પોતાના સ્વરૂપની ઓળખાણ
દેહ અને આત્મા જુદા છે. 'હું કોણ છું ?' એવું પોતાનું સ્વરૂપ જાણવામાં આવે તો બહારની ચિંતા કે ઉપાધિ હોવા છતાં અંદરથી શાંતિ રહે. તો જાણો પોતાના સ્વરૂપને પૂજ્ય નીરુમા દ્વારા.
શું તમે તમારી જાતને ક્યારેય પૂછ્યું છે કે, ‘ખરેખર હું કોણ છું?’ શું હું એક પિતા, એક પતિ, એક મિત્ર, એક એન્જિનિયર, એક મુસાફર છું કે દર્દી છું? ખરી હકીકત તો એ છે કે, પુત્રના આધારે તમે એક પિતા છો. પત્નીના આધારે તમે એક પતિ છો. ટ્રેનના આધારે તમે મુસાફર છો. તો તમારી બધી ઓળખાણ, જે તમે તમારી જાત વિશે માનો છો, તે બધી જ બીજાના આધારે છે. તો પછી તમે પોતે કોણ છો? એક પિતા, એક પતિ કે એક મુસાફર?
‘હું કોણ છું?’ તે પ્રશ્નનો જવાબ ના મળવાથી, તમે પોતાની નવી ઓળખાણ બનાવતા રહો છો, પરિણામે તમે તમારા સાચા સ્વરૂપથી વધુ દૂર જતા રહો છો. પોતાનું સાચું સ્વરૂપ ન જાણવાથી આ જિંદગીના બધા દુઃખો ઊભા છે. જ્યાં સુધી તમે તમારા સાચા સ્વરૂપને નથી ઓળખતા, ત્યાં સુધી તમે તમારી જાતને એ નામથી માનો છો જે તમને આપવામાં આવેલું હોય છે.
તો તમે કોણ છો? ખરેખર, તમે એક શાશ્વત આત્મા છો. પાછલા અનંત જન્મોથી આત્મા અજ્ઞાનના પડદા પાછળ છૂપાયેલો છે. જેના લીધે આપણને આપણા સાચા સ્વરૂપનો અનુભવ થતો નથી. જ્ઞાની પુરુષની કૃપાથી, જ્ઞાનવિધિ (આત્મસાક્ષાત્કાર)ના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા તમારા ખરા સ્વરૂપને ઓળખવું શક્ય છે. ત્યારબાદ, તમે માત્ર શુદ્ધાત્માની સમજણ જ નહીં પરંતુ, તમારી ખરી શાંતિનો અનુભવ પણ કરી શકશો.
“હું કોણ છું” વિશે વધુ જાણવા માટે ઉત્સુક છો, તો તે વિશે વધુ વાંચો અહીં.
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબર ને? શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે, જો સુખ અનુભવ્યા પછી,... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને!
A. 'પોતે કોણ છે?' એના પર જો કોઈને શંકા પડતી નથી ને! એ શંકા જ પડતી નથી ને, પહેલી! ઊલટા, એને જ સજ્જડ કરે... Read More
A. અનંતકાળથી, પોતે દેહરૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહને જે કંઈ પણ થાય છે,... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ છું.’ આપણે એમ પણ કહીએ છીએ કે, ‘મારું નામ ચંદુલાલ છે.’ તો આડકતરી રીતે,... Read More
Q. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
A. આત્મજ્ઞાન એટલે જ્યારે તમને ‘હું કોણ છું?’ એ પ્રશ્નનો જવાબ મળે છે. ત્યારે તમને અનુભવ થશે કે તમે... Read More
Q. આત્મજ્ઞાનનું મહત્ત્વ શું છે? તે કેવી રીતે હિતકારી છે?
A. અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહીં પરંતુ, સંસાર વ્યવહાર... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યું હશે કે મોક્ષપ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પૂરી કરવા અને આત્મમુક્તિના પંથ પર પ્રગતિ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારું દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્ત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે? ના... Read More
subscribe your email for our latest news and events