેમના મન અને શરીરે નિરોગી રહે. અને જો આ પરિણિતોને આત્મ જ્ઞાન ‘અક્રમ વિજ્ઞાન’ થકી પ્રાપ્ત થયું હોય તો, તેઓ વધુ સરળતાથી બ્રહ્મચર્ય પાળી શકે.
જો કોઈ છ-બાર મહિના સ્ત્રી વિષયથી છેટાં થાય ને તો જ ભાન આવે. આ તો ભાન જ નહીં. આખો દહાડો એનું ઘેન ચઢ્યા કરે ને ઘેનમાં ને ઘેનમાં ફર્યા કરે અને કેવી રીતે વધુ ભોગવીશું તેની યોજના કર્યા કરે. એટલે મહાત્માઓને કહીએ છીએ કે છ મહિના કે બાર મહિના કંઈક કરો ને ! તમારે શું વાંધો છે ? થોડા-ઘણાંએ એવું મનમાં નક્કી કર્યું ને વ્રતને ટ્રાયલમાંય મૂક્યું, તે બધાય મૂકે તો કામ થઈ જાય ને ! અત્યારે આ મોક્ષનું સાધન મળ્યું છે, બીજું બધું ખાવા-પીવાની છૂટ. આ એકલું જ નહીં. (આ વિષય અને તેના પરિણામોનું) એનું વર્ણન ભગવાને કર્યું છે ને ! તે વર્ણન (વિષયનાં અંનત દુખો અને જોખમો ) જો કદી કરવા જાય ને, આખું વર્ણન સાંભળે તો માણસ મરી જાય.
પ્રશ્નકર્તા : આ પણ આટલી જ દવા પીવી એ કંઈ આપણા કાબૂમાં છે ? એ ડોઝ કાબૂમાં રહેતો ના હોય તો શું કરવું ?
દાદાશ્રી : કાબૂમાં કશું રહેવાનું નહીં. ના કાબૂમાં હોય એવી વસ્તુ જ નથી હોતી આ દુનિયામાં. પણ દવા મીઠી છે માટે પી પી કરીએ એનો શો અર્થ ? એટલે આમાં સ્ત્રીમાં દોષ નથી, તાવમાં દોષ નથી, તાવ ના ચઢ્યો હોય ને દવા પીએ તેનો દોષ છે. એટલે આ બધી જોખમદારી સમજજો. આપણી વાત બાંયધરીપૂર્વકની છે અને તરત અનુભવમાં આવે એવી વાત છે ! અને આવું સહેલું હોય તો પાળવું જોઈએ ને ? કે એમાં કશો વાંધો આવે છે ?
પ્રશ્નકર્તા : અમારે ઊંચે ચઢવું છે માટે પાળવું જ છે.
દાદાશ્રી : તાવ ચઢે તો પીજો. એ તો ડાહ્યા માણસનું જ કામ હોય ને ? એટલે આ અમારું થર્મોમિટર મળ્યું છે. એટલે અમે કહીએ છીએને, કે સ્ત્રી સાથે મોક્ષ આપ્યો છે ! આવી સરળતા કોઈએ નથી આપી. બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદ્ઉપયોગ કરવો હોય એ કરજો ! અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે. ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે !!
Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું: જો તમે ધ્યેય વિના ચાલશો તો પછી તમે ક્યાં પહોંચશો કે...Read More
Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજા ના જિતાય. તેમ આ રાજા (વિષયરૂપી) જીત્યો કે...Read More
Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય એટલે બહું ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાનાં ઉપાયો ખોળીએ છીએ. જો કે, એ ઉપાયો બહુ લાંબો સમય ટકતા નથી, કારણ...Read More
Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
A. જો તમારે કંઈપણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઇફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો શોધવા પડે. એકવાર તમે તે કારણોનો અંત લાવશો પછી તેના પરિણામ...Read More
Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
A. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યકિત, વિચારો, શરીરનાં અંગો, વગેરે) ની કિંમત સંપૂર્ણપણે ઝીરો કરવાથી વિષય-વિકાર ખરેખર છે શું તેનો અભ્યાસ...Read More
Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી પૂરતો જ વિકાર હોય, તો ભગવાને એને એક્સેપ્ટ કરેલું છે. એક...Read More
Q. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ ! અને આમને આ કાયમનું. હવે કાયમનામાં શું થાય ભાંજગડ કે એકને ભૂખ લાગી છે...Read More
Q. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય...Read More
Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
A. જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે પહેલા જ તમારે આ રોકવી પડે. તો તે તમે કેવી રીતે કરશો? પરમ...Read More
Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દ્ઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું સતત માર્ગદર્શન મળી રહે, એ તો અત્યંત આવશ્યક છે, પણ...Read More
Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
A. હસ્તમૈથુન.. એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ તમે અહીં આવ્યા હશો . ઘણા લોકોને એવું લાગતું હશે કે આમાંથી...Read More
subscribe your email for our latest news and events