જો તમે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને ભૌતિક વસ્તુઓ તરફ તમને ખૂબ આકર્ષણ છે, તો તમને લાગશે કે તમારા માટે આધ્યાત્મિક યાત્રા સુગમ નથી. જો કે, આ સાચું નથી. તમે તો પણ આધ્યાત્મિક પ્રગતિ કરી શકો છો. તમારે માત્ર સાંસારિક જીવન જીવતા જીવતા પણ કઇ રીતે આધ્યાત્મિક રહી શકાય તેની ચાવી જાણવાની જ જરૂર છે.
આત્માને પ્રાપ્ત કરવા માટે જે કંઇ પણ કરવામાં આવે છે તે જ મુખ્ય વસ્તુ છે, કારણ કે તેના પરિણામે તેને અન્ય તમામ જરૂરિયાતની વસ્તુઓ તો મળી જ રહેશે.
એક વખત એક સાધકે પરમ પૂજ્ય દાદા ભગવાનને પૂછ્યું શું સાંસારિક ઇચ્છાઓ કે ભૌતિક વસ્તુઓ માટેની લાલસા આધ્યાત્મિકતા માટે અવરોધરૂપ છે કે નહિ. ચાલો જોઇએ તેમણે શું કહ્યું તે.....
પ્રશ્નકર્તા: શું ઇચ્છાઓ કે સાંસારિક સુખો માટેના પ્રયત્નો આધ્યાત્મિક પ્રગતિને અવરોધે છે, અને જો તેઓ અવરોધરૂપ છે તો કઈ રીતે?
દાદાશ્રી: સાંસારિક સમૃધ્ધિ માટે, તમારે એક દિશામાં જવું જોઇએ અને આધ્યાત્મિક સમૃધ્ધિ માટે બીજી દિશામાં. તેથી, જો તમે ખોટી દિશામાં જ જઈ રહ્યા હોવ તો તે અવરોધરૂપ થશે જ કઈ રીતે?
પ્રશ્નકર્તા: હા, બરાબર છે.
દાદાશ્રી: તેથી, તે સંપૂર્ણપણે જ અવરોધરૂપ છે. આધ્યાત્મિકવાદ અને ભૌતિક વાદ બન્ને વિરૂધ્ધ દિશામાં જ જઈ રહ્યા છે.
પ્રશ્નકર્તા: સાંસારિક સમૃધ્ધિ વિના કઈ રીતે રહી શકાય?
દાદાશ્રી: શું આ જગતમાં કોઇ ખરેખર સમૃધ્ધ છે ખરૂ? દરેક લોકો સાંસારિક સમૃધ્ધિની પાછળ પડ્યા છે, પરંતુ શું કોઇ પણ ખરેખર સફળ થયું છે?
પ્રશ્નકર્તા: કેટલાક થયા છે, પરંતુ બધા નથી થયા.
દાદાશ્રી: માણસ પાસે આની કોઇ સત્તા જ નથી. જો વ્યક્તિની સત્તામાં કંઇ ન હોય, તો પછી આ કારણ વગરના અજંપાનો શું મતલબ છે? તે બધું અર્થવિહિન જ છે!
પ્રશ્નકર્તા: જ્યાં સુધી વ્યક્તિને સાંસારિક લાભો માટેની ઘેલછા હોય, ત્યાં સુધી તે આધ્યાત્મિકતા તરફ કઈ રીતે જઈ શકે?
દાદાશ્રી: અત્યંત ઘેલછા હોવી તે સ્વીકાર્ય છે. ઇચ્છા ભલે હોય, પરંતુ તે માટેની સત્તા તમારા હાથમાં નથી.
પ્રશ્નકર્તા: ઇચ્છાઓ કઈ રીતે શાંત થઈ શકે?
દાદાશ્રી: ઇચ્છાઓના પરિણામો તો આવ્યા જ કરશે. તમારે તેના માટે ગભરાવાની જરૂર નથી. માત્ર તમારા આધ્યાત્મિક કાર્યને પકડી રાખો અને તેને અનુસરો. સાંસારિક સમૃધ્ધિ તો વધારાનું પરિણામ જ છે. તમારૂ મુખ્ય ઉત્પાદન તો આધ્યાત્મિક જ રાખો અને તેના બદલામાં તમને સાંસારિક સમૃધ્ધિ તો કોઇ પણ કિમત વિના મળશે જ.
પ્રશ્નકર્તા: ‘આધ્યાત્મિક કાર્યો કરવા’ એટલે તમે શું કહેવા માગો છો? આપણે તે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ?
દાદાશ્રી: સૌ પ્રથમ તો, શું તમે સમજો છો કે સાંસારિક સમૃધ્ધિ તમારા આધ્યાત્મિક ‘ઉત્પાદન’ની ‘બાય પ્રોડક્ટ’ જ છે?
પ્રશ્નકર્તા: તમે જે કહો છો તે હું માનું છું, પરંતુ મને તે સારી રીતે સમજાતું નથી.
