અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ભૂતકાળ ગોન, ભવિષ્ય પરસત્તા...
પ્રશ્નકર્તા: વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી, આમ દાખલા સહિત સમજાવો.
દાદાશ્રી: અત્યારે તમે શેમાં છો? કુસંગમાં છો કે સત્સંગમાં છો? હોટલમાં છો કે શેરબજારમાં છો એ ના ખબર પડે તમને? કયા બજારમાં છો?
પ્રશ્નકર્તા: સત્સંગમાં છું.
દાદાશ્રી: સત્સંગમાં છો. એટલે અત્યારે વર્તમાનમાં વર્તો છો તમે. હવે ચાર દહાડા પહેલા છસો રૂપિયા તમારા ખોવાઈ ગયા હોય, એ યાદ આવે એટલે ભૂતકાળ થઈ ગયું. એને યાદ કરો અહીં આગળ વર્તમાનમાં, તો ભૂતકાળ ખેંચી લાવ્યા. અને અહીં આવતાં અડચણ પડી હોય ને, વિચાર કરીએ કે સાલું અડચણ પડશે, હવે તો આમ કરવું છે ને તેમ કરવું છે, અહીં આગળ બેઠા બેઠા વર્તમાનમાં, ભવિષ્યકાળનું વિચાર કરીએ એ ભવિષ્યકાળ કહેવાય. એ વર્તમાનમાં વર્તવાનું કહીએ છીએ. શું ખોટું કહીએ છીએ? સમજાઈ ગયું પૂરું?
પ્રશ્નકર્તા: હવે સમજાઈ ગયું.
દાદાશ્રી: ગઈ સાલ છોકરો મરી ગયો હોય એ સત્સંગમાં યાદ આવેને તો એ મનનો સ્વભાવ છે, દેખાડે છે, તો પોતે ભૂતકાળમાં ખોવાઈ જાય. નહીં તો બાકી એમ ને એમ ખોવાય એવો માણસ નથી. આ કોઈ સળી કરનાર જોઈએ. કોઈ ડખલ કરનાર હોય તો તરત મન મહીં બૂમ પાડે, મન દેખાડે, 'છોકરો મરી ગયો છે ને! મારો છોકરો...' 'હવે એ તો ગયું, અમારે અહીં શું લેવાદેવા? અહીં કેમ લઈને આવ્યો, આ ફાઈલ તો, ઓફિસની ફાઈલ અહીં કેમ લઈને આવ્યો?' હાંકીને, કાઢી મેલવું.
એવું વિભાજન ના કરતાં આવડે તો શું થાય? રસોડામાં ય છોકરો મરી ગયેલો લાગે, એટલે પછી હેં... રસ-પૂરી હોયને! તો ય બળ્યું સુખ ના જતું રહે?
પ્રશ્નકર્તા: જતું રહે.
દાદાશ્રી: તે ઘડીએ, છોકરાનો વિચાર આવે તો ગેટ આઉટ, ઓફિસમાં આવજે. ના બોલાય એવું?
પ્રશ્નકર્તા: હા, કહેવાય.
દાદાશ્રી: એવું 'કેમ આવ્યું છે' એવું કહેવાય નહીં. એ તમે બોલાવ્યા એટલે આવ્યા છીએ. પણ આપણે કહેવું, 'અહીં નહીં. કમ ઈન ધી ઓફિસ'. અને રસ-રોટલી ખાતી વખતે યાદ આવ્યું, અમુક જગ્યાએ જાત્રામાં જવાનું છે, ત્યાં મારું જમવાનું કંઈ ઠેકાણું પડશે નહીં! અલ્યા મૂઆ, આ અહીં શું કરવા આવ્યું? એવું વિચાર આવે મહીં, ના આવે?
પ્રશ્નકર્તા: આવે મહીં.
દાદાશ્રી: તો આપણે શું કહેવાનું? અહીંથી ગેટ આઉટ. એ ત્યાં જે હશે, ત્યાંનું જોઈ લઈશું અમે. ઓન ધી મોમેન્ટ કહી દેવું.
