અનંતકાળથી, પોતે દેહ રૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહ ને જે કંઈ પણ થાય છે તેની અસર આપણને થાય છે. પરિણામે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. આપણે સુખને ટકાવી રાખવા અને દુઃખ થી દૂર ભાગવા માટે આપણે ભટકીએ છીએ. આવી રીતે આપણે પ્રચંડપણે અનંત સારા અને ખરાબ કર્મો બાંધીએ છીએ અને આમ બાકીનું જીવન પસાર કરીએ છીએ. આવતા ભવમાં જ્યારે આપણે કર્મોનાં ફળ ભોગવીએ ત્યારે પાછો પ્રશ્ન ઉભો થાય છે, ‘મારી સાથે જ આવું કેમ થાય છે? આવી જ રીતે આપણે અનંત જન્મોથી ભટકીએ છીએ અને હજુ સુધી આપણે આ સંસારનો ઉકેલ લાવી શક્યા નથી.
સિદ્ધાંત એવો છે કે જેને પોતાનું માનશો, તેની તમને અસર થશે. જેને તમે પોતાનું નથી માનતા, તે તમને અસર નહી કરે. જે ઘડીએ તમે માનવા લાગશો કે આ દેહ તમારો છે, તમે બંધનમાં આવી જશો અને જ્યારે તમે તેને પારકો માનશો તો તમે મુક્ત થશો.
તો જો તમે આ દેહ નથી, તો તમે કોણ છો અને પોતાની ખરી ઓળખાણ તમે કેવી રીતે જાણી શકશો?
તેના માટે, ચાલો જોઈએ પરમ પૂજ્ય દાદા ભગવાન “ખરેખર તમે કોણ છો?” તે વિશે શું કહે છે?
દાદાશ્રી : તમે કોણ છો ?
પ્રશ્નકર્તા : હું ચંદુલાલ છું.
દાદાશ્રી : તમારું નામ શું ?
પ્રશ્નકર્તા : મારું નામ ચંદુલાલ છે.
દાદાશ્રી : 'હું ચંદુલાલ' અને 'મારું નામ ચંદુલાલ' એમાં વિરોધાભાસ લાગે છે કે ? નામધારી અને નામ બેઉ એક કેમના હોય ? નામ તો આ નનામી કાઢે છે તે દા'ડે લઈ લે છે. મ્યુનિસિપાલિટીના રજિસ્ટરમાંથી કટ (કાઢી) કરી નાખે છે.
આ હાથ કોનો છે ? આ પગ કોનો છે ?
પ્રશ્નકર્તા : મારો છે.
દાદાશ્રી : એ તો આ બૉડી (દેહ)ના સ્પેરપાર્ટસ છે, એમાં તારું શું છે ? તારી અંદર મન છે તે કોનું છે ?
પ્રશ્નકર્તા : મારું છે.
દાદાશ્રી : આ વાણી કોની છે ?
પ્રશ્નકર્તા : મારી છે.
દાદાશ્રી : આ દેહ કોનો છે ?
પ્રશ્નકર્તા : મારો છે.
દાદાશ્રી : 'મારો છે' કહેતાં જ એનો માલિક જુદો છે એમ વિચાર આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા : આવે.
દાદાશ્રી : હા, તો એ તમે પોતે કોણ ? એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ?
શું તમે ક્યારેય તપાસ નથી કરી કે તમે પોતે ખરેખર કોણ છો ? ક્યાં સુધી તમે પોતાના ખરા સ્વરૂપના અંધકારમાં અજાગૃત રહેશો? શું તમને એવો વિચાર નથી આવતો કે પોતાના ખરા સ્વરૂપની તપાસ ના કરવી એ અજ્ઞાન છે? જ્યારે તમને ‘પોતે કોણ છે?’ એ પ્રશ્નનો ઉત્તર મળશે ત્યારે તમને ખરો અનુભવ થશે અને તમારી રોંગ બિલિફ બંધ થશે. તમે આ રોંગ બિલિફ થી જ અનંત અવતારથી ભટકો છો. તમે તમારા સાચા સ્વરૂપને જાણતા નથી અને બીજુ તમે જે નથી તેને તમે પોતે છો એવું માનો છો. આ રોંગ બિલિફ તમે તમારી ખરી (સાચા સ્વરૂપ) પર બેસાડી દીધી છે.
દાદાશ્રી : હું ચંદુલાલ છું' એ માન્યતા, એ બિલિફ તો તમારી રાતે ઊંઘમાં ય જતી નથી ને ! પાછાં લોકો પૈણાવે આપણને અને પછી કહેશે, 'તું તો આ બાઈનો ધણી થઉં' એટલે આપણે પાછું ધણીપણું માની લીધું. પછી 'હું આનો ધણી થાઉં, ધણી થાઉં' કરે. કોઈ કાયમનો ધણી હોય ખરો ? ડાયવૉર્સ થાય તે પછી બીજે દહાડે તેનો ધણી ખરો ? એટલે આ બધી રોંગ બિલિફો બેસી ગઈ છે.
