Related Questions

ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ

અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે! અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણે સમજી લેવાથી એ અટકે છે. વ્યવહારમાં પણ મન-વાણી ને દેહ સહજતામાં રહે, તેથી બ્રહ્મચર્ય આવશ્યક કહ્યું છે. આયુર્વેદ પણ એમ જ સૂચવે છે! છ જ મહિના જો મન-વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળે તો મનોબળ, વચનબળ તેમ જ દેહમાં પણ જબરજસ્ત ફેરફાર થઈ જાય છે!

બ્રહ્મચર્યના ફાયદાઓ:

બ્રહ્મચર્યના શારીરિક અને માનસિક ફાયદાઓ:

  • બ્રહ્મચાર્ય પાળનાર વ્યક્તિ મન-વચન અને દેહની શક્તિઓને ઉપયોગમાં લાવી શકે છે. તેઓ ધાર્યા બધા વ્રત-નિયમ પાળી શકે.
  • જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવી પડે તો પણ સ્થિરતાથી આવી પડેલી મુશ્કેલીઓને ઉકેલી શકે.
  • એકાગ્રતા અને ધારણશક્તિ વધે.
  • મનોબળ વધે અર્થાત્ પોતે મનમાં જે નિશ્ચય કરે તે કરી શકે.
  • તેમનું મન નિયંત્રણમાં રહે.
  • બ્રહ્મચર્ય આમ કેટલાંક વરસ જો કદી સચવાઈ ગયું કંટ્રોલપૂર્વક, તો પછી વીર્ય ઊર્ધ્વગામી થાય ને ત્યારે આ શાસ્ત્રો-પુસ્તકો એ બધાં મગજમાં ધારણ કરી શકે. ધારણ કરવું એ કાંઈ સહેલું નથી, નહીં તો વાંચે ને પાછો ભૂલતો જાય.
  • બ્રહ્મચર્ય પાળવાથી પોતે ધાર્યા વ્રત-નિયમ બધા પાળી શકે. આગળ વધી શકે અને પ્રગતિ થાય.
  • રોગપ્રતિકારક શક્તિ વધે અને તેના પરિણામે શારીરિક સંપત્તિ સરસ રહે. કશી અડચણ જ ના આવે. કોઈ જાતની ડિફેક્ટ જ ના આવે.
  • બ્રહ્મચર્યના લીધે દેહબળ, મનોબળ, બુદ્ધિબળ અને અહંકારનું બળ વધે!

બ્રહ્મચર્યના આધ્યાત્મિક ફાયદાઓ:

  • વિષય બંધ તો ક્લેશ બંધ. વિષય બંધ થાય ત્યારે પછી એ ઘર્ષણનો ઈતિહાસ જ બંધ થઈ જાય.
  • પૈણેલા હોય અને જો બ્રહ્મચર્ય વ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું સમજાય. નહીં તો ત્યાં સુધી સુખ વિષયમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે એ સમજાતું નથી.
  • ક્રોધ-માન-માયા-લોભ ધીમે ધીમે ઓછા થઈ જાય.
  • આ વિષયનો અભાવ થાય તોય દેવગતિ થાય.
  • બ્રહ્મચર્ય પાળવાથી પુણ્યકર્મ બંધાય.
  • ચિત્ત એટલું બધું શુદ્ધ થાય કે ચિત્તવૃત્તિઓ સંસારી ચીજમાં ભટકે નહીં.
  • પોતે બ્રહ્મચર્ય પાળે એટલે આત્મવીર્ય પ્રગટ થાય. આત્માની શક્તિથી વધુ કિંમતી કાંઈ જ નથી.
  • બ્રહ્મચર્ય પાળે તેને હેય... અપાર આનંદ, એ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય!
  • કેવળજ્ઞાન માત્ર બ્રહ્મચર્ય પાળવાથી જ પ્રાપ્ત થાય.
Related Questions
  1. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયના જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on