અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહી પરંતુ સંસાર વ્યવહાર પણ સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. તો ચાલો જ્ઞાનવિધિનાં બીજા ફાયદાઓ જોઈએ જેથી આપણે જ્ઞાનવિધિનું મહત્વ અને સાથે આત્મજ્ઞાનનું મહત્વ પણ સમજી શકીએ.
૧. અંદર પાર વગરનું સુખ વર્તે, દુઃખ જ ના થાય. જ્ઞાનવિધિ પછી જે આનંદનો તમને અનુભવ થાય છે તે નિરાકુળ આનંદ છે.
૨. રોજબરોજની સમસ્યાઓને તમે સમભાવે ઉકેલી શકશો.
૩. દુઃખ કે ચિંતા કશું તમને સ્પર્શે જ નહીં!
૪. જ્ઞાનવિધિ પછી કોઈને દુઃખી કરવાનો કે ક્રોધથી કોઈને હેરાનગતિ કરવાનો પણ આશય નહી રહે.
૫. જે લોકોએ જ્ઞાન લીધું છે તેમનામાં નિર્ભયતા અને નિરાલંબપણું (સ્વતંત્રતા) ઉભું થશે.
૬. જ્ઞાનવિધિ પછી પોતે નિષ્પક્ષપાતી બને છે. વ્યક્તિ મન-વચન-કાયાથી પક્ષપાતી થતી નથી અને તેથી જ તે પોતાની ભૂલો જોઈ શકે છે.
૭. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી તમને સાચી સમજણ (દ્રષ્ટિ) મળે છે કે જેનાથી તમને જગત નિર્દોષ દેખાશે.
૮. આ તો અજાયબ જ્ઞાન છે! જેમ દહીંને વલોવ્યા પછી માખણ અને છાશ છૂટાં જ રહે તેવું આ જ્ઞાન છે ! દેહ ને આત્મા છૂટા ને છૂટા જ રહે! જ્ઞાનીપુરુષએ આપેલ જ્ઞાનથી સર્વ અવસ્થાઓમાં “હું શુદ્ધાત્મા છું” એ જ રહે છે.
૯. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જો કોઈ તમને દુઃખ આપે ત્યારે વેર લેવાની ભાવના નથી રહેતી.
૧૦. આત્મજ્ઞાન થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમકિત થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું.
૧૧. નવા કર્મો બંધાશે નહી.
૧૨. સંસારી દુઃખનો અભાવ એ મોક્ષ (મુક્તિ) નો પ્રથમ અનુભવ કહેવાય. એ અનુભવ તમને જ્ઞાનીપુરુષ ‘જ્ઞાન’ આપે એટલે બીજે જ દહાડે શરુ થઇ જાય છે. પછી આ શરીરનો બોજો, કર્મોનો બોજો એ બધા તૂટી જાય એ બીજો અનુભવ. પછી આનંદ જ એટલો બધો હોય છે કે જેનું વર્ણન જ ના થઇ શકે !!!
૧૩. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી, તમને અનુભવ થશે કે તમે તમારા જીવનમાં કંઈક જુદુ જ કરી રહ્યા છો જે તમે આત્મજ્ઞાન પહેલા કરી રહ્યા હતા. આ અનુભવથી તમે એ નક્કી કરી શકશો કે તમને પ્રથમ તબ્બકા (સ્ટેજ) નો મોક્ષ પ્રાપ્ત કર્યો છે કે નહી. તમે આ જાણી શકશો કારણ કે તમે આત્મા છો અને આત્મા એ બ્રહ્માંડ નો સૌથી મોટો ન્યાયાધીશ (જજ) છે. જાગૃત આત્મા નિષ્પક્ષપાતી હોવાથી જે કંઈપણ નિર્ણય આપે તે સચોટ જ હશે.
ચાલો, હું તમને એક ઉદાહરણ આપું. જો તમે કોઈના ઘરમાં પેઠા હો તો મહીં ફફડાટ રહે કે ના રહે ? રહે જ. હમણાં કોઈ કાઢી મૂકશે, ધમકાવશે એમ નિરંતર રહ્યા જ કરે. પણ જો પોતાના ઘરમાં બેઠા હો તો છે કશી ચિંતા ? શાંતિ જ હોયને પોતાના ઘરમાં તો ! તેવું છે. ચંદુલાલ તે તમારું ઘર ન હોય. તમે પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ છો અને ભ્રાંતિથી પરાયા ક્ષેત્રમાં ક્ષેત્રાકાર થઈ ગયા છો. પરના સ્વામી થઈ બેઠા છો ને પાછા પરના ભોક્તા થઈ ગયા છો. તો નિરંતર ચિંતા, ઉપાધિ, આકુળતા અને વ્યાકુળતા રહ્યા કરે છે.
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈપણ કરીએ છીએ તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ કાર્ય... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબરને? શું તમે ક્યારેય નોંધ્યુ છે કે, જો સુખ અનુભવ્યા પછી, દુઃખનો... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને !
A. 'પોતે કોણ છે' એના પર કોઈને શંકા પડતી જ નથી ને. જો કે, પ્રથમ સ્થાને એ શંકા જ ઉભી જ નથી થતી ને !... Read More
A. અનંતકાળથી, પોતે દેહ રૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહ ને જે કંઈ પણ થાય છે... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ.’ તો આડકતરી રીતે, આપણે કહીએ છીએ કે આપણે આ દેહ છીએ. પણ આપણે એવું ક્યારેય... Read More
Q. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
A. જ્યારે ‘હું કોણ છું?’ એ પ્રશ્નના જવાબનો મળશે ત્યારે તમને આત્મજ્ઞાનનો અનુભવ થશે. ત્યારે તમને અનુભવ... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યુ હશે કે મોક્ષ પ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પુરી કરવા, લોકો ઘર અને કુટુંબનો ત્યાગ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારુ દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે ? ના... Read More
subscribe your email for our latest news and events