અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું?
દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે આ જોઈએ છે. કરવાથી કર્મ બંધાય છે. જે જે કરશો, શુભ કરશો તો શુભનાં કર્મ બંધાશે, અશુભ કરશો તો અશુભનાં બંધાશે અને શુદ્ધમાં તો કશું જ નથી. જ્ઞાન એની મેળે જ ક્રિયાકારી છે. પોતાને કશું કરવું ના પડે.
પોતે મહાવીરના જેવો જ આત્મા છે પણ ભાન થયું નથી ને? આ 'અક્રમ વિજ્ઞાન'થી એ ભાન થાય છે. જાગૃતિ ખૂબ વધી જાય છે. ચિંતા બંધ થઈ જાય, મુક્ત થઈ જવાય! સંપૂર્ણ જાગૃતિ ઉત્પન્ન થાય છે. આ 'કેવળજ્ઞાન' વિજ્ઞાન છે. જેવું તેવું નથી. એટલે આપણું કામ નીકળી જાય.
પ્રશ્નકર્તા: આપ જેટલા 'જ્ઞાની' છો તેટલું જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ?
દાદાશ્રી: એમની પાસે બેસવું. એમની કૃપા પ્રાપ્ત કરવી. બસ બીજું કશું કરવાનું નથી. 'જ્ઞાની'ની કૃપાથી જ બધું થાય. કૃપાથી 'કેવળજ્ઞાન' થાય. કરવા જશો તો તો કર્મ બંધાશે, કારણ કે 'તમે કોણ છો?' એ નક્કી થયેલું નથી. 'તમે કોણ છો?' એ નક્કી થાય તો કર્તા નક્કી થાય.
સાપેક્ષ વ્યવહાર
'વ્યવહાર શું છે' એટલું જ જો સમજે તોય મોક્ષ થઈ જાય. આ વ્યવહાર બધો 'રિલેટિવ' છે અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એન્ડ રિયલ ઈઝ ધી પરમેનન્ટ એડજસ્ટમેન્ટ!
નાશવંત વસ્તુમાં પોતાપણાનો આરોપ કરવો એ 'રોંગ બીલિફ' છે. 'હું ચંદુભાઈ છું, આનો ધણી છું' એ બધી 'રોંગ બિલીફ' છે. તમે 'ચંદુભાઈ' છો એમ નિશ્ચયથી માનો છો? પુરાવો આપું? 'ચંદુભાઈ'ને ગાળ ભાંડે તો અસર થાય કે?
પ્રશ્નકર્તા: જરાય નહીં.
દાદાશ્રી: ગજવું કાપે તો અસર થાય છે?
પ્રશ્નકર્તા: થોડી વાર થાય.
દાદાશ્રી: તો તો તમે 'ચંદુભાઈ' છો. વ્યવહારથી 'ચંદુભાઈ' હો તો તમને કશું અડે નહીં.
પ્રશ્નકર્તા: જો એવું હોય તો તો આપણામાં ને બીજામાં ફેર જ શો? ખોટી વસ્તુને ત્યજવી જ જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે.
દાદાશ્રી: જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીનાં દ્વંદ્વ કાઢી નાખવાં પડશે અને જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો અને શુદ્ધમાં સારી-ખોટી બેઉ ઉપરેય રાગ-દ્વેષ નહીં. ખરેખર સારી-ખોટી છે જ નહીં. આ તો દ્ષ્ટિની મલિનતા છે. તેથી આ સારી-ખોટી દેખાય છે અને દ્ષ્ટિની મલિનતા એ જ મિથ્યાત્વ છે, દ્ષ્ટિવિષ છે. દ્ષ્ટિવિષ અમે કાઢી નાખીએ છીએ.
Reference: Book Name: આપ્તવાણી-૫ (Entier Page #94, Page #95 - Paragraph #1 to #6)
આ તો અનંત અવતારથી લોકોની જોડે જ ખટપટ થયેલા હોય તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય, એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. મોટામાં મોટું જબરજસ્ત પ્રતિક્રમણ છે એ.
પ્રશ્નકર્તા: આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઇચ્છા છે, બધું છે અભિપ્રાયથી ય છે.
દાદાશ્રી: એ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષ થઈ ગયેલાને એ બધાં ઢીલાં થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએને, એટલે એ પડી જાય.
Reference: Book Name: પ્રતિક્રમણ (ગ્રંથ) (Page #109 - Paragraph #8, Page #110 - Paragraph #1 & #2)
તમે આ આત્માનો અનુભવ મેળવી શકો છો માત્ર ૨ કલાકમાં જ, આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કે જેને જ્ઞાનવિધિ કહેવાય છે.
A. જયાં સુધી કોઇ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે! આ કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી...Read More
Q. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
A. પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે? દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને...Read More
Q. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
A. કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં...Read More
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. વાંકા જોડે વાંકા થઈએ તો? પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો સરળતા છોડીને વાંકા થવું કે...Read More
A. વિજ્ઞાનથી મુક્તિ પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું? દાદાશ્રી: શેની ખામી છે? પ્રશ્નકર્તા: કર્મો છે ને? કર્મ તો...Read More
A. ચિત્તશુદ્ધીકરણ એજ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: કર્મની શુદ્ધિ એટલે ચિત્તની શુદ્ધિ કરવાથી થઈ જાય. ચિત્તની શુદ્ધિ થાય...Read More
Q. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને? ચિત્તનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે, ચિત્ત...Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યુપોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે? દાદાશ્રી: એ દેખાયા કરતું હોય તેથી જ...Read More
A. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી...Read More
Q. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
A. શીલવાનનું ચારિત્રબળ શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય...Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના કહ્યો? આત્મા ય ચેતન તો છે જ ને? દાદાશ્રી: શુદ્ધાત્મા એટલે...Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારીત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. શીલવાનનું વચનબળ આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં, તોય એનું વચનબળ થાય. શીલવાન પુરુષનો...Read More
A. ધંધામાં અણહક્કનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે...Read More
subscribe your email for our latest news and events