શુદ્ધ ચિદ્રૂપ
પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય?
દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને? ચિત્તનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે, ચિત્ત નામની વસ્તુ કોઈ જુદી છે એમ જાણે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન ભેગા કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે. ચિત્તની શુદ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શનની શુદ્ધિ કરવી. શુદ્ધાત્માને શું કહેવાય? શુદ્ધ 'ચિદ્રૂપ'. જેનું જ્ઞાન-દર્શન શુદ્ધ થયું છે, એવું જે સ્વરૂપ પોતાનું તે જ શુદ્ધ ચિદ્રૂપ.
પ્રશ્નકર્તા: સચ્ચિદાનંદ આપણે જે કહીએ છીએ તે?
દાદાશ્રી: સચ્ચિદાનંદ તો અનુભવદશા છે અને આ શુદ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે. એની એ જ વસ્તુ, શુદ્ધ ચિદ્રૂપ ને શુદ્ધાત્મા, એક જ વસ્તુ છે. અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારે તમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. હવે આ બુદ્ધિ એકલી જ હેરાન કરે, ત્યાં સાચવવાનું. બુદ્ધિને માનભેર વળાવી દેવી. જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં અહંકાર નથી. કલ્પિત જગ્યાએ 'હું છું' બોલવું એ અહંકાર ને મૂળ જગ્યાએ 'હું' એને અહંકાર ના કહેવાય. એ નિર્વિકલ્પ જગ્યા છે..
મનુષ્યને 'હું-તું'નો ભેદ ઉત્પન્ન થયો તેથી કર્મ બાંધે છે. કોઈ જાનવર બોલે કે, 'હું *ચંદુલાલ છું?' એમને ભાંજગડ જ નહીં ને? એટલે આ આરોપિત ભાવ છે. એનાથી કર્મ બંધાય છે.
Reference: Book Name: આપ્તવાણી 5 (Page #125)
અંતઃકરણનું ત્રીજું અંગ : ચિત્ત
અંતઃકરણનું ત્રીજું અંગ તે ચિત્ત છે. ચિત્તનું કાર્ય ભટકવાનું છે, એ જેમ છે તેમ ફોટા પાડી આપે. અહીં બેઠા બેઠા અમેરિકાની ફિલ્મ જેમ છે તેમ દેખાડે એ ચિત્ત છે. મન તો આ શરીરની બહાર જ ના જાય. જાય છે તે ચિત્ત અને બહાર ભટકે છે તે અશુદ્ધ ચિત્ત. શુદ્ધ ચિત્ત તે જ શુદ્ધ આત્મા.
ચિત્ત એટલે જ્ઞાન + દર્શન.
અશુદ્ધ ચિત્ત એટલે અશુદ્ધ જ્ઞાન + અશુદ્ધ દર્શન.
શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન + શુદ્ધ દર્શન.
મન પેમ્ફલેટ બતાવે ને ચિત્ત પિક્ચર દેખાડે. એ બેની ગડમથલ બુદ્ધિ ડિસીઝન આપે અને અહંકાર સહી કરે એટલે કાર્ય થાય. ચિત્ત એ અવસ્થા છે. અશુદ્ધ જ્ઞાન-દર્શનના પર્યાય તે ચિત્ત. બુદ્ધિ ડિસીઝન આપે તે પહેલાં મન, ચિત્તની ઘડભાંજ ચાલે, પણ ડિસીઝન થયા પછી બધા ચૂપ. બુદ્ધિને બાજુ પર બેસાડે તો ચિત્ત કે મન કંઈ જ નડતું નથી.
અનાદિકાળથી ચિત્ત નિજ ઘર ખોળે છે. તે ભટક્યા જ કરે છે. તે ભાતભાતનું જોયા કરે છે. એટલે જુદું જુદું જ્ઞાન-દર્શન ભેગું થાય છે. અને ચિત્તવૃત્તિ જે જે જુએ તેનો સ્ટોક કરે છે. અને વખત આવ્યે આમ છે, આમ છે એમ દેખાડે છે. ચિત્ત જે જે કંઈ જુએ છે, તેમાં જો ચોંટી ગયું તો તેના પરમાણુઓ ખેંચે છે અને તે પરમાણુઓ ભેગા થઈ તેની ગ્રંથિઓ થાય છે, જે મન સ્વરૂપ છે અને વખત આવ્યે મન પેમ્ફલેટ દેખાડે છે, તે ચિત્ત જુએ છે અને બુદ્ધિ ડિસીઝન આપે છે.
આ તમારી ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી ને જગતમાં રમતી હતી, તે અમે 'અમારા' તરફ ખેંચી લઈએ, એટલે વૃત્તિઓ બીજે ભટકતી ઓછી થાય. ચિત્તવૃત્તિનું બંધન થયું એ જ મોક્ષ છે!
