શું તમે ક્યારેય અનુભવ કર્યો છે કે કોઈ પણ પરિસ્થિતને નકારાત્મકતાથી જોવાની અજ્ઞાનતાના કારણે હતાશાની શરૂઆત થાય છે? આવી પરિસ્થિતિમાં, આપણે એવું માની લઈએ છીએ કે બધું જ આપણી વિરુદ્ધમાં જઈ રહ્યું છે. અને આ જ નેગેટીવ દ્રષ્ટિકોણ કે દ્રષ્ટિના પરિણામે નકારાત્મક વિચારો ઉદ્ભવે છે.

નીચેના વાક્યો ધ્યાનમાં લઈએ:

  • "તમે અક્કલ વગરના છો!"
  • “તમે કોઈ કામના નથી.”
  • "તમે નાલાયક છો."
  • "તે તમારા કરતા બધી રીતે સારા છો."
  • "તમે નકામા છો અને ક્યારેય સુધરશો નહિ."
  • "તમને કોઈ પ્રેમ કરતું નથી. બધા તમને ધિક્કારે છે. "
Depression
Depression

જો તમે આ વાક્યો વારંવાર સાંભળો તો તમને કેવી અસર થાય? તમે કદાચ એને અપમાન ગણો કે અયોગ્ય ગણો અને સમય જતા તમે હતાશાનો ભોગ બની જાઓ. આવું ત્યારે બની શકે જ્યારે લોકોએ થોપેલા નેગેટીવ અભિપ્રયોને સાચા માનવા લાગો. દાખલા તરીકે, સૌથી પ્રથમ તમારી જાતને પૂછો કે, "શું હું ખરેખર નકામો છું?",“શું હું ખરેખર નાલાયક છું?" અને ધીમે ધીમે તમે માનવા લાગશો કે "હું નકામો છું", "હું સાવ નાલાયક છું".જુદા જુદા લોકો તરફથી જુદી જુદી પરિસ્થિતિઓમાં વારંવાર મળેલા નેગેટીવ પ્રતિભાવોના લીધે તમારી વિચારસરણી બદલાવા લાગશે અને તમે કંઈ પણ સમજી શકો તે પહેલા, સેલ્ફ નેગેટીવિટી તમારામાં પેસી ગઈ હશે.

તો આ બધી નેગેટીવિટીનું પરિણામ શું આવશે? જો તમારી સમજણ ખોટી હોય તો, તમારી વૃત્તિઓ, તમારા વિચારો, અને અભિપ્રાયો નકારાત્મકતા તરફ વળી જશે, જેનાથી સતત આંતરિક બેચેની અને આંતરિક અજંપો ઉભો થશે. જો કે, આ બધા પ્રતિકૂળ કે અણગમતા સંજોગોમાં ઊભા થયેલા આપણા પોતાના જ પડઘા છે. છતાં પણ તેનો અવિરત વ્યાપ, પોતાના માટે જ હતાશા, હિંસક કે દુઃખદાયક વૃત્તિઓ કે આશયોવાળી અસ્વસ્થ માનસિક પરિસ્થિતિ ઉભી કરે છે. "હું નકામો છું, માટે આ જીવનમાં હવે જીવવા જેવું કંઈ જ નથી.", "હું જીવનમાં કંઈ પણ સારું કરી શકતો નથી માટે હું આત્મહત્યા કરી લઉં તો બીજા માટે સારું રહેશે." “હું ક્યારેય સુધરી શકીશ નહી માટે હવે મારી જાતને સજા આપવી જોઈએ.” અને પછી આવી બીજી અનેક માન્યતાઓ અથવા અભિપ્રાયો અંદર ઘર કરી જાય. પોતાની જાત માટેની આવી માન્યતાઓ અને અભિપ્રાયો, એ હતાશાની શરૂઆત થઈ ચૂકી હોવાના જોખમી લક્ષણો છે.

પરંતુ એક મિનિટ રાહ જુઓ! જો તમે આ જાણતા હો તો શું તમે એવું ચાલવા દેશો .....

