ધ્યાન કોને કહેવાય?
જે જ્ઞાન છે એના આધારે ધ્યાન ઉત્પન્ન થઇ જ જાય છે. ધ્યાન માટે ધ્યેય નક્કી કરો. પૂજ્ય દીપકભાઈ ધ્યાન વિશેની વધુ સમજણ આ વીડિયોમાં સમજાવે છે.
કોઈ પણ પ્રકારની મનને કેન્દ્રિત કરવાની (માનસિક એકાગ્રતાની) ક્રિયા એ મનોયોગ (ધ્યાન) કહેવાય છે; પરંતુ જો તે કોઈ પણ ધ્યેય વગર કરવામાં આવે તો તેનો કશો ફાયદો થતો નથી. જયારે તમે રેલ્વે સ્ટેશન પર જાવ છો, ત્યારે તમારે ક્યાં જવું છે તે ટીકીટ માસ્ટરને નથી કહેવું પડતું? શું તમારે ક્યા સ્ટેશન પર ઉતરવું છે તે નથી કહેવું પડતું? લોકો એક જ વાત કરે છે કે, “ધ્યાન કરો, ધ્યાન કરો.” પરંતુ અમને એટલું તો કહો, કે અમારે શેના પર ધ્યાન કરવાનું છે! આવા રીલેટીવ ધ્યાનનો શું હેતુ અને ફાયદો છે? સાસુ જ્યારે એમ કહે કે, “તું અક્ક્લ વગરની છે” અથવા તો કોઈ નુકશાન થાય છે ત્યારે જે કંઈ શાંતિ અને સુખનો અનુભવ રીલેટીવ ધ્યાનથી થયો હોય છે, તે જ ક્ષણે તે તૂટી જાય છે. પછી બધો અજંપો અને અંતરદાહ (કઢાપો) ચાલુ થઈ જાય છે. આ રીલેટીવ ધ્યાનથી તમારું કામ નહીં થાય, તે તમને શાશ્વત (કાયમી) શાંતિ નહીં આપી શકે.
આ રીલેટીવ ધ્યાન વિનાશી (ટેમ્પરરી) છે અને તે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે પણ બીજુ રીયલ ધ્યાન છે, જે માત્ર જ્ઞાની પુરુષ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. આ રીયલ ધ્યાન તમને કાયમી શાંતિ આપશે. રીયલ ધ્યાન પર વધુ જાણવા માટે વાંચો…
Q. ધ્યાનનાં પ્રકારો ક્યા ક્યા છે?
A. ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે... Read More
Q. શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?
A. આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ... Read More
Q. કર્મ અને પૂર્વજન્મના કર્મ ધ્યાન (અંદરનાં ભાવ) પર કેવી રીતે આધાર રાખે છે?
A. પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય... Read More
Q. તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?
A. આમને કયાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય.... Read More
Q. ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?
A. ધર્મ કોને કહેવાય ? જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને... Read More
Q. શું કુંડલીની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?
A. બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના... Read More
Q. અનાહત નાદનાં ધ્યાનથી શું પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું ? દાદાશ્રી: શરીરના કોઇપણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી... Read More
Q. સાચા ગુરુ અને સદગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?
A. આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે ! જે... Read More
Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
A. પ્રશ્નકર્તા: દાદા,મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર... Read More
subscribe your email for our latest news and events