Related Questions

ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?

ૐ નમો ભગવતે વાસુદેવાય...

પ્રશ્નકર્તા: પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો.

દાદાશ્રી: વાસુદેવ ભગવાન! એટલે જે વાસુદેવ ભગવાન નરનાં નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. નારાયણ થાય ત્યારે વાસુદેવ કહેવાય.

પ્રશ્નકર્તા: શ્રીકૃષ્ણ, મહાવીર સ્વામી એ બધાં શું છે?

દાદાશ્રી: એ તો બધાં ભગવાન છે. એ દેહધારી રૂપે ભગવાન કહેવાય છે. એ ભગવાન શાથી કહેવાય છે કે મહીં સંપૂર્ણ ભગવાન પ્રગટ થયા છે. માટે દેહ સાથે આપણે એમને ભગવાન કહીએ છીએ.

કૃષ્ણ ભગવાનને વાસુદેવ ભગવાન પ્રગટ થયા હતા, એમાં તો બેમત નહીંને? વાસુદેવ એટલે તો નારાયણ કહેવાય. નરમાંથી જે નારાયણ થયેલા એવાં ભગવાન પ્રગટ થયેલા. અને આપણે ભગવાન કહીએ છીએ.

અને જે મહાવીર ભગવાન થયા, ઋષભદેવ ભગવાન થયા એ પૂર્ણ ભગવાન કહેવાય. કૃષ્ણ ભગવાન એ વાસુદેવ ભગવાન કહેવાય. એમને હજુ એક અવતાર રહ્યો. પણ એ ભગવાન જ કહેવાય.

નરમાંથી નારાયણ!

પ્રશ્નકર્તા: 'ૐ નમો ભગવતે વાસુદેવાય'નું જરા વિશેષ રીતે સ્પષ્ટીકરણ કરો.

દાદાશ્રી: આ વાસુદેવ છે તે ઋષભદેવ ભગવાનથી માંડીને અત્યાર સુધીમાં નવ વાસુદેવ થયા. તે વાસુદેવ એટલે નરમાંથી નારાયણ થાય એ પદને વાસુદેવ કહે છે. તપ-ત્યાગ કશું જ નહીં. એમનાં તો માર-ઝઘડાં-તોફાન અને સામા છે તે પ્રતિવાસુદેવ જન્મે. અહીં વાસુદેવનો જન્મ થાય, એટલે એક બાજુ પ્રતિવાસુદેવ જન્મે. એ પ્રતિનારાયણ! તે બેના થાય ઝઘડાં. અને તેમાં પાછાં નવ બળદેવેય હોય. વાસુદેવનાં બ્રધર, ઓરમાઈ બ્રધર. કૃષ્ણ છે એ વાસુદેવ કહેવાય અને બળદેવ જે છે એ બળરામ કહેવાય. પછી રામચંદ્રજી વાસુદેવ ના કહેવાય. રામચંદ્રજી બળરામ કહેવાય. લક્ષ્મણ એ વાસુદેવ કહેવાય અને રાવણ પ્રતિવાસુદેવ કહેવાય. રાવણ પૂજ્ય છે. ખાસ પૂજા કરવા જેવાં રાવણ છે.

આ કાળના વાસુદેવ એટલે કોણ? કૃષ્ણ ભગવાન. એટલે આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે. એમના જે શાસનદેવો હોયને, તેમને પહોંચી જાય!

વાસુદેવ પદ અલૌકિક!

એ વાસુદેવ તો કેવા હોય? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય, વાસુદેવની. વાસુદેવ બીજ પડે ક્યારે? એની આમ આંખ દેખીને જ ભડકીને મરી જાય. તે વાસુદેવ થવાના હોય તે કેટલાંય અવતાર પહેલેથી આવું હોય. એ વાસુદેવ તો ચાલતો હોય તો ધરતી ખખડે! હા, ધરતી નીચે અવાજ કરે. કેટલાંય અવતાર પહેલાં! એટલે એ બીજ જ જુદી જાતનું હોય. એની હાજરીથી જ લોક આઘું પાછું થઈ જાય, એ વાત જ જુદી છે! વાસુદેવ તો મૂળ જન્મથી જ ઓળખાય કે વાસુદેવ થવાનો છે. કેટલાંય અવતાર પછી વાસુદેવ થવાનાં હોય તે આજથી જ ઓળખાય. તીર્થંકર ના ઓળખાય પણ વાસુદેવ ઓળખાય, એનાં લક્ષણ જ જુદી જાતનાં હોય! એ પ્રતિવાસુદેવેય એવાં જ હોય.

પ્રશ્નકર્તા: તો તીર્થંકર એ આગલા અવતારોમાં કેવી રીતે ઓળખાય?

દાદાશ્રી: તીર્થંકર તો સાદા હોય. એમની લાઈન જ સીધી હોય. એને વાંક જ ના આવે, એમની લાઈનમાં વાંક જ ના આવે અને વાંક આવે તો ગડમથલ થઈને પણ પાછાંં ત્યાં ને ત્યાં આવી જાય. એ લાઈન જુદી છે. અને આ વાસુદેવ ને પ્રતિવાસુદેવ તો કેટલાંય અવતાર પહેલાં ય એવાં ગુણ હોય. અને વાસુદેવ થવું એટલે નરના નારાયણ કહેવાય! નરના નારાયણ એટલે કયા ફેઝથી કે જેમ આ પડવો થાય છેને, ત્યાંથી પૂનમ સુધી થાય. એટલે પડવો થાય ત્યારથી ખબર ના પડે કે આ પૂનમ થવાની છે. એવું એના કેટલાય અવતાર પહેલાં ખબર પડે કે આ વાસુદેવ થવાનાં છે.

ન બોલાય અવળું કૃષ્ણ કે રાવણનું!

આ ત્રેસઠ શલાકા પુરુષ કહેવાય. જેને ભગવાને મહોર મારી કે ભગવાન થવાને લાયક છે આ બધા. એટલે આપણે એકલા અરિહંતને ભજીએ અને આ વાસુદેવને ના ભજીએ તો વાસુદેવ ભવિષ્યમાં અરિહંત થવાના છે. આ વાસુદેવનું અવળું બોલીએ તો આપણું શું થાય? લોક કહે છેને, 'કૃષ્ણ ભગવાનને આમ થયું છે, તેમ થયું છે...' અલ્યા, ના બોલાય. કશું બોલીશ નહીં. એમની વાત જુદી છે અને તું સાંભળી લાવ્યો એ વાત જુદી છે. જોખમદારી શું કરવા વહોરે છે? જે કૃષ્ણ ભગવાન આવતી ચોવીશીમાં તીર્થંકર થવાના છે, જે રાવણ આવતી ચોવીશીમાં તીર્થંકર થવાનાં છે, તેમની જોખમદારી શું કરવા વહોરો છો?

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
×
Share on