ન કરો અપ્રાપ્તની ચિંતા
કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા’તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું શેઠાણી, ‘તમે કેમ સામે આવીને બેઠાં?’ તો કહે, ‘સમી રીતે જમતા નથી શેઠ કોઈ દહાડોય.’ એટલે હું સમજી ગયો. ત્યારે મેં શેઠને પૂછયું, ત્યારે કહે, ‘મારું ચિત્ત બધું ત્યાં જતું રહે છે.’ મેં કહ્યું, ‘એવું ના કરશો. વર્તમાનમાં થાળી આવી એને પહેલું એટલે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો. જે પ્રાપ્ત વર્તમાન હોય એને ભોગવો.’
ચિંતા થતી હોય તો પછી જમવા માટે રસોડામાં જવું પડે? પછી બેડરૂમમાં સૂવા જવું પડે? અને ઓફિસમાં કામ પર?
પ્રશ્નકર્તા: એ પણ જઈએ.
દાદાશ્રી: એ બધાં ડિપાર્ટમેન્ટ છે. તો આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું. પણ બીજામાં ડિવિઝનમાં જમવા ગયા એટલે પેલી ઉપાધિ પેલા ડિવિઝનમાં અને આ જમવા ગયા તો ટેસથી જમવું. બેડરૂમમાં ગયા તો પેલી ઉપાધિ ત્યાંની ત્યાં રાખવી. આમ ગોઠવણી નથી એ માણસ માર્યો જાય. જમવા બેઠો હોય, તે ઘડીએ ચિંતા કરે કે ઓફિસમાં શેઠ વઢશે ત્યારે શું કરીશું? અલ્યા, વઢશે ત્યારે દેખ લેંગે! અલ્યા, જમને નિરાંતે!
ભગવાને શું કહેલું કે, ‘પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.’ એટલે શું કે જે પ્રાપ્ત છે એને ભોગવો ને!
Q. ત્રિકાળજ્ઞાન કોને કેહવાય? શું સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધાય પર્યાય જાણે?
A. ત્રિકાળજ્ઞાન વર્તમાનમાં રહી ત્રણે કાળનું દેખે તે ત્રિકાળજ્ઞાન પ્રશ્નકર્તા: ત્રિકાળજ્ઞાનની ખરી ડેફિનેશન કહોને. દાદાશ્રી: એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન,...Read More
Q. ભવિષ્યની ચિંતા શા માટે ન કરવી?
A. ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન; દૂર ડુંગરા છોડી, ઠોકર સંવાર! પ્રશ્નકર્તા: મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું...Read More
Q. ભૂતકાળને મેમરી / યાદગીરી સાથે કનેક્શન ખરું કે નહીં?
A. રાગ-દ્વેષ પ્રમાણે મેમરી! પ્રશ્નકર્તા: દાદા, ભૂતકાળને મેમરી સાથે કનેક્શન ખરું કે નહીં? અને મેમરી તો નેચરલ ગીફ્ટ છે એવું કહીએ છીએ ને? દાદાશ્રી: ના, ના....Read More
Q. વર્તમાનમાં કેવી રીતે રેહવું?
A. વર્તે વર્તમાનમાં સદા વર્તમાનમાં રહેવું એ જ વ્યવસ્થિત હું શું કહું છું કે વર્તમાનમાં રહેતાં શીખો. તમને વર્તમાનમાં રહેવા માટેનાં બધા રક્ષણો આપ્યા છે અને...Read More
A. અભિપ્રાય કેવી રીતે છૂટે? કોઇ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના હોય. પાછલું સંભારવાથી બહુ નુકસાન થાય છે. અત્યારે વર્તમાનમાં એ શું કરે છે એ જોઇ...Read More
Q. જો ભવિષ્યની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? આવતી કાલની ચિંતા શા માટે ના કરવી?
A. ભૂતકાળ, 'અત્યારે' કોણ સંભારે? પ્રશ્નકર્તા: આવતી કાલની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? દાદાશ્રી: આવતી કાલ હોતી જ નથી. આવતી કાલ તો કોઇએ જોયેલી જ નહીં જગતમાં....Read More
A. વર્તમાનમાં વર્તે, જ્ઞાની! પ્રશ્નકર્તા: યુગની વ્યાખ્યામાં આ પહેલાં કળિયુગ આવેલો? દાદાશ્રી: દરેક કાળચક્રમાં કળિયુગ હોય જ. કળિયુગ એટલે શું કે આ દિવસ પછી રાત...Read More
subscribe your email for our latest news and events