દાદાશ્રી: તેથી, જો તમે તે માનો છો, તો પછી આ બધી સાંસારિક સુખ સવલતો ‘બાય પ્રોડક્ટ’ છે. ‘બાય પ્રોડક્ટ’ એટલે જે વસ્તુ મફતમાં છે. તમે આ જગતમાં ક્ષણિક સુખો મફતમાં જ મેળવી શકશો. તમારી આધ્યાત્મિક સુખોની ખોજમાં, તમે સાંસારિક સુખો વધારાના પરિણામ તરીકે મેળવી શકો છો.
પ્રશ્નકર્તા: મેં એવા ઘણા લોકો જોયા છે જેમને આધ્યાત્મિક્તામાં રસ ન હોય, તો પણ તેઓ સુખી અને સમૃધ્ધ હોય.
દાદાશ્રી: હા, તમે તેઓને આધ્યાત્મિક તરીકે નથી જોયા, પરંતુ તેઓએ પૂર્વભવમાં આધ્યાત્મિક કાર્યો કરેલ હોય જેના કારણે તેઓ આ જીવનમાં સાંસારિક સુખો ભોગવે છે.
પ્રશ્નકર્તા: તો એનો મતલબ એવો કે આ જીવનના આધ્યાત્મિક પ્રયત્નો પછીના જન્મમાં સરભર થશે?
દાદાશ્રી: હા, તમે પછીના જીવનમાં સારો ફાયદો મેળવી શકશો. આ જીવનમાં તમને ફળ દેખાશે, પરંતુ તે વ્યક્તિ જરા પણ આધ્યાત્મિક હોય નહિ.
આ બાબત એવું બતાવે છે કે દરેક જીવ સતત આધ્યાત્મિક પ્રગતિના માર્ગે જ હોય છે. કઈ રીતે? ચાલો સમજીએ....
જ્યારે આપણે આ સંસારમાં યાત્રા શરૂ કરીએ છીએ, ત્યારે આપણો આત્મા સંપૂર્ણ રીતે કર્મોના પરમાણુઓથી આવરાયેલો હોય છે. આ આવરણ આત્માની અજાગૃતિ અથવા અજ્ઞાનતા માટે જવાબદાર છે. જેમ જેમ આવરણ થોડું થોડું તૂટતું જાય, તેમ આત્માનો પ્રકાશ તે કાણામાંથી બહાર આવે છે અને જીવ એક ઇંદ્રિય જીવ તરીકે પ્રગતિના તબક્કે આગળ વધે છે, જ્યાંથી સ્પર્શની ઇન્દ્રિયની શરૂઆત થાય છે. આમ, આત્મા એક ઇન્દ્રિય જીવ તરીકેનો દેહ ધારણ કરે છે.
ઘણા જન્મો પછી, જ્યારે કેટલાક વધુ આવરણ આત્માના તૂટે છે, ત્યારે તે બે ઇન્દ્રિય જીવ તરીકે વિકસે છે. આગળ જતાં, વધુ ઘણા જન્મો પછી, જીવના વધુ આવરણો તૂટે છે અને ત્રણ ઇન્દ્રિય જીવ તરીકે વિકાસ પામે છે. આ રીતે પ્રગતિનો રસ્તો આગળ વધે છે. પાંચ ઇન્દ્રિય જીવ જેવા કે ગાય અને ચિમ્પાન્ઝી તરીકે, મન થોડું વિકસે છે. જ્યારે આત્મા માનવ દેહ ધારણ કરે છે; ત્યારે, મન, બુધ્ધિ, અહંકાર, ચિત અને જાગૃતિ વિકસે છે સાથે સાથે ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ પણ વધે છે.
જ્યારે આ વિકાસ થાય છે, ત્યારે જીવ ખૂબ જ ભોગવટા, દુ:ખ અને પીડા અનુભવે છે. વિકાસના દરેક તબક્કે, જીવ જૂદી જૂદી ભૌતિક વસ્તુઓ એક પછી એક રીતે ખેંચાયા કરે છે. જીવ દરેક વસ્તુમાંથી સુખ મેળવવાના પ્રયત્નો કર્યા કરે છે, અને કેટલાક સમય પછી, જ્યારે તે વસ્તુમાંથી કોઇ સુખ આવતું નથી, ત્યારે બીજી ભૌતિક વસ્તુઓ તરફ તેને આકર્ષણ થાય છે. જેમ જેમ જીવ એક ઇન્દ્રિય જીવમાંથી પાંચ ઇન્દ્રિય જીવ બને છે, તેમ તેમ તે સતત અનુભવો કરે છે, જાણ્યા કરે છે, અને છેલ્લે નક્કી કરે છે કે આ પાંચ ઇન્દ્રિયો દ્રષ્ટિ, સ્વાદ, સૂંઘવું, સાંભળવું કે સ્પર્શ કરવું તેમાં કોઇ સુખ છે નહિ.
