ખરેખર તો, આ સમાન દૃષ્ટિકોણ આપણને જીવનના દરેક ક્ષેત્રમાં સરળ અને ઝડપી સફળતા મેળવવા માટે આ બે મુખ્ય ચાવીઓ અનુસરવા માટે સમર્થ બનાવે છે.
- આપણા ધ્યેય પ્રત્યે સિન્સિયર રહીએ.
- ગમે તેવા કપરાં સંજોગોમાં પણ હતાશ થયા વગર પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જોઈએ.
અબ્રાહમ લિંકન અને હેલન કેલર જેવા ઈતિહાસના અનેક મહાન વ્યક્તિઓએ પણ આ જ સંદેશ આપ્યો છે, જેમણે આ બે ચાવીઓ દ્વારા તેમણે તેમના જીવનમાં મોટી સફળતાઓ મેળવી છે. અબ્રાહમ લિંકન ઘણું ખરું પોતાની રીતે જ ભણ્યા હતા, છતાં પણ તેઓ અમેરિકાના સોળમા રાષ્ટ્રપતિ બન્યા, ગુલામીની પ્રથા નાબૂદ કરી અને સરકારમાં આધુનિક સુધારા લાવી શક્યા. તેવી જ રીતે, હેલન કેલર સાંભળી કે જોઈ શકતા ન હોવા છતાં ‘બેચલર ઓફ આર્ટસ’ની ડિગ્રી મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમણે પોતાનું આખું જીવન દુનિયાભરના દિવ્યાંગ લોકોની મદદ કરવામાં સમર્પિત કરી દીધું હતું. એટલું જ નહીં, તેઓ ‘અમેરીકન ફાઉન્ડેશન ફોર ધી બ્લાઈન્ડ’ સંસ્થાના સ્થાપક પણ છે.
ઘણા લોકોએ આ સમાન દૃષ્ટિકોણનો અનુભવ કર્યો છે. જેઓ હવે નિષ્ફળતામાં અટકી જવા કે સફળતાની પાછળ પડવાને બદલે બંનેને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા તરીકે માને છે.




