પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ?
દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ થયોને, ને જન્મ થયો એટલે મૃત્યુ થયા વગર રહે જ નહીં ! કોઈ પણ વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય. અને આત્મા અજન્મા-અમર છે, તેને મૃત્યુ જ નથી હોતું. એટલે જેટલી વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય અને મૃત્યુ છે તો જન્મ પામશે. એટલે જન્મની સાથે મૃત્યુ જોઈન્ટ થયું છે. જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ !
પ્રશ્નકર્તા : મૃત્યુ શા માટે છે ?
દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ દેહનો જન્મ થયોને એ એક સંયોગ છે, એનો વિયોગ થયા વગર રહે જ નહીંને ! સંયોગ હંમેશાં વિયોગી સ્વભાવના જ હોય. આપણે સ્કૂલમાં ભણવા ગયા હતા. તે શરૂઆત કરી હતી કે નહીં, બિગિનિંગ ? પછી એન્ડ આવ્યો કે ના આવ્યો ? દરેક વસ્તુઓ બિગિનિંગ અને એન્ડવાળી જ હોય. અહીં આગળ તે આ બધી જ વસ્તુઓને બિગિનિંગ ને એન્ડ હોય. ના સમજાયું તને ?
પ્રશ્નકર્તા : સમજાયુંને !
દાદાશ્રી : આ બધી વસ્તુઓ બિગિનિંગ-એન્ડવાળી, પણ બિગિનિંગ ને એન્ડને જાણે છે, એ જાણનાર કોણ છે ?
બિગિનિંગ-એન્ડવાળી વસ્તુઓ બધી જ છે તે ટેમ્પરરી વસ્તુઓ છે. જેનું બિગિનિંગ હોયને એનો એન્ડ હોય, બિગિનિંગ થાય એનો એન્ડ હોય જ અવશ્ય. એ બધી ટેમ્પરરી વસ્તુઓ છે, પણ ટેમ્પરરીને જાણનાર કોણ છે ? તું પરમેનન્ટ છું. કારણ કે તું આ વસ્તુઓને ટેમ્પરરી કહું છું માટે તું પરમેનન્ટ છું. જો બધી જ વસ્તુ ટેમ્પરરી હોય તો પછી ટેમ્પરરી કહેવાની જરૂર જ ન્હોતી. ટેમ્પરરી સાપેક્ષ શબ્દ છે. પરમેનન્ટ છે તો ટેમ્પરરી છે.
Book Name :મૃત્યુ સમયે, પહેલાં અને પછી (Page # 27 Paragraph # 4,#5,#6 Page #28 Paragraph #1,#2,#3,#4)
A. પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ? દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ... Read More
Q. શું તમને મૃત્યુનો ભય લાગે છે?
A. આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની... Read More
Q. જીવનનાં છેલ્લાં કલાકોમાં શું થાય છે?
A. મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે... Read More
A. પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ? દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી,... Read More
A. મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા... Read More
Q. આત્મા શરીર છોડી જાય પછી શું થાય છે?
A. પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી... Read More
Q. શું મનુષ્યમાંથી મનુષ્યમાં જ જવાના?
A. પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ? દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે... Read More
Q. શું મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો?
A. પ્રશ્નકર્તા : 'થિયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ... Read More
Q. શું જ્ઞાન પછીની સનાતન શાંતિ આ જન્મ પૂરતી જ થાય?
A. પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ? દાદાશ્રી : ના.... Read More
subscribe your email for our latest news and events