તમે સાંભળ્યુ હશે કે મોક્ષ પ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પુરી કરવા, લોકો ઘર અને કુટુંબનો ત્યાગ કરી, જપ, તપની સાથે કઠોર તપનો અભ્યાસ કરે છે અને આ બધું આત્મ મુકિતના પંથ પર પર પ્રગતિ સાધવા માટે કરે છે.
જ્યારે બીજી બાજુ, મહાન પુરુષ જેવા કે, શ્રીમદ રાજચંદ્ર, ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભગવાન રામે સંસારી જીવન જીવતા અને લગ્ન થયા હોવા છતાં આત્માનુભવ કર્યો હતો.
હા! ખરેખર પત્ની, સંતાનો, સંપત્તિ અને ઈન્દ્રિય સુખો મોક્ષ પ્રાપ્તિ માટે બાધક નથી, માત્ર આત્માનું અજ્ઞાન જ બાધક છે.
તો ચાલો આપણે, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનના આધ્યાત્મિક સત્સંગમાંથી ટૂંકા સાર રૂપી અવતરણ વાંચીએ:
પ્રશ્નકર્તા : પણ આ સંસારમાં રહી આત્મજ્ઞાન આમ મળી જાય ?
દાદાશ્રી : હા, એવો રસ્તો છે. સંસારમાં રહીને એટલું જ નહીં, પણ આ વાઈફ સાથે રહીને આત્મજ્ઞાન મળે એવું છે. એકલું સંસારમાં રહેવાનું નહીં, પણ છોકરાં-છોકરીઓ પરણાવીને, બધું કામ કરીને આત્મજ્ઞાન થઈ શકે છે. હું સંસારમાં રહીને જ તમને એ કરી આપું છું. સંસારમાં એટલે, સિનેમા જોવા જજો એમ બધી તમને છૂટ આપું. છોકરાં પૈણાવજો, છોડી પૈણાવજો અને સારાં કપડાં પહેરીને પૈણાવજો. પછી એથી વધારે બીજી ગેરેન્ટી જોઈએ છે કશી ?
પ્રશ્નકર્તા : એવી બધી છૂટ હોય તો તો જરૂર રહી શકાય.
દાદાશ્રી : બધી છૂટ ! આ અપવાદ માર્ગ છે. તમારે કંઈ મહેનત કરવાની નહીં. તમને આત્મા ય તમારા હાથમાં આપી દઈશું, તે પછી આત્માની રમણતામાં રહો અને લિફટમાં બેસી રહો. બીજું તમારે કશું ય કરવાનું નહીં. પછી તમને કર્મ જ બંધાય નહીં. એક જ અવતારના કર્મ બંધાશે, તે પણ મારી આજ્ઞા પાળવા પૂરતાં જ. અમારી આજ્ઞામાં રહેવાનું એટલા માટે જ કે લિફટમાં બેસતી વખતે જો કદી આઘોપાછો હાથ કરે તો મુશ્કેલીમાં મૂકાઈ જાય ને !
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈપણ કરીએ છીએ તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ કાર્ય... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબરને? શું તમે ક્યારેય નોંધ્યુ છે કે, જો સુખ અનુભવ્યા પછી, દુઃખનો... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને !
A. 'પોતે કોણ છે' એના પર કોઈને શંકા પડતી જ નથી ને. જો કે, પ્રથમ સ્થાને એ શંકા જ ઉભી જ નથી થતી ને !... Read More
A. અનંતકાળથી, પોતે દેહ રૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહ ને જે કંઈ પણ થાય છે... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ.’ તો આડકતરી રીતે, આપણે કહીએ છીએ કે આપણે આ દેહ છીએ. પણ આપણે એવું ક્યારેય... Read More
Q. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
A. જ્યારે ‘હું કોણ છું?’ એ પ્રશ્નના જવાબનો મળશે ત્યારે તમને આત્મજ્ઞાનનો અનુભવ થશે. ત્યારે તમને અનુભવ... Read More
Q. આત્મજ્ઞાનનું મહત્વ શું છે? તે કેવી રીતે હીતકારી છે?
A. અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહી પરંતુ સંસાર વ્યવહાર પણ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારુ દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે ? ના... Read More
subscribe your email for our latest news and events