• question-circle
  • quote-line-wt

આધ્યાત્મિક પ્રગતિ માટે નવ કલમો: તમામ શાસ્ત્રોનો સાર

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે, "મારે નેગેટિવ વિચારો નહોતા કરવા, છતાં તે આવી ગયા. મારે કોઈના વિશે કશું જ નેગેટિવ નહોતું બોલવું, છતાં બોલાઈ ગયું. મારે કોઈની સાથે ખરાબ વર્તન નહોતું કરવું, છતાં પણ તે થઈ ગયું." તો આવું કેમ થાય છે?

પરમ પૂજ્ય દાદાશ્રીએ આ ગૂંચવણ પાછળના રહસ્યનો ફોડ પાડ્યો છે. તેઓ કહે છે કે આપણા આજના વાણી, વર્તન અને વિચાર એ ગતભવમાં બંધાયેલા કારણોનું પરિણામ છે. કોઈ પણ  પરિણામમાં કોઈ ફેરફાર લાવી શકતું નથી. જો કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈ જશે.

તો પછી, આપણે આપણા ભાવો કેવી રીતે બદલી શકીએ? પરમ પૂજ્ય દાદાશ્રી આપણને ભગવાન પાસે કેવી રીતે પ્રાર્થના કરવી અને શું માંગવું તે માટે તમામ શાસ્ત્રોના સત્ત્વનો સાર કાઢીને આ નવ કલમો આપી છે.  આ નવ કલમો એ આપણા ભાવમાં ધરમૂળથી ફેરફાર કરવા માટેની ચાવી છે.

નવ કલમો બોલવાથી, આપણે આપણી બધી જ ભૂલો માટે ક્ષમા માંગીએ છીએ અને તે ભૂલો ફરીથી ના થાય તે માટે શક્તિ માંગીએ છીએ. નવ કલમો બોલવાથી (ભાવના ભાવવાથી), આપણા  અંદરના નવા ભાવો પ્યૉર થઈ જાય છે.

ચાલો, આ નવ કલમો પાછળના વિશાળ વિજ્ઞાનને સમજવા માટે નીચેના પ્રશ્નોનો અભ્યાસ કરીએ...

ધર્મોનો સાર

ભગવાન કોઈ પક્ષમાં હતા નહી. બધા ભગવાને એવું જ કહ્યું કે આત્મા જાણો અને મોક્ષને પામો. આ વીડિયોમાં નીરુમા બધા ધર્મોના સાર વિશે સમજાવે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. જ્યારે કોઈ ખોટું હોય ત્યારે શા માટે મારે તેનો અહમ્ ના દુભાવવો જોઈએ?

    A. પ્રશ્નકર્તા: ધંધામાં સામાવાળાનો અહમ્ દુભાય નહીં એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકના ને કોઈકના તો... Read More

  2. Q. વાણી કેવી રીતે સુધારવી? કઠોર(દુઃખદાયી) શબ્દો કેવી રીતે ટાળવા?

    A. દાદાશ્રી: કઠોર ભાષા નહીં બોલવી જોઈએ. કો'કની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે... Read More

  3. Q. ખોરાકની લાલચ હોય તો શું કરવું? આધ્યાત્મિક રીતે સમરસી ખોરાક એટલે શું?

    A. દાદાશ્રી: આ જમતી વખતે તમને અમુક જ શાક, ટામેટાનું જ ગમે, તે તમને ફરી યાદ આવ્યા કરે તો લુબ્ધપણું થયું... Read More

  4. Q. અભાવ અને તિરસ્કાર કેવી રીતે ટાળવા?

    A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિ‌‌ત્‌માત્ર પણ અભાવ, તિરસ્કાર... Read More

  5. Q. વિષયના વિચારો અને ઈચ્છાઓથી કેવી રીતે મુક્ત થવું?

    A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે... Read More

  6. Q. કોઈ પણ ધર્મનું પ્રમાણ શા માટે ના દુભાવવું?

    A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ પણ ધર્મનું કિંચિ‌‌ત્‌માત્ર પણ પ્રમાણ ન દુભાય, દુભાવાય કે... Read More

  7. Q. કોઈને મોક્ષમાર્ગ તરફ કેવી રીતે દોરી જવા?

    A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ... Read More

  8. Q. તમે તમારો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે વધારી શકો?

    A. એવું છે ને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે,... Read More

  9. Q. સાર, તમામ શાસ્ત્રોનો: નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે

    A. એક ભાઈને મેં કહ્યું કે આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ... Read More

  10. Q. ઋણાનુબંધમાંથી કેવી રીતે મુક્ત થવું?

    A. પ્રશ્નકર્તા: એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને? દાદાશ્રી: ના,... Read More

Spiritual Quotes

  1. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે!
  2. આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.
  3. જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે, તે તમારા દોષે કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહીં. અને તે તમારી બુદ્ધિ દોષિત દેખાડે છે કે, આણે ખોટું કર્યું.
  4. જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વીતરાગ ના થવાય. એ તો વીતરાગ થવું પડશે, તો છૂટાય!!
  5. અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો! આ મોક્ષ માર્ગનું રહસ્ય છે, તે જગતનાં લક્ષમાં હોય નહિને!
  6. આ નવ કલમો બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલાને, એ બધા ઢીલાં થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ.
  7. આપણે આ નવ કલમો છેને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે. બધો આખો સાર આવી જાય.
  8. કલમો તો જો વાંચેને, એ ભાવના ભાવેને તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય.
  9. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે.
  10. મજૂર હોય એનોય તિરસ્કાર નહિ કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય.
  11. વ્યક્તિગત વાત કરવી એ નિંદા ગણાય. સામાન્ય ભાવે વાત સમજવાની હોય. નિંદા કરવી એ તો અધોગતિએ જવાની નિશાની.
  12. તિરસ્કાર અને નિંદા જ્યાં હશે ત્યાં લક્ષ્મી નહીં રહે.
  13. કોઈ પણ ધર્મનું કિંચિત્‌માત્ર પ્રમાણ ના દુભાય એ જ આપણો ભાવ હોવો જોઈએ. ધર્મનું પ્રમાણ દુભાવવું છે અને મોક્ષ કરવો છે એ બે બને નહીં.
  14. જેટલાં અભિપ્રાય જેને માટે બંધાયા, તેટલાં અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય, તે આપણને ખૂંચ્યા જ કરતું હોય અને તે અભિપ્રાય આપણે છોડીએ, તો સહજ થવાય.
  15. સ્યાદ્‍વાદ વર્તન કોને કહેવાય કે જે વર્તન મનોહર લાગે, મનનું હરણ કરે તેવું લાગે.
  16. વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્‍વાદ વાણી નીકળે નહીં.
  17. સ્યાદ્‍વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત્‌માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિત્‌માત્ર ધર્મપ્રમાણ ના દુભાય.
  18. કોઈ પણ જાતનો અભિપ્રાય આપવો એ જવાબદારી છે!
  19. અભિપ્રાય બંધાયો કે રાગ-દ્વેષ થાય. જેનો અભિપ્રાય નહીં તેનો રાગ-દ્વેષ નહીં.
  20. ‘ફેક્ટ વસ્તુ’ના તો એક વાક્યમાં અનંત શાસ્ત્રોનો સાર ભરેલો હોય!
  21. આ પ્રેમમય માર્ગ છે. જગતમાં કોઈ ઉપર તિરસ્કાર ના આવે તે પરમાત્મા થઈ શકે!

Related Books

×
Share on