જ્યારે ‘હું કોણ છું?’ એ પ્રશ્નના જવાબનો મળશે ત્યારે તમને આત્મજ્ઞાનનો અનુભવ થશે. ત્યારે તમને અનુભવ થશે કે તમે શુદ્ધાત્મા છો અને દેહથી જુદા છો.
જ્ઞાનીપુરુષની કૃપાથી બે કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્તિનો વૈજ્ઞાનિક પ્રયોગ કે જેને જ્ઞાનવિધિ કહે છે તેનાથી સરળતાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે.
આ બે કલાકની જ્ઞાનવિધિ દરમ્યાન :
વ્યક્તિની આત્મજાગૃતિ ઉત્પન્ન થાય છે. એકવાર આત્મજાગૃતિ પ્રાપ્ત થયા પછી, તે ક્યારેય જતી નથી. જયારે “હું આ દેહ તરીકે છું”, એવો અનુભવ તમને જતો રહેશે ત્યારે તમારા નવા કર્મો બાંધવાના બંધ થઈ જાય છે. તમે ‘હું કોણ છું?’ વિશેનું જ્ઞાન અને જાગૃતિની સાથે સાથે ‘કરે છે કોણ?’ (કર્તા કોણ) તેનો પણ અનુભવ કરશો.
ત્યારબાદ, રોજબરોજના વ્યવહારિક ઉદાહરણ દ્વારા તમને જીવન કેવી રીતે જીવવું, તે સમજાવવામાં આવશે કે જેથી નવાં કર્મો ચાર્જ ના થાય. પછી તમે જાણશો કે તમારા પૂર્વના જુના કર્મોને કેવી રીતે સરળતાથી પુરા કરી શકાય અને શુદ્ધાત્માની જાગૃતિ નિરંતર રહેશે.
કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના અને ખુલ્લા હૃદય સાથે આવવું જોઈએ. એવી માનસિકતા રાખવી કે, ‘જે કંઈ પણ આધ્યાત્મિક જ્ઞાન મને આપવામાં આવી રહ્યું છે, હું તેને હૃદયથી સ્વીકારવા માંગુ છું અને તેને આત્મસાત કરી અને પછી જે કંઈ પણ સૂચનાઓ આપવામાં આવે; તેને આ આધ્યાત્મિક પથ પર પ્રગતિ કાજે હું ધીમે ધીમે અને નિરંતર અનુસરવા માંગુ છું.’ કોઈપણ ધાર્મિક ક્રિયા, ધ્યાન કે આધ્યાત્મિક ક્રિયાકાંડ કરવાની કે કોઈપણ પ્રકારનો ત્યાગ કરવાની જરૂર નથી.
જ્ઞાનવિધિ અને બધા જ સત્સંગ સંપૂર્ણપણે નિઃશુલ્ક અને કોઈપણ પ્રકારના ગુપ્ત ખર્ચ (કિંમત) વિના છે.
જ્ઞાનવિધિ એક વૈજ્ઞાનિક પ્રયોગ છે અને તેનો લાભ અઢાર વર્ષથી ઉપરના વયની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. અહીં પોતાના ધર્મ કે ગુરુને બદલવાની કોઈ જ જરુર નથી; જ્ઞાનીપુરુષનો સત્સંગ કોઈપણ જ્ઞાન ધર્મ, જાતિ, શૈક્ષણિક, વૈવાહિક અને સમાજિક હોદ્દાઓથી પર અને દરેકને માટે સમાન છે.
સ્વયં પ્રયત્નો કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થઇ શકતું નથી. જેવી રીતે તમારી તબિયત ખરાબ હોય ત્યારે તમે ડોકટર પાસે દવા લેવા જાવ છો, તેવી રીતે તમને તમારા સાચા સ્વરૂપ (ખરા આત્મા) ને અનુભવવા માટે, તમને પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ જોઈશે. માત્ર પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ કૃપાથી જ તમને તમારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ થશે.
પરમ પૂજ્ય દાદા ભગવાન એવા જ એક જ્ઞાનીપુરુષ હતા, કે જેમની મહીં આત્મજ્ઞાનનું પ્રાગટ્ય કુદરતી રીતે જ થયું હતું. પરમ પૂજ્ય દાદાશ્રીનાં આશીર્વાદ થકી પૂજ્યશ્રી દીપકભાઈ આજે એ જ આત્મજ્ઞાન વિધિ દેશ-વિદેશોમાં વસતા મુમુક્ષુઓને કરાવી રહ્યા છે, જેથી તેઓ સંસારમાંથી મુકિત મેળવીને મુકિત (મોક્ષ)ના પંથે પ્રગતિ સાધે.
તમારા નજીકના સ્થળે, હવે પછીની જ્ઞાનવિધિની વિગતવાર માહિતી મેળવી શકશો અહીંથી.
અસંખ્ય લોકોએ જ્ઞાનવિધિમાં ભાગ લીધા પછી તેમના જીવનમાં શાંતિનો અનુભવ કર્યો છે. તમે એમના અનુભવો અહીં વાંચી અને જોઈ શકશો.
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈપણ કરીએ છીએ તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ કાર્ય... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબરને? શું તમે ક્યારેય નોંધ્યુ છે કે, જો સુખ અનુભવ્યા પછી, દુઃખનો... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને !
A. 'પોતે કોણ છે' એના પર કોઈને શંકા પડતી જ નથી ને. જો કે, પ્રથમ સ્થાને એ શંકા જ ઉભી જ નથી થતી ને !... Read More
A. અનંતકાળથી, પોતે દેહ રૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહ ને જે કંઈ પણ થાય છે... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ.’ તો આડકતરી રીતે, આપણે કહીએ છીએ કે આપણે આ દેહ છીએ. પણ આપણે એવું ક્યારેય... Read More
Q. આત્મજ્ઞાનનું મહત્વ શું છે? તે કેવી રીતે હીતકારી છે?
A. અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહી પરંતુ સંસાર વ્યવહાર પણ... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યુ હશે કે મોક્ષ પ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પુરી કરવા, લોકો ઘર અને કુટુંબનો ત્યાગ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારુ દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે ? ના... Read More
subscribe your email for our latest news and events