અશુદ્ધ ચિત્તવૃત્તિઓ અનંતકાળથી ભટકતી હતી. અને તેય પાછી તમે જે પોળમાં જતી હોય ત્યાંથી પાછી વાળવા કરો તો તે ઊલટી તે જ પોળમાં પાછી ખેંચાય. તે વૃત્તિઓ નિજ ઘરમાં પાછી વળે છે તે જ અજાયબી છે ને! ચિત્તવૃત્તિઓ જેટલી જેટલી જગ્યાએ ભટકે તેટલી તેટલી જગ્યાએ દેહને ભટકવું પડશે. ક્રમિક માર્ગમાં તો મનના અનંત પર્યાયો અને પાછા ચિત્તના અનંત પર્યાયો ઓળંગતા ઓળંગતા જાય ત્યારે રિલેટિવ અહંકાર સુધી પહોંચે (અરીસામાં જુએ તેવું) અને તમને તો અમે આ બધું કુદાવીને સીધેસીધા સ્વરૂપમાં જ બેસાડી દીધા છે, નિજ ઘરમાં!
નિજ ઘર શોધવા ચિત્ત ભટક ભટક કરે છે. તે જે જુએ તેમાં સુખ ખોળે છે. જ્યાં આગળ ચિત્ત સ્થિર થાય, ત્યાં અંતઃકરણનો બીજો ભાગ શાંત રહે. તેથી સુખ લાગે. પણ સ્થિર રહે કેટલી વાર? પાછું ચિત્ત બીજે જાય છે. એટલે એને બીજામાં સુખ લાગે છે ને પહેલાનું દુઃખદાયક થઈ પડે છે. કારણ કે, જે બાહ્ય સુખ ખોળે છે તે પારિણામિક દુઃખદાયક છે. કારણ કે, બુદ્ધિ તેમાં આરોપ કર્યા વગર રહે જ નહીં કે આમાં સુખ નથી, દુઃખ છે, તે પાછું ચિત્ત ભટકે છે. જ્યાં સુધી ચિત્તવૃત્તિ નિજ ઘરમાં સ્થિર ના થાય ત્યાં સુધી આનો અંત આવે તેમ નથી. સાચું સુખ જ્યાં ચાખે ત્યાં કલ્પિત સુખ આપોઆપ મોળા પડી જાય, પછી જે ભટકે છે તે અશુદ્ધ ચિત્ત અને તેને જેમ છે તેમ જોનાર અને જાણનાર શુદ્ધ ચિત્ત. અશુદ્ધ ચિત્તના પર્યાય પછી ધીમે ધીમે ઓછા થતા થતા બંધ જ થઈ જાય અને પછી કેવળ શુદ્ધ ચિત્તના પર્યાય જ રહે તે જ 'કેવળ જ્ઞાન.'
જ્ઞાની પુરુષ અશુદ્ધ ચિત્તને હાથ ના લગાડે. માત્ર પોતાનું શાશ્વત સુખ, અનંત સુખનો કંદ જે છે તે ચખાડી દે. એટલે નિજ ઘર મળતા જ શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય અને શુદ્ધ ચિત્ત જેમ જેમ શુદ્ધ અને શુદ્ધને જ જો જો કરે, તેમ તેમ અશુદ્ધ ચિત્તવૃત્તિ મોળી પડતી પડતી છેવટે કેવળ શુદ્ધ ચિત્ત રહે. પછી અશુદ્ધ ચિત્તના પર્યાયો બંધ થઈ જાય. પછી રહે તે કેવળ શુદ્ધ પર્યાય.
*ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
Reference: Book Name: આપ્તવાણી 1 (Page #101 and Page #102)
1. મોક્ષમાર્ગમાં મનને કશું જ કરવા જેવું નથી, માત્ર ચિત્તને જ શુદ્ધ કરવાનું છે. તો જ ઉકેલ આવે.
2. સંપૂર્ણ શુદ્ધ તો તે જ કરી શકે કે જે સ્વયં સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ છે. માટે એવા જ્ઞાની પુરુષ જ કરી શકે. એટલા માટે તો દરેક શાસ્ત્ર છેવટે કહે છે કે, 'તારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાની પાસે જા. તે જ શુદ્ધ આત્મા આપી શકે. અમારી પાસે તો ભેળસેળવાળો આત્મા છે, અશુદ્ધ આત્મા છે, જેની કંઈ જ કિંમત નથી.'
A. જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા... Read More
Q. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
A. પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે? દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં... Read More
Q. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
A. કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા... Read More
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો... Read More
A. વિજ્ઞાનથી મુક્તિ પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
A. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે... Read More
Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
A. શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં,... Read More
subscribe your email for our latest news and events
