• question-circle
  • quote-line-wt

વાણીનું આધ્યાત્મિક વિજ્ઞાન : વાણીનું ખરું સ્વરૂપ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વાણી કેવી રીતે બોલાય છે? આ પેલા સિતારના તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની સાથે કેટલાય શબ્દો ઊભા થઈ જાય છે. પોતાને બોલવાનો ભાવ થઈ ગયો ને, એટલે પેલા એની મેળે બોલાઈ જાય. તમારી ઈચ્છા નથી તોય, એવું શું છે કે તમારાથી બોલાઈ જાય છે?

દાદાશ્રીએ વાણીનો ખરો સ્વભાવ અગોપિત કર્યો છે. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે વાણીની પણ આખી પટ્ટી તમારા પૂર્વભવમાં ઊતરી ગયેલી છે. અને આ ભવમાં તે વાગી રહી છે. ને તેને સંયોગ મળતા જ, જેમ પીન મૂકે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે.

દાદાશ્રીએ કેવી રીતે ગતભવના અંતર આશય અને વાણીને લગતા કર્મોને ચોખ્ખા કરવા તેનું ગુહ્ય રહસ્ય પણ ખુલ્લું કર્યુ છે. તદુપરાંત, જૂઠું બોલવાનું બંધ કરવાનો વૈજ્ઞાનિક માર્ગ અને વચનબળ કેવી રીતે મેળવવું, તે પણ જાણો.

વાણીના મૂળભૂત અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સિદ્ધાંતોની ગહન સમજણ મેળવવા માટે આગળ વાંચો.

સ્યાદ્દવાદ વાણી

સ્યાદવાદ એટલે કોઈનું પણ પ્રમાણ ના દુભાય અને બધાના પ્રમાણને સાચવે, એનું વાણી વર્તન અને વિચારો પણ એવા જ હોય. સ્યાદવાદ વાણી, વર્તન અને મનન વિશે વધુ જાણો આ વીડિયો દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. દુઃખદાયી શબ્દોની શું અસર થાય છે?

    A. આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં? પ્રશ્નકર્તા: ઘણા... Read More

  2. Q. નકારાત્મક લાગણીઓ (ફીલિંગને) કેવી રીતે બંધ કરવી?

    A. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે.... Read More

  3. Q. વાણીનું ખરું સ્વરૂપ શું છે?

    A. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલા પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે આ... Read More

  4. Q. વાણી અને ભાવ (અંતર આશય) વચ્ચે શો સંબંધ છે?

    A. ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને! આ તો એમ ને એમ જ છે ને! નાના છોકરાં હોય... Read More

  5. Q. ગતભવના કર્મોને ચોખ્ખા કરવા શું કરવું?

    A. અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ... Read More

  6. Q. લોકો શા માટે જૂઠ્ઠું બોલે છે?

    A. પ્રશ્નકર્તા: માણસ જૂઠું શું કામ બોલે? દાદાશ્રી: મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે... Read More

  7. Q. હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?

    A. પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? દાદાશ્રી: ચોક્કસ વળી! પણ... Read More

  8. Q. સત્ય એટલે શું? પરમ સત્ય (સત્) એટલે શું?

    A. પ્રશ્નકર્તા: મસ્કા મારવા, એનું નામ સત્ય? ખોટી હા પુરાવવી? દાદાશ્રી: એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો... Read More

  9. Q. વ્યક્તિને વચનબળ ક્યારે પ્રાપ્ત થાય?

    A. પ્રશ્નકર્તા: વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય?  દાદાશ્રી: એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ... Read More

  10. Q. વાણી કેવી રીતે સુધારવી?

    A. પ્રશ્નકર્તા: આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા... Read More

Spiritual Quotes

  1. કોઈને ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે.
  2. આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ, મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય!
  3. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે એવું ઠસાવવા જાય તે જ હિંસા છે.
  4. કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે.
  5. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે.
  6. ''કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમકિતને ય બાધક છે.''
  7. જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય એવી છે, તેનો જશ સારો મળે.
  8. પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો દોષ લાગતો નથી.
  9. સત્ય કોને કહેવાય? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુ:ખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે! મોટામાં મોટો સિદ્ધાંત છે! આ 'રિયલ' સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું 'વ્યવહાર સત્ય' છે!
  10. પોતાની ‘સેફસાઈડ’ માટે જૂઠું બોલો તો ક્યાંથી વચનબળ રહે?
  11. વચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!
  12. કો’કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.
  13. સ્યાદ્‌વાદ વાણી શું કહે છે? તમે એવું બોલો કે પાંચ જણ લાભને પામે ને કોઈનેય ડખો ના થાય.
  14. ‘બોલ’ તો ‘એક્સપેન્સ’ (ખર્ચો) કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. ‘બોલ’ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવી જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે?
  15. મન બગડેલું ના હોય, વાણી બગડેલી ના હોય, વર્તન બગડેલું ના હોય, એ પરમ વિનય. 
  16. જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે, એ હિંસક વાણી છે. જ્યાં નિષ્પક્ષપાતી વાણી છે ત્યાં અહિંસક વાણી છે.
  17. સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્‌માત્ર અહંકાર ના હોય તે.
  18. કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે છે તે તમારી વાણી ના બગાડો.
  19. વાણી બોલો તેનો વાંધો નથી, પણ અમે સાચા છીએ એમ એનું રક્ષણ ના હોવું જોઈએ.
  20. આ જગતમાં કોઈ શબ્દ નકામો બોલાતો નથી.
  21. કડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાંય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ હોય.
  22. જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો.
  23. મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય.
  24. આ ‘બોલ’ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધાં જ મહાવ્રત આવી જાય!
  25. દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતાં ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે!
  26. આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજાસહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધન છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં.
  27. આ વાતાવરણમાં બધા પરમાણુઓ ભરેલા છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. એક શબ્દેય બેજવાબદારીવાળો ના બોલીશ. અને બોલવું હોય તો સારું બોલ.

Related Books

×
Share on