  • જેને આક્ષેપો કે અપમાનનો સામનો કરવો પડે છે તે તમે નથી પણ તમારો અહંકાર છે. તમે અને તમારો અહંકાર બંને તદ્દન જુદા છે.
  • જે હતાશ છે તે તમે નથી પણ તમારો અહંકાર છે.
  • કોઈ પણ કાર્ય થવા માટે ઘણા બધા સંયોગો ની જરૂર પડે છે, તેથી કોઈ પણ કાર્ય ના કરી શકવાની તમારી અસમર્થતા એ સંપૂર્ણપણે તમારી જ ભૂલ ના ગણાય કારણકે તમે તો માત્ર એક સંયોગ જ છો.
  • હતાશાવાળા કે નકારાત્મક સંજોગોનું નિર્માણ કે જે દુઃખ અને આંતરિક અજંપા(અશાંતિ) ઉભા કરાવે છે તે પૂર્વ જન્મના કર્મોનું ફળ છે. આજે તે તમારા કાબુમાં નથી.

જો તમે અને તમારો અહંકાર બંને જુદા છે તો પછી તમે કોણ છો? તમારી ખરી ઓળખ શું છે? આનો જવાબ, અક્રમ વિજ્ઞાનના જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાભગવાન દ્વારા, માત્ર ૨ કલાકના આત્મસાક્ષાત્કારના પ્રયોગ(જ્ઞાનવિધિ)થી સરળતાથી મેળવી શકાય છે.આ વૈજ્ઞાનિક વિધિ દ્વારા 'આઈ'(આત્મા) એ 'માય'(અહંકાર)થી જુદો પડી જાય છે. હતાશા(ડીપ્રેશન) જેવા આપણા અંતર શત્રુઓને જીતવા માટે દાદાશ્રીએ બતાવેલ આ વૈજ્ઞાનિક રસ્તો મદદરૂપ થાય છે.

આત્મા જ્ઞાન પ્રાપ્તિ પછી, કોઈ પણ પરિસ્થિતિ તમને હતાશ નહી કરી શકે. કારણ કે આ આનંદમય દશા તમારી અંદર એની મેળે જ શરુ થઇ જાય છે.આ વિધિ દરમિયાન આત્મા અને અહંકાર કાયમ માટે જુદા પડવાથી આ પરમ સુખ ઉત્પન્ન થાય છે જે તમને હતાશમાં જતા રોકે છે.

કારણ કે હવે તમને ખબર છે કે તમે કોણ છો, માટે નકારાત્મક સંજોગો માટેનો તમારો દ્રષ્ટિકોણ તરત જ બદલાઈ જશે. હવે અપમાન, આક્ષેપો, નિર્બળતા અને નિષ્ફળતા બધું અહંકારનું છે મારું નહી એવી જગૃતિ તમને સહેજેય રહેશે.

આનાથી વધારે હતાશાનો કાયમી ઉકેલ બીજો શું હોઈ શકે?

પરમ પૂજ્ય દાદાભગવાન હતાશાનો ઉકેલ લાવવાની ચાવીઓ આપતા કહે છે કે,

Depression
Depression
  • જ્યારે કોઇ એમ કહે કે, “હું હતાશ છું.” ત્યારે હતાશાનો બોજો દસ ગણો વધી જાય. અને જ્યારે તે કહે કે,”હું હતાશ નથી.” ત્યારે બોજો દસ ગણો ઘટી જાય.
  • તમારે ‘એલીવેશન’ કે ‘ડીપ્રેશન’ને તમારા માથે ના લેવું જોઈએ. કંઈ જ થવાનું નથી. કંઈ જ ખોટું નથી થઈ રહ્યું.
  • જ્યારે હતાશા આવે છે, ત્યારે જેવું તમે કહો કે, ‘ન્હોય મારું’, તેવું તમે આત્માનો અનુભવ કરશો. બહાર ડીપ્રેશન આવશે અને અંદર એક શાંતિ વર્તાશે. આ મારો સ્વભાવ નથી’ એવું કહેતાની સાથે જ, આત્મામાં સ્થિર થઈ શકાય છે. સારું કે ખરાબ, દરેક સંયોગ અનાત્માનો છે. એક પણ સંયોગ આત્માને લાગુ પડતો નથી. સંયોગમાત્ર અનાત્માનો છે. આપણી સામે જે પણ સંયોગ આવે છે તે પૂર્વે કરેલી આપણી ભૂલનું જ પરિણામ છે. ‘ન્હોય મારું’ શબ્દની વૈજ્ઞાનિક અસર(ઈફેક્ટ) થાય છે. કોઈ પણ વ્યકિત જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહી શકે કે ના રહી શકે પણ ‘ન્હોય મારું’ કહેતાની સાથે તરત જ જુદાપણાનો અનુભવ થાય છે!
  • જો હતાશા(ડીપ્રેશન) આવે તો તેની સાથે તન્મયાકાર ના થશો, તેની સામા થાજો. કોઈ પણ પરિસ્થિતિમાં, જ્યારે પણ હતાશા (ડીપ્રેશન) આવે ત્યારે આત્માનો અનુભવ થઈ શકે છે, જો તેણે અમારું આ જ્ઞાન લીધું હોય તો. તે ડીપ્રેશનમાં જ્યાં નિરંતર અંતર સુખ છે; તે તમારું પોતાનું સ્થાન છે. આ જ્ઞાન એવું છે કે જે તમને એ જગ્યા શોધવામાં મદદ કરશે. ઘણીવાર જ્યારે આ સંસાર વ્યવહારમાં મુશ્કેલીઓ આવે છે, ત્યારે પણ જ્યાં નિરંતર સુખ છે; તે તમારું પોતાનું સ્થાન છે. આ રીતે, તમે તે સ્થાન શોધી શકશો. ‘ આ મારું સ્થાન છે અને આ મારું સ્થાન નથી!’ નહિ તો ગમે તે પ્રકારના કર્મો આવે, ખાલી એટલુ જ કહો, ‘આ મારું ન્હોય’ અને તે તમને છોડી દેશે, કારણકે આ તમારું છે અને તે કોઈ બીજાનું છે. તે આવી રીતે જુદું થાય છે, નહીં?