પાંચ ઇન્દ્રિય દ્વારા અને અહંકાર, બુધ્ધિ, મન, અને ચિત્ત; દ્વારા આપણે સાંસારિક સુખોનો અનુભવ કરીએ છીએ. આ અનેક જન્મો સુધી ચાલુ જ રહે છે, અને છેલ્લે, આપણે એવું સમજીએ છીએ કે આ ભૌતિક જગતમાં કંઇ કાયમી સુખ નથી; બધા ભૌતિક સુખો નાશવંત છે અને ભૌતિક વસ્તુઓ પણ નાશવંત છે – તેઓ ફક્ત ક્ષણિક સુખો જ આપી શકે.
આવું ત્યારે બને જ્યારે વ્યક્તિ કાયમી સુખની ખોજ શરૂ કરે.
જીવ એવી જગ્યા શોધે છે કે જ્યાં તે કાયમી સુખ મેળવી શકે. આ માત્ર આધ્યાત્મિક્તા જ છે કે જે આવું સુખ આપી શકે છે. એટલા માટે જ જીવ એનો જવાબ શોધવાનું શરૂ કરે છે કઈ રીતે સંસારી જીવનમાં અધ્યાત્મિક બની શકાય.
આત્મા કાયમી છે અને તે અનંત આનંદનું ધામ છે! જ્યારે જીવને એવો ખ્યાલ આવે છે કે, ‘હું શુદ્ધાત્મા છું’ ત્યારે તેને કાયમી સુખનો સ્વાદ આવે છે. ત્યાર પછી, તે જેટલી વધુ ને વધુ શુધ્ધ આત્માની જાગૃતિમાં રહે; તેમ ભૌતિક વસ્તુઓ તરફના તેના રાગ દ્વેષ થવાનું બંધ થઈ જાય.
આ જાગૃતિ નવા કર્મો બાંધવાનું પણ બંધ કરાવી દે. તેથી, ધીમે ધીમે, જૂના કર્મો એક પછી એક ફળ આપવા માટે તૈય્રાર થાય છે અને પૂરા થાય છે. સમય જતાં, આત્મા એવી સ્થિતિમાં આવે છે કે જ્યાં તે બધા આવરણોથી મુક્ત થાય છે.
જ્યારે અજ્ઞાનનું કે કર્મનું કોઇ આવરણ આત્મા ઉપર રહેતું નથી, ત્યારે તે કાયમી સુખનો અનુભવ કરે છે અને જન્મ અને મરણના ચક્કરમાંથી કાયમનો છૂટકારો મેળવે છે!!
માટે, એવી સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી છે, જ્યાં જીવને એવો અનુભવ થાય છે, અને એવા તારણ ઉપર આવે છે કે બધી ભૌતિક વસ્તુઓ નાશવંત છે અને તેથી તેમાંથી પ્રાપ્ત થતા સાંસારિક સુખો પણ નાશવંત છે.
તેથી, સંસારી જીવન જીવતા જીવતા આધ્યાત્મિકતાના માર્ગની સમજણ અનુસરવી જોઇએ. જ્યારે સંસારી જીવન જીવતા જીવતા અને બધી સાંસારિક ઇચ્છાઓ સાથે, કઇ રીતે આધ્યાત્મિક જીવન શરૂ કરવું , તે માટે આપણે બધાએ હ્રદયપૂર્વક પ્રાર્થના કરવી જોઇએ કે, “હે ભગવાન! કુદરતી રીતે જ બધી સાંસારિક સુખોની ઇચ્છાઓનો અંત આવે. આ માટે કૃપા કરો.”
A. આધ્યાત્મિકતાની વ્યાખ્યા આપવી એ એક સરળ નથી, કારણ કે વર્ષોથી લોકો અલગ-અલગ દ્રષ્ટિકોણથી તેને સમજે છે.... Read More
Q. આધ્યાત્મિકતા શા માટે જરૂરી છે?
A. આધ્યાત્મિકતા એટલે આત્માની ઓળખાણ કરવી, આપણા દરેકની અંદર રહેલી ચેતના એ જ આત્મા. આવી ઓળખાણ કરવી શા... Read More
Q. આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે?
A. આધ્યાત્મિકતા અને ધર્મ બન્ને સમાન નથી. બન્ને વચ્ચે મોટો તફાવત છે. માટે, ચાલો જાણીએ કે આધ્યાત્મિકતા... Read More
Q. શું આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે ભૌતિક સુખ સાધનનો ત્યાગ કરવો જરૂરી છે?
A. આજના સમાજમાં એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે જો કોઇ આધ્યાત્મિક માર્ગે જવા ઇચ્છે છે તો, તેણે બધી... Read More
Q. આધ્યાત્મિકતાના જુદા જુદા પ્રકારો ક્યા છે?
A. આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના આ જગતમાં બે પ્રકાર છે, જે આ મુજબ છે: ક્રમિક : આ... Read More
Q. આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે ક્યા ક્યા અવરોધો આવે છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન આધ્યાત્મિક સાધકોને ત્રણ ખૂબ જ ભયંકર ટેવો બાબતે ચેતવે છે, જે સમય જતાં આપણી... Read More
subscribe your email for our latest news and events