જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો કોઈ અંત ના દેખાતો હોય, ત્યારે એ પરિસ્થિતિ ખૂબ જ હેરાન કરી શકે છે. ચિંતાઓ, તણાવ અને અનિશ્ચિતતાનો ભય આ મુશ્કેલીના સમયમાં તમને કોરી ખાય છે. તમે તમારી જાતને ખાતરી આપો છો કે આ મુશ્કેલ સમયમાં બચવાની થોડી આશા છે. સાવ લાચાર થયેલી આ સ્થિતિમાં, તમે અનુભવી શકો છો કે હવે કોઈ સમાધાન નથી અને બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે કે તમે આત્મહત્યા કરીને તમારા જીવનનો અંત લાવો. પણ એ સત્ય નથી!
આ સંદર્ભમાં વિચાર કરી જુઓ; શું આત્મહત્યા કરવાથી તમારા જીવનની વર્તમાન પરિસ્થિતિમાં સુધારો થશે? ના! આવા પગલાથી તો પરિસ્થિતિ વધુ વણસે છે. તદુપરાંત, એમ વિચારો કે જે તમારા પર નિર્ભર છે તે લોકોનું શું થશે? તમે માનો છો કે તમે મુક્ત થઈ જશો, પરંતુ તે તમારા પ્રિયજનો માટે ક્યારેય પૂરી ન થનારી સમસ્યાઓની માત્ર એક શરૂઆત છે. એટલું જ નહીં; તમારા મૃત્યુથી તેઓ કેટલા દુ:ખી થશે?
તેથી, આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવો વધુ સારું છે. એક સાથે બધું સાચવવાનો પ્રયાસ કરશો નહીં. જો તમે તમારી બધી મુશ્કેલીઓ એક સાથે નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરશો, તો તમે બોજારૂપ થઈ જશો અને તે નિયંત્રણમાંથી બહાર પણ જતી રહે, તેવી સંભાવના છે. તેના બદલે, એક સમયે એક મુશ્કેલીને પ્રાધાન્ય આપો અને ઉકેલ લાવો.
તે ઓળખવું પણ મહત્ત્વપૂર્ણ છે કે ચિંતા કરવાથી બાબતો ફક્ત ખરાબ થશે. ચિંતા કરવાથી ક્યારેય ઉકેલ આવતો નથી. હકીકતમાં, તેઓ વધુ અવરોધો/અંતરાયો લાવે છે.
વધુ સારું એ રહેશે કે તમે તમારી શક્તિ દ્વારા કર્જાને કેવી રીતે ચૂકવી શકાય તેના ઉકેલો સંબંધી સલાહને અમલમાં મૂકવા માટે પ્રયાસ કરો:
આ બધાથી ઉપર, શ્રદ્ધા રાખો અને સમજો કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો અને ‘મારે મરવું છે’ એમ વિચારવું એનાથી મુશ્કેલીઓનો અંત નથી આવવાનો. તે ફક્ત બાબતોને વધુ ખરાબ કરશે! આવો સમય તમને પડકારવા અને તમને મજબૂત બનાવવા માટે આવે છે. મજબૂત નિશ્ચય અને સકારાત્મક વિચારથી આ સમયગાળાને પહોંચી વળાય એવો ભાવ રાખો.
નબળા વિચારોને ક્યારેય સ્વીકારશો નહીં, જેમ કે, ‘બધું જ જતું રહ્યું છે, હવે હું શું કરી શકું? કોઈ આશા નથી.’ તેના બદલે, ‘પરિસ્થિતિઓ સારી થશે’ અને ‘હું કરી શકું છું, અને હું આને પહોંચી વળીશ’, જેવા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી માનસિકતા બદલો અને તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોનો વિરોધ સતત કરતા રહો.
આ ઉપરાંત, આ પડકારજનક સમય દરમિયાન, દોષો બીજા પર ન મૂકશો, કારણ કે, આ ફક્ત તમારા માટે અવરોધો ઊભા કરશે. ફક્ત તમારા ધ્યેયમાં કાયમ રહો અને આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જાઓ. આશાવાદી બનો અને છેવટે પરિસ્થિતિઓ વધુ સારા રીતે વળાંક લેશે.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી અને... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events