• question-circle
  • quote-line-wt

શીખો ક્લેશ રહિત જીવન જીવવાનું

આ જીવનનો ધ્યેય શો છે? સહુ કોઈ જીવન તો જીવી જાય છે, પણ ખરું જીવન તેને જીવાયું કહેવાય કે જે જીવન ક્લેશ વિનાનું હોય !

પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી હોવા છતાં અતિ અતિ ક્લેશ એ બંનેમાં જ જોવા મળે છે. આ ક્લેશમય જીવનનું મુખ્ય કારણ જ અણસમજણ ! ઘરમાં મા-બાપ છોકરાં વચ્ચેની કચકચનો અંત સમજણથી જ આવે.

ક્યાંથી સાસુ-વહુ જોડેનો વ્યવહાર, ધંધામાં શેઠ-નોકર કે વેપારી-વેપારી કે ભાગીદારો સાથેના વ્યવહારને કે બીજા કોઈ પણ સાથે ના વ્યવહારને પણ કલેશરહિત કેમ જીવવો તેની ચાવીઓ મળે?

ચાવીરૂપ જવાબો શોધવા માટે આ વેબ પેઈજ પર આગળ વાંચો.

ક્લેશથી મુક્તિ

લોકો આ કાળમાં આર્થિક, શારીરિક, માનસિક મુશ્કેલીઓ અનુભવે છે. ચિંતા અને ટેન્શનમાં મનુષ્યો જાનવરગતિ બાંધે છે, ખરાબ કે સારો સમય તો આવે છે અને જાય છે પરંતુ ખરાબ સંજોગો વખતે આપણી હિંમત હશે તો એનું સોલ્યુશન આવી જશે. એ માટેની સમજણ માટે ક્લિક કરો.

play
previous
next

Top Questions & Answers

  1. Q. દુઃખ ખરેખર શું છે?

    A. દુઃખ કોને કહેવાય? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય.... Read More

  2. Q. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

    A. પ્રશ્નકર્તા: દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તોય કઈ અસર થતી... Read More

  3. Q. આપણા શબ્દો બાળકોને દુઃખ પહોંચાડે... તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?

    A. દાદાશ્રી: આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે અને... Read More

  4. Q. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?

    A. પ્રશ્નકર્તા: સુધરેલાની વ્યાખ્યા?  દાદાશ્રી: સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો... Read More

  5. Q. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?

    A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી.  દાદાશ્રી: એ... Read More

  6. Q. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?

    A. પ્રશ્નકર્તા: આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો... Read More

  7. Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?

    A. દાદાશ્રી: આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઈ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે?... Read More

  8. Q. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?

    A. દાદાશ્રી: જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ... Read More

  9. Q. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?

    A. દાદાશ્રી: અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઈફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે.... Read More

  10. Q. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?

    A. પ્રશ્નકર્તા: સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર... Read More

  11. Q. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?

    A. દાદાશ્રી: આ ધંધો શેને માટે કરો છો? પ્રશ્નકર્તા: પૈસા કમાવવા. દાદાશ્રી: પૈસા શેને... Read More

  12. Q. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?

    A. આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ... Read More

  13. Q. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?

    A. પ્રશ્નકર્તા: દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. દાદાશ્રી: આ... Read More

Spiritual Quotes

  1. બહારની વઢવાડ એકાવતારી હોય અને અંદરની વઢવાડ સો-સો અવતાર. લાખ-લાખ અવતાર સુધી ચાલ્યા કરે !
  2. ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.
  3. ક્લેશરહિતનું મન થયું તે 'મોક્ષ'. ક્લેશ સાથેનું મન તે 'સંસાર'.
  4. ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે.
  5. જ્યાં કંઈ પણ ક્લેશ છે ત્યાં ભગવાને ય નથી ને ધર્મે ય નથી.
  6. પાત્રતા ક્યાં હોય? સંસારમાં ક્યારેય પણ ક્લેશ ના થતો હોય તે પાત્ર કહેવાય.
  7. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન નથી.
  8. કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય.
  9. ‘વ્યૂ પોઈન્ટ’ જ મતભેદ ઊભા કરાવનાર છે.
  10. મતભેદ થાય ત્યારે ઝઘડો થાય. મનભેદ થાય ત્યારે 'ડાયવોર્સ' થાય. તનભેદ થાય  ત્યારે નનામી નીકળે. 
  11. કેવું સ્ટેજ પ્રાપ્ત હોવું જોઈએ ? આપણાં ઘરમાં ક્લેશ ક્યારેય પણ ના થાય, એવી આપણી બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. બીજું બધું ચાલે પણ અંતરક્લેશ ના થવો જોઈએ.
  12. સામો માણસ ભૂલ કરીને આવે તેની કિંમત નથી, પણ ક્લેશ થાય તેની બહુ કિંમત છે.  ક્લેશ છે ત્યાં ભગવાનનો વાસ નથી.
  13. ક્લેશ કરાવનારું કોણ ? અજ્ઞાન !!!
  14. મોઢું ચઢાવીને ઘરમાં બેસે, તે ક્લેશ કહેવાય.
  15. જેને મનથી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી, તેનો સંસાર આથમી ગયો !
  16. ક્લેશનું કારણ દ્વેષ છે. ભગવાને શું કહ્યું કે દ્વેષ ના રાખશો. ના ગમે તો ઉપેક્ષા કરજો.
  17. આખો સંસાર શાનાથી ઊભો છે ? ક્લેશથી.
  18. એક ફેર ઝઘડો કરવો તે પાંચ હજાર રૂપિયાનું નુકસાન કર્યા બરાબર છે.
  19. મતભેદ એ અથડામણ છે ને અથડામણ એ 'વીકનેસ' (નબળાઈ) છે.

Related Books

×
Share on