અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત 'જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે 'જેમ છે તેમ' હોય. આ ગુપ્ત તત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઈએ. ન્યાય કરનારો ચેતન હોયને તો તે પક્ષાપક્ષી પણ કરે. પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કોમ્પ્યુટર જેવું છે. આ કોમ્પ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કોમ્પ્યુટરની ભૂલ પણ થાય પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન ચેતન છે, પાછો 'વીતરાગ' છે ! 'જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે (લે) તો મોક્ષે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાની પુરુષનો ! એનાથી કોઈને કોઈની સલાહ જ ના લેવી પડે, કે આમાં કોની ભૂલ ? 'ભોગવે એની ભૂલ.'
આ સાયન્સ છે, આખું વિજ્ઞાન છે. આમાં તો એક અક્ષરેય ભૂલ નથી. આ તો વિજ્ઞાન એટલે તદ્દન વિજ્ઞાન જ છે. આખા વર્લ્ડને માટે છે. આ કંઈ ઇન્ડિયાને માટે જ છે એવું નથી, ફોરેનમાં બધા માટે પણ છે આ !
જ્યાં આવો ચોખ્ખો નિર્મળ ન્યાય તમને બતાવી દઈએ છીએ, ત્યાં ન્યાયાન્યાયનું વહેંચાણ કરવાનું ક્યાં રહે ? આ બહુ જ ઊંડી વાત છે. તમામ શાસ્ત્રોનો સાર કહું છું. આ તો 'ત્યાં'નું જજમેન્ટ (ન્યાય) કેવી રીતે ચાલી રહ્યું છે તે એક્ઝેક્ટ કહું છું કે, 'ભોગવે એની ભૂલ.' અમારી પાસેથી 'ભોગવે એની ભૂલ' આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે ! એને જે જે વાપરશે, તેનું કલ્યાણ થઈ જશે !!!
Q. મારે જ શા માટે ભોગવવું પડે છે?
A. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટનાં બાઈસાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હું યે...Read More
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે ત્યારે હ્રદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ ? મેં શું ખોટું કર્યું આમાં ? છતાં ય ઉત્તર મળતો નથી...Read More
Q. લોકો મને શા માટે સમજતા નથી?
A. પ્રશ્નકર્તા : કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતાં નથી. દાદાશ્રી : એ ના સમજતાં હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો...Read More
A. આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય ? પ્રશ્નકર્તા : યાદ રહે. દાદાશ્રી : રાત-દહાડો યાદ રહે. એટલે પછી શરીર...Read More
A. ડૉક્ટરે દર્દીને ઈન્જેકશન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેકશન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની ! ને ડૉક્ટર તો...Read More
Q. કોને સૌથી વધારે ભોગવટો આવે છે?
A. જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત છે. ભોગવ્યું એના પરથી હિસાબ નીકળી જાય કે કેટલી ભૂલ હતી !...Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ વર્લ્ડને રેગ્યુલેશનમાં જ રાખે છે. બસ સ્ટેન્ડ ઉપર કોઈ બાઈ...Read More
Q. ભોગવટામાંથી કેવી રીતે મુક્ત થવું?
A. લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે ? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની દોરી ક્યાં સુધી પહોંચે ? સહનશક્તિ લિમિટવાળી છે, જ્ઞાન...Read More
Q. મને ભોગવટો આવે તેનાં માટે જવાબદાર કોણ?
A. ભૂલ કોની ? ભોગવે એની ! શું ભૂલ ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે આ જગતમાં કોઈ દોષિત જ નથી. એટલે કોઈ ગુનેગાર પણ નથી, એમ...Read More
subscribe your email for our latest news and events