Related Questions

શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?

વાંકા જોડે વાંકા થઈએ તો?

પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો સરળતા છોડીને વાંકા થવું કે મૂર્ખામાં ખપવું?

દાદાશ્રી: એવું છે કે કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય. જે વાંકો છે તે આપણી કમાણી ખોવડાવી નાખવા ફરે છે, તો આપણે આપણી કમાણી ખોઈ નાખીએ ખરા? પોતાની કમાણી ખોઈ નાખે તો આપણે પણ વાંકા જ થઈ ગયા, તો પછી આપણી પાસે રહ્યું શું? સામાન બધો ખલાસ થઈ ગયો! અને પછી નાદારી નીકળે!

પ્રશ્નકર્તા: એટલે એના કરતાં મૂર્ખામાં રહેવું સારું?

દાદાશ્રી: ના, આ જગતમાં કોઈ મૂરખ નથી એવું છે જ નહીં. જ્યાં બધાં મૂર્ખા જ છે એમાં છોને એ મૂર્ખા કહેતા! એટલે તમારે મનમાં એમ ના રાખવું કે મને મૂર્ખો માને છે. એ પછી ભાંજગડ શી? સરળતા તો બહુ અવતારે કમાણી થાય; તો એ કમાણી ખોઈ નાખવી એ તો બહુ જોખમ છે. અને તમે તો વકીલ, કોઈ દહાડો ખોવો જ નહીં. વિચાર કરીને કરો કે આવડી મોટી મૂડી તો ખોઈ નખાતી હશે? માટે આ ભલે થોડું ઘણું મળે, તેનો કંઈ વાંધો નથી. તમને મૂર્ખા માને, એમાં જે માને એની જોખમદારી છે, એને દોષ લાગશે. બોલે એની જોખમદારી છે, એમાં તમને શું? તમે સરળ રીતે વર્તો છો. સરળતા એ તો બહુ ઊંચી વસ્તુ છે. વાંકા જોડે સરળ રહેવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી, એ સહેલી વસ્તુ નથી. હવે જે કમાણી કરી હોય અને તમારે તે ખોઈ નાખવી હોય તો તમારે આ બધા જોડે બાથંબાથ કરવું.

Reference: દાદાવાણી Magazine October 2009 (Page #2 - Paragraph #6  to  #9)

વાંકા જોડે એડજસ્ટ થાવ

પ્રશ્નકર્તા: વ્યવહારમાં રહેવાનું છે, તો 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને?

દાદાશ્રી: વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશી ય કહે કે, 'બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે? જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.

સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં, આપણે એને 'ફીટ' થઈએ તો આ દુનિયા સરસ છે અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર'! આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી.

Reference: Book Name: એડજસ્ટ એવરીવ્હેર (Page #10 - Paragraph #1 to #3)

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on