પ્રશ્નકર્તા : ખરેખર ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે કે આ અનાત્મ વિભાગમાં થઈ રહ્યું છે.

દાદાશ્રી : એ જ આત્મા. એના બદલે આ તો હતાશામાં ટાઢાંટપ થઈ જાય છે. એવું છે ને, ડિપ્રેશન આવે ત્યારે આપણે તેને એલિવેટ કરવાની જરૂર છે. બીજું શું કરવાનું હોય? રોજ રોજ એલિવેટ કરવાની જરૂર નથી. જ્યારે ડિપ્રેશન આવે ત્યારે જ કહેવાની જરૂર છે કે ‘હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનું ધામ છું.’

જ્યાં ક્યારેય પણ ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી. એ જ અનંત સુખની જગ્યા છે. જો તમે આ બોલશો તો ઝડપથી પોતાના સ્થાન પર પહોંચી જશો.

  • ડિપ્રેશન આવે તે ઘડીએ 'આ મારું સ્વરૂપ ન્હોય', 'હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું', તે જુદું છે એવું નક્કી થઈ જાય, તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ સાચવ કરવાની, એને જ પોષ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે.

પ્રશ્નકર્તા : અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને ? ડિપ્રેશન ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતાં આ વખતે ઓછું છે કે વધારે છે?

દાદાશ્રી : હા, બધું જાણે.

પ્રશ્નકર્તા : જેમ ડિપ્રેશનનાં જાણકાર તરીકે રહેવાનું છે તેવી રીતે એલીવેશન વખતે પણ જાણકાર તરીકે રહે તો ડિપ્રેશન આવે એવો વખત જ ના આવે ને ?

દાદાશ્રી : જો પોતાનાં માટે કંઇક સારું સાંભળે તે ઘડીએ માનથી ટાઈટ થયો હોય એટલે ‘આત્મા’ જાણી જાય કે છાતી કાઢી. એલીવેટ થયું છે માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં.

“આ જગત માં એવી કોઈ જગ્યા કે સંજોગો નથી કે જે તમને (આત્માને) ડિપ્રેશ કરી શકે. હવે જો તમે અહીં બધું સમર્પણ કર્યું છે, તો કર્તાપણુ(અહંકાર) જતું રહેશે. આ જ્ઞાન પછી, તમને પણ કોઈ ડિપ્રેશન કે એલિવેશન નહી રહે. પછી કોઈ તમને ધમકાવે કે જેલમાં નાખી દે, તો પણ તમને ડિપ્રેશન નહી આવે, અને આને વિજ્ઞાન (આધ્યાત્મિક વિજ્ઞાન) કહે છે. આ આધ્યાત્મિક માર્ગ છે. "

~પરમ પૂજ્ય દાદાશ્રી

આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી, જુદાં જુદાં લોકોએ ડીપ્રેશનમાંથી બહાર નીકળીને જીવનમાં એક નવો જ દ્રષ્ટિકોણ મેળવ્યો તેમના અનુભવો વાંચો.

×
Share on