દાદાશ્રી: જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ 'એડજસ્ટમેન્ટ' આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. સુવાળાં જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય, પણ વાંકા-કઠણ-કડક જોડે, બધા જ જોડે 'એડજસ્ટ' થતા આવડ્યું તો કામ થઈ ગયું. મુખ્ય વસ્તુ 'એડજસ્ટમેન્ટ' છે. 'હા'થી મુક્તિ છે. આપણે 'હા' કહ્યું તો પણ 'વ્યવસ્થિત'ની બહાર કાંઈ થવાનું છે? પણ 'ના' કહ્યું તો મહા ઉપાધિ!
ઘરના ધણી-ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે, મારે 'એડજસ્ટ' થવું છે, તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો 'આપણે' 'એડજસ્ટ' થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો’તો, પણ તે બીજાને ન્હોતો કહેતો, પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી 'એડજસ્ટ' કર્યું! એવું 'એડજસ્ટ' થઈએ તો ઉકેલ આવે. મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નહીં, છતાં મતભેદ પડી જાય છે ને? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઈએ ને ઓઢીને સૂઈ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે, તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય? સંસાર એ ઝઘડાનું સંગ્રહસ્થાન છે. કોઈને ત્યાં બે આની, કોઈને ત્યાં ચાર આની ને કોઈને ત્યાં સવા રૂપિયા સુધી પહોંચી જાય છે!
અહીં ઘેર 'એડજસ્ટ' થતા આવડતું નથી ને આત્મજ્ઞાનના શાસ્ત્રો વાંચવા બેઠા હોય! અલ્યા, મેલ ને પૂળો અહીંથી, પહેલું 'આ' શીખને. ઘરમાં 'એડજસ્ટ' થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત! એટલે કામ કાઢી લેવા જેવું છે.
અખતરો તો કરી જુઓ !!
ક્લેશ ના થાય એવું નક્કી કરો ને! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને! અખતરો કરવામાં શું વાંધો છે. ત્રણ દિવસના ઉપવાસ કરે છે ને તબિયત માટે? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધા ભેગા થઈને નક્કી કરો કે, 'દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ.' પછી જુઓ.
Book Name : ક્લેશ વિનાનું જીવન (Page #119 Paragraph #1,#2,#3)
A. દુઃખ કોને કહેવાય? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય.... Read More
Q. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. પ્રશ્નકર્તા: દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તોય કઈ અસર થતી... Read More
Q. આપણા શબ્દો બાળકોને દુઃખ પહોંચાડે... તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. દાદાશ્રી: આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે અને... Read More
Q. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
A. પ્રશ્નકર્તા: સુધરેલાની વ્યાખ્યા? દાદાશ્રી: સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો... Read More
Q. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
Q. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો... Read More
Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?
A. દાદાશ્રી: આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઈ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે?... Read More
Q. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?
A. દાદાશ્રી: અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઈફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે.... Read More
Q. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?
A. પ્રશ્નકર્તા: સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર... Read More
Q. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. દાદાશ્રી: આ ધંધો શેને માટે કરો છો? પ્રશ્નકર્તા: પૈસા કમાવવા. દાદાશ્રી: પૈસા શેને... Read More
Q. આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?
A. પ્રશ્નકર્તા: આદર્શ ધંધો કોને કહેવાય? દાદાશ્રી: ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને... Read More
Q. ધંધાના જોખમો જાણી, નિર્ભય રહો.
A. દાદાશ્રી: દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તોય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તોય આખી... Read More
Q. આજના સમયમાં જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરે છે, તો તેને ખોટ જાય છે, એવું શા માટે?
A. પ્રશ્નકર્તા: આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ... Read More
Q. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય... Read More
Q. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે... Read More
Q. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
A. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન... Read More
Q. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
A. પ્રશ્નકર્તા: ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું? દેવું ખૂબ થઈ ગયું... Read More
Q. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
A. આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ... Read More
Q. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
A. પ્રશ્નકર્તા: દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. દાદાશ્રી: આ... Read More
subscribe your email for our latest news and events