અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોકરોળિયાના જાળા જ્યમ !
બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના થાય. મન સ્થિર થાય એટલે માણસ મસ્તીમાં આવે. મનનું સ્થિર થવું અને અહંકાર મહીં ભળવો, એનું નામ મસ્તી. એટલે મસ્તીમાં આવે એટલે બસ, હવે કંઈક છે !
પ્રશ્નકર્તા: કુંડલિનીના બધા અનુભવો થયા હોય એટલે એ જ આખો દ્ઢ આગ્રહ થઈ ગયો હોય.
દાદાશ્રી: એ તો મગજમાં જાતજાતના ચમકાર થાય બધા. તે ચિત્તના ચમત્કાર છે. ચિત્તના ચમત્કાર છે. ઘણા ખરા તો આ કુંડલિનીવાળા તે ગાડીઓમાં મળેને, તે મને જોઈને એકદમ દર્શન કરી જાય. ઓળખવાની શક્તિ સારી. દ્ષ્ટિ ઉપરથી ઓળખી જાય અને મોઢાના આનંદ પરથી સમજી જાય આ કંઈક છે. એટલે પછી હું કહું કે ક્યાં આગળ કુંડલિની જાગૃત કરી છે ?
પ્રશ્નકર્તા: ઈગો (અહમ્) બહુ હોય.
દાદાશ્રી: ઈગો વધારીને આ દશા થઈ છે. એટલે પછી મારી પાસે વિધિ કરે છે ને, ત્યારે એ ઈગો નીકળવા માંડે છે. એટલે પછી આખું શરીર ખદબદ, ખદબદ, કૂદાકૂદ, કૂદાકૂદ, આમ ફડ ફડ ફડ કરે. પછી એ નીકળી જાય છે. ત્યાર પછી એ હલકો થાય છે. ઈગો વધારીને આ જાળું ઊભું કરે છે. પછી જાળામાં આનંદ માણે છે !
પ્રશ્નકર્તા: આ કરોળિયાના જાળા જેવું ?
દાદાશ્રી: હા.
* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
1. તમે બહાર બીજે બધો સત્સંગ કરવા જાવને, તો તમારું મન ઉલ્લાસમાં આવી જાય અને અહીં તો મન નહીં, આત્મા ઉલ્લાસમાં આવી જાય. આત્મા 'જ્ઞાની પુરુષ' પાસે જ જાગે, નહીં તો જાગે નહીં.
2. ધ્યાન બે પ્રકારનાં: એક પૌદ્ગલિક એટલે કે કુંડલિનીનું, ગુરુનું, મંત્રનું વિ. ધ્યાન તે અને બીજું આત્માનું ધ્યાન. તે નિર્વિકલ્પ સમાધિમાં લઈ જાય.
Book Name: આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) (Page #193 - Paragraph #5, Page #194 - Paragraph #1 to #6)
subscribe your email for our latest news and events