અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
અર્જુનને વિરાટ દર્શન!
પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે?
દાદાશ્રી: એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે, માટે કોઇ મારનાર નથી, કોઇ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડયું, બધા મરેલા દેખાડયા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. આમ કૃષ્ણને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિરાટ સ્વરૂપ, તેને આપણે 'વ્યવસ્થિત' કહીએ છીએ.
ગજવું કપાય તો ય 'વ્યવસ્થિત', એટલે કશું ના થાય આનાથી, આગળની વાસનાઓ ઊભી ના થાય, મોહ ના ઊભા થાય. મહી પ્રેરણા થઇ એટલે ચાલવા માંડવાનું. આ તો બધી મશીનરી કહેવાય, 'વ્યવસ્થિત'ની ચલાવી ચાલે.
Reference: Book Name: આપ્તવાણી 2 (Page #368 - Paragraph #2 to #4)
અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ!
પ્રશ્નકર્તા: વિરાટ સ્વરૂપ એ શું કહેવા માગે છે?
દાદાશ્રી: બીજાનો અહંકાર લઈ લે, એનું નામ વિરાટ પુરુષ કહેવાય.
પ્રશ્નકર્તા: વિરાટનું દર્શન થાય, એટલે અહંકાર જાય?
દાદાશ્રી: અહંકાર જાય તો જ વિરાટ સ્વરૂપના દર્શન થયાં કહેવાયને!
પ્રશ્નકર્તા: વિરાટનું દર્શન થવું એટલે જ્ઞાન થવું?
દાદાશ્રી: વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવું. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ! અને તેનું ફળ શું આવે? આપણને વિરાટ બનાવે!! વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીંને! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું, ત્યારે નમેલોને! નહીંતો નમે નહીં!!
એટલે લખ્યું છે ને, શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી ને અમારો અહમ્ લઈ લે છે. ત્યારે એક જણ મને કહે છે, તે તો સાચી વાત. તમે અહમ્ તો મારો લઈ લીધો! પણ ત્યારે એજ વિરાટ પુરુષ! ત્યાં પુસ્તકોના વિરાટ પુરુષ ખોળવા જાવ છો?! જે આપણો અહમ્ લઈ લે, એ વિરાટ પુરુષ! બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય? સાદી ને સીધી વાત! લોક મને કહે છે, 'તમારે વિરાટ પુરુષ થવાનો શોખ છે?' મેં કહ્યું કે આ ભૂત પાછું ક્યાં વળગાડું હું મહીં? એ.બી.સી.ડી.,એમ.બી.બી.એસ... ફલાણું ને ફલાણું તેમ. આ લફરાવાળો છું હું તો કંઈ?
લાખો અવતારેય અહમ્ જાય એવી વસ્તુ નથી. આ એકલી વસ્તુ નથી. પણ જ્યાં વિરાટ સ્વરૂપહોય, તે આપણો અહંકાર લઈ લે. વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુધ્ધિ ના હોય, છાંટોય બુધ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય તે જ લઈ શકે. એ વિરાટ પુરુષ કહેવાય. પોતાનો અહંકાર ખલાસ કરે એ જ્ઞાની, બીજાનો અહંકાર લઈ લે એ વિરાટપુરુષ!
Reference: દાદાવાણી December 2002 (Page #25 - Paragraph #10 to #16, Page #26 - Paragraph #1 & #2)
Q. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
A. ગીતાનું રહસ્ય! અહીં બે જ શબ્દમાં!! પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ લડવા માટે કહ્યું હતું? દાદાશ્રી: ભગવાનને તે વખતે આવું...Read More
Q. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
A. યથાર્થ નિષ્કામ કર્મ પ્રશ્નકર્તા: નિષ્કામ કર્મમાં કેમ કરીને કર્મ બંધાય? દાદાશ્રી: 'હું ચંદુભાઈ છું' કરીને નિષ્કામ કર્મ કરવા જાઓ એટલે 'બંધ' જ છે. નિષ્કામ...Read More
Q. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
A. બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે! 'પોતે' પરમાત્મા છે, પણ જયાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અમે વૈષ્ણવ ને અમે જૈન છીએ કરે અને પછી વૈષ્ણવ હ્રદયમાં...Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
A. સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ?! એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું?' તેમણે પૂછયું. મેં તેને સમજ પાડી, 'તું પોતે સ્થિતઅજ્ઞ...Read More
A. પુરુષ અને પ્રકૃતિ આખું જગત પ્રકૃતિને સમજવામાં ફસાયું છે. પુરુષ અને પ્રકૃતિને તો અનાદિથી ખોળ ખોળ કરે છે. પણ એમ એ હાથમાં આવે તેમ નથી. ક્રમિક માર્ગમાં...Read More
A. ૐ નમો ભગવતે વાસુદેવાય... પ્રશ્નકર્તા: પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો. દાદાશ્રી: વાસુદેવ ભગવાન! એટલે જે વાસુદેવ ભગવાન નરનાં નારાયણ થયા, તેમને હું...Read More
Q. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
A. કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન! કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી શું કર્યું? ગોવર્ધન પર્વત ઝાલ્યો, એક આંગળીથી. હવે ગોવર્ધન...Read More
Q. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
A. ઠાકોરજીની પૂજા! દાદાશ્રી: કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી: પૂજા કરો છો તો પૂજ્ય પુરુષની કરો છો કે અપૂજ્યની? પ્રશ્નકર્તા:...Read More
Q. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
A. પુષ્ટિમાર્ગ શું છે? વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢયો. પાંચસો વર્ષ ઉપર જયારે મુસલમાનોનો બહુ કેર હતો, આપણી સ્ત્રીઓ મંદિરમાં કે બહાર ક્યાં ય નીકળી નહોતી શકતી,...Read More
Q. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
A. કૃષ્ણનો સાક્ષાત્કાર! પ્રશ્નકર્તા: મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે થયેલો? દાદાશ્રી: મીરાંને નરસિંહને દેખાયા તે કૃષ્ણ નથી, તેનો જોનારો...Read More
Q. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
A. પ્રકૃતિ પર નથી ઇશ્વરની ય સત્તા! પ્રશ્નકર્તા: ગીતાનું પેલું વાક્ય કહે છે, 'પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ'. એટલે પેલું ભગવાને એમ કહ્યું છે ગીતામાં કે મારા વડે આ...Read More
Q. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
A. કયા ધર્મને શરણે જવું? પ્રશ્નકર્તા: બધા ધર્મો કહે છે, 'મારા શરણે આવ', તો જીવે કોના શરણે જવું? દાદાશ્રી: બધા ધર્મોમાં તત્ત્વ શું છે? ત્યારે કહે કે, 'પોતે...Read More
A. છેલ્લું વિજ્ઞાન, પ્રશ્નોત્તરી રૂપે આખી ગીતા પ્રશ્નોત્તરી રૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કંઈ પ્રવચન નથી...Read More
Q. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
A. દાદાશ્રી: ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા? એ તો બધી વાતો છે. કૃષ્ણ તો મહાન યોગેશ્વર હતા. એમને રાસલીલામાં લોકોએ લાવી...Read More
subscribe your email for our latest news and events