છેલ્લું વિજ્ઞાન, પ્રશ્નોત્તરી રૂપે
આખી ગીતા પ્રશ્નોત્તરી રૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કંઈ પ્રવચન નથી કર્યું. પ્રશ્નો પૂછયા તેના જવાબ જ આપ્યા છે. એ પ્રવચન કરે જ નહીં ને! છેલ્લું વિજ્ઞાન વ્યાખ્યાન રૂપે ના હોય, પ્રશ્નોતરી રૂપે હોય. અંતે અર્જુનને જે સંદેહ થયો, એને શંકા થઈ એના જવાબ આપ્યા છે બસ. એનું નામ ધર્મ. ગીતા એ 'પરિપ્રશ્નેન' થયેલું છે. પરિપ્રશ્નેન એટલે અર્જુને પ્રશ્નો પૂછ્યા અને કૃષ્ણ ભગવાન જવાબ આપે. એ આખી ગીતાનો સાર છે.
એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું? પરિપ્રશ્ન એટલે પ્રશ્નો પૂછી અને છેલ્લા સ્ટેશને આવજો. બાકી પ્રશ્નો વગર છેલ્લા સ્ટેશને અવાય નહીં.
અને મહાવીર ભગવાને પણ પ્રશ્નોત્તરી રૂપે જ કહ્યું છે. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી, એમનુંય પ્રશ્નોત્તરી રૂપે! ગૌતમસ્વામી ને બધા અગિયાર ગણધરો પૂછયા કરે છે અને ભગવાન મહાવીર જવાબ આપે છે. એ ગણધરોએ જે પૂછયું, એ જ આખું મહાવીર ભગવાનનું શાસ્ત્ર લખાયેલું છે.
પ્રશ્નકર્તા: આ બધા આપની પાસે રોજ આવે છે, તો એ બધા આખી જિંદગી આવ્યા જ કરશે?
દાદાશ્રી: ના, ના. આ જ્ઞાન લીધા પછી બધા પ્રશ્નોનો એન્ડ આવી જાય. પછી પ્રશ્ન જ ના જાગે. પછી વાંધો જ ક્યાં રહ્યો? બધા પ્રશ્નોના જ્ઞાતા તમે થઈ જાવ. પછી પૂછવાનું જ ક્યાં રહ્યું? અને અહીંયા પ્રશ્નોત્તરી રૂપે જ છે આ બધું. આપણું આ જ્ઞાન કેવું આપ્યું છે? પ્રશ્ન ઉભા જ ના થાય ને!
1) કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે, એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે, બીજા કોઇનું કામ નહીં. આજે 'અમે' જાતે કૃષ્ણ આવ્યા છીએ, તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે. કૃષ્ણ શું કહેવા માગે છે? માણસ મરી જાય ત્યારે કહે છેને કે, 'મહીંથી જતા રહ્યા,' તે શું છે? તે 'માલ' છે અને અહીં પડયું રહે છે તે 'ખોખું' છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તેપેકિંગ છે ને મહીં 'માલ' છે, મટીરીઅલ છે. ધેર આર વેરાઇટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઇ આંબાનું પેકિંગ, કોઇ ગધેડાનું પેકિંગ, તો કોઇ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં 'માલ' ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલું ય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં 'માલ' બરાબર છે કે નહીં તે જોઇ લે, તેમ આપણે મહીંના 'માલ'નાં દર્શન કરી લેવાનાં.
2) ભગવાને તો શું કહેલું કે, 'જો તું શાક લેવા જાય તો શાકની આશા રાખજે, પણ જો શાક લીધું છતાં કડવું આવી જાય તો પછી લેવાઇ ગયું એ ફળ, એમાં ફળની આશા ના રાખીશ, એટલે રાગ-દ્વેષ ના કરીશ, જે થયું તે માન્ય રાખજે.' જો ગજવું કપાય તો શાંતિ રાખજે, એના પર વિલાપ ના કરીશ, ત્યાં સમતા રાખજે, રાગ-દ્વેષ ના કરીશ. અહીંથી સાડી લેવા ગયા, માટે સાડીની આશા તો હોય જ, પણ પછી જો સાડી ખરાબ નીકળી તો ડીપ્રેસ ના થઇશ, સાડી જેવી નીકળી એ ભલે હો, ત્યાં આગળ ફળની આશા નારાખીશ, રાગદ્વેષ ના કરીશ એવું કહેવા માંગે છે, બાકી જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય? મોચીને ત્યાં જવું, પણ સારું કે ખોટું, પ્રિય કે અપ્રિયની આશા ના રાખીશ. એટલે પ્રિય કે અપ્રિયની આશા ના રાખવી તે નિષ્કામ કર્મ.
Q. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
A. ગીતાનું રહસ્ય! અહીં બે જ શબ્દમાં!! પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ... Read More
Q. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
A. અર્જુનને વિરાટ દર્શન! પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે? દાદાશ્રી:... Read More
Q. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
A. યથાર્થ નિષ્કામ કર્મ પ્રશ્નકર્તા: નિષ્કામ કર્મમાં કેમ કરીને કર્મ બંધાય? દાદાશ્રી: 'હું ચંદુભાઈ... Read More
Q. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
A. બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે! 'પોતે' પરમાત્મા છે, પણ જયાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અમે... Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
A. સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ?! એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું?'... Read More
A. પુરુષ અને પ્રકૃતિ આખું જગત પ્રકૃતિને સમજવામાં ફસાયું છે. પુરુષ અને પ્રકૃતિને તો અનાદિથી ખોળ ખોળ... Read More
A. ૐ નમો ભગવતે વાસુદેવાય... પ્રશ્નકર્તા: પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો. દાદાશ્રી: વાસુદેવ... Read More
Q. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
A. કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન! કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી... Read More
Q. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
A. ઠાકોરજીની પૂજા! દાદાશ્રી: કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી: પૂજા કરો... Read More
Q. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
A. પુષ્ટિમાર્ગ શું છે? વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢયો. પાંચસો વર્ષ ઉપર જયારે મુસલમાનોનો બહુ કેર હતો,... Read More
Q. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
A. કૃષ્ણનો સાક્ષાત્કાર! પ્રશ્નકર્તા: મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે... Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
A. પ્રકૃતિ પર નથી ઇશ્વરની ય સત્તા! પ્રશ્નકર્તા: ગીતાનું પેલું વાક્ય કહે છે, 'પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ'.... Read More
Q. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
A. કયા ધર્મને શરણે જવું? પ્રશ્નકર્તા: બધા ધર્મો કહે છે, 'મારા શરણે આવ', તો જીવે કોના શરણે... Read More
Q. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
A. દાદાશ્રી: ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા? એ તો બધી વાતો છે.... Read More
subscribe your email for our latest news and events