એટલે 'હું ચંદુલાલ છું' એ રોંગ બિલિફ છે. પછી 'આ બાઈનો ધણી છું' એ બીજી રોંગ બિલિફ. 'હું વૈષ્ણવ છું' એ ત્રીજી રોંગ બિલિફ. 'હું વકીલ છું' એ ચોથી રોંગ બિલિફ. 'હું આ છોકરાનો ફાધર થાઉં' એ પાંચમી રોંગ બિલિફ. 'આનો મામો થાઉં' એ છઠ્ઠી રોંગ બિલિફ. 'હું ગોરો છું' એ સાતમી રોંગ બિલિફ. 'હું પિસ્તાલીસ વર્ષનો છું' એ આઠમી રોંગ બિલિફ. 'હું આનો ભાગીદાર છું' એ ય રોંગ બિલિફ. 'હું ઈન્કમટેક્ષ ભરનારો છું' એમ તમે કહો તે ય રોંગ બિલિફ. આવી કેટલી રોંગ બિલિફ બેઠી હશે?
આ 'હું ચંદુલાલ છું' એ અહંકાર છે. કારણ કે જ્યાં 'હું' નથી, ત્યાં 'હું' નો આરોપ કર્યાે, એનું નામ અહંકાર.
પ્રશ્નકર્તા : 'હું ચંદુલાલ છું' કહે, એમાં અહંકાર ક્યાં ? 'હું આમ છું, હું તેમ છું' એમ કરે એ જુદી ચીજ છે પણ સહજભાવે બોલે, તેમાં ક્યાં અહંકાર ?
દાદાશ્રી : સહજ ભાવે બોલે તો ય અહંકાર કંઈ જતો રહે છે ? 'મારું નામ ચંદુલાલ છે' એ સહજ ભાવે બોલે તો ય એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને !
'તમે ચંદુલાલ છો' એ ડ્રામેટિક વસ્તુ છે. એટલે 'હું ચંદુલાલ છું' એ બોલવામાં વાંધો નથી, પણ 'હું ચંદુલાલ છું' એ બિલિફ ના બેસવી જોઈએ.
પ્રશ્નકર્તા : હા, નહીં તો 'હું' પદ આવી ગયું.
દાદાશ્રી : 'હું' 'હું'ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. 'હું' મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે માટે અહંકાર. આરોપિત જગ્યાએથી 'હું' ઊડી જાય અને મૂળ જગ્યાએે બેસી જાય તો અહંકાર ગયો. એટલે 'હું' કાઢવાનું નથી, 'હું' એને એક્ઝેક્ટ પ્લેસ (યથાર્થ સ્થાન)માં મૂકવાનું છે.
રોંગ બિલિફથી (ઊંધી સમજણથી) મુક્ત થવા માટે, ‘હું’ અને ‘મારું’ આ બે વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. ‘હું કોણ છું?’ અને ‘I’ અને ‘My’ જુદા છે ની વૈજ્ઞાનિક સમજણ વાંચીને તમે આ બંને વચ્ચેનો ભેદ સચોટ રીતે શોધી શકશો.
*ચંદુલાલ (વાચકે પોતાનું નામ સમજવું) = જ્યારે દાદાશ્રી ‘ચંદુલાલ’ વાપરે અથવા જે વ્યકિતનું નામ લઈને દાદાશ્રી સંબોધે, ત્યારે વાચકે યોગ્ય સમજણ માટે પોતાનું નામ વાપરવું.
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈપણ કરીએ છીએ તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ કાર્ય... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબરને? શું તમે ક્યારેય નોંધ્યુ છે કે, જો સુખ અનુભવ્યા પછી, દુઃખનો... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને !
A. 'પોતે કોણ છે' એના પર કોઈને શંકા પડતી જ નથી ને. જો કે, પ્રથમ સ્થાને એ શંકા જ ઉભી જ નથી થતી ને !... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ.’ તો આડકતરી રીતે, આપણે કહીએ છીએ કે આપણે આ દેહ છીએ. પણ આપણે એવું ક્યારેય... Read More
Q. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
A. જ્યારે ‘હું કોણ છું?’ એ પ્રશ્નના જવાબનો મળશે ત્યારે તમને આત્મજ્ઞાનનો અનુભવ થશે. ત્યારે તમને અનુભવ... Read More
Q. આત્મજ્ઞાનનું મહત્વ શું છે? તે કેવી રીતે હીતકારી છે?
A. અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહી પરંતુ સંસાર વ્યવહાર પણ... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યુ હશે કે મોક્ષ પ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પુરી કરવા, લોકો ઘર અને કુટુંબનો ત્યાગ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારુ દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે ? ના... Read More
subscribe your email for our latest news and events