દાદાશ્રી: આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ગાડીએ વહેલો જા. તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે? છોકરાં મોટા થયા છે, એ કંઈ દાદરેથી પડી જાય છે? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો? આ છોકરાં જોડેનો તો રિલેટિવ ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતા મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય.
૧) નાનાં છોકરાં-છોકરીઓને સમજાવવું કે સવારે નાહીધોઇને સૂર્યપૂજા કરવી, ને રોજ ટૂંકામાં બોલે કે, મને તથા જગતને સદ્બુધ્ધિ આપો, જગતનું કલ્યાણ કરો. આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય, અને માબાપનું કર્મબંધન છૂટ્યું. આ તો બધું ફરજીયાત છે. મા-બાપ પાંચ હજારનું દેવું કરીને છોકરો ભણાવ્યો હોય તેમ છતાં કોઇ દિવસ છોકરો ઉદ્ધતાઇ કરે તો, બોલી ના બતાવાય કે અમે તને ભણાવ્યો. એ તો આપણે 'ડ્યુટી બાઉન્ડ' હતા, ફરજિયાત હતું. ફરજિયાત હતું તે કર્યું. આપણે આપણી ફરજ બજાવવી.
૨) દરરોજ સવારના દિલથી પાંચ વાર પ્રાર્થના કરવી કે 'પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિતમાત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો !' અને તેમ છતાં કોઈને ભૂલથી દુઃખ દેવાઈ જાય તો તેનો હ્રદયપૂર્વક પસ્તાવો કરી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરી લઈ ધોઈ નાખવાથી જીવન ખરેખર શાંતિમય જાય છે.
Book Name: ક્લેશ વિનાનું જીવન (Page #33 Paragraph #1)
A. દુઃખ કોને કહેવાય? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય.... Read More
Q. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. પ્રશ્નકર્તા: દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તોય કઈ અસર થતી... Read More
Q. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
A. પ્રશ્નકર્તા: સુધરેલાની વ્યાખ્યા? દાદાશ્રી: સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો... Read More
Q. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
Q. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો... Read More
Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?
A. દાદાશ્રી: આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઈ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે?... Read More
Q. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
A. દાદાશ્રી: જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ... Read More
Q. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?
A. દાદાશ્રી: અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઈફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે.... Read More
Q. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?
A. પ્રશ્નકર્તા: સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર... Read More
Q. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. દાદાશ્રી: આ ધંધો શેને માટે કરો છો? પ્રશ્નકર્તા: પૈસા કમાવવા. દાદાશ્રી: પૈસા શેને... Read More
Q. આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?
A. પ્રશ્નકર્તા: આદર્શ ધંધો કોને કહેવાય? દાદાશ્રી: ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને... Read More
Q. ધંધાના જોખમો જાણી, નિર્ભય રહો.
A. દાદાશ્રી: દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તોય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તોય આખી... Read More
Q. આજના સમયમાં જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરે છે, તો તેને ખોટ જાય છે, એવું શા માટે?
A. પ્રશ્નકર્તા: આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ... Read More
Q. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય... Read More
Q. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે... Read More
Q. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
A. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન... Read More
Q. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
A. પ્રશ્નકર્તા: ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું? દેવું ખૂબ થઈ ગયું... Read More
Q. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
A. આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ... Read More
Q. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
A. પ્રશ્નકર્તા: દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. દાદાશ્રી: આ... Read More
subscribe your email for our latest news and events