સ્પર્ધા
સ્પર્ધા, ઈર્ષ્યા, સેલ્ફ નેગેટિવીટી આ બધું થવા પાછળનું કારણ શું છે? આ માંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? જાણવા માટે નિહાળો આ વિડિયો...
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
શું તમે રેસકોર્સ જોઈ છે? ત્યાં શું થાય છે? દરેક ઘોડો બીજા બધા ઘોડાઓ સાથે સ્પર્ધામાં ઊતરે છે અને હાંફી હાંફીને પહેલો નંબર લાવાની કોશિશ ઠેઠ સુધી કરે છે. જ્યારે એ દોડે છે, ત્યારે એ એટલો સ્વાર્થી થાય છે કે જીતવા માટે હિંસક પણ બની જાય છે. આપણે મનુષ્યો પણ જીવનની દરેક સ્પર્ધામાં આવું જ કરતા હોય છે ને? આપણે પણ આ ઘોડાઓની જેમ એક બીજા સાથે સ્પર્ધામાં ઊતરીએ છીએ. પણ અંતે શું થાય છે? ખાલી એક વ્યક્તિ જીતે છે અને બાકી બધા હારે છે. હવે જો એટલા બધા માણસોમાંથી ખાલી એક જ જીતવાનો હોય, તો પછી આપણે આટલું બધું કેમ દોડીએ? આપણે એટલા સ્વાર્થી અને હિંસક કેમ બનીએ કે જેથી કરીને આપણે ના ખાલી હારનો માર ખાવો પડે પણ બીજા ને પણ દુઃખ આપીને વેર ઊભું કરીએ (કચડીને, નીચે પાડીને, શડયંત્ર રમીને) અને પોતાને પણ તકલીફ આપીને ખુદની પ્રગતિને રૂંધીયે (માણસાઈ ગુમાવી, અધોગતિ નોતરવી)?
તમને એવું નથી લાગતું કે આના કરતા તો આપણે આવી સ્પર્ધામાં હારીને કાયમના માટે શાંતિ અને વિનમ્રતાને જીતી લેવી જોઈએ? પણ શું આ કાળમાં આવા લઘુતમ રહીને પણ હારીને જીતી શકાય ખરું? આજ ચાવીઓ આ કાળના જ્ઞાની પુરુષ, પરમ પૂજ્ય દાદાશ્રી, આપણને વ્યવહારુ અને વૈજ્ઞાનિક રીતે આપે છે. તો ચાલો વાંચીએ મિત્રો!
subscribe your email for our latest news and events