
જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી પરિસ્થિતિઓ આપણને ખૂબ વિટંબણાઓમાં ઘેરી દે છે. આ સમય એવો કપરો હોય છે કે, ચિંતા, તણાવ અને અનિશ્ચિતતાનો ભય આપણને ઘેરી વળે છે. પછી સંજોગો પણ એવા આવે છે કે આપણને આ મુશ્કેલીઓમાંથી બચવાની કોઈ આશા દેખાતી નથી. આવા લાચારીના સમયે, ભારે કર્જા/દેવાની સ્થિતિમાં જ્યારે બીજો કોઈ રસ્તો જડતો નથી ત્યારે આત્મહત્યા કરીને જીવન સમાપ્ત કરવું, એ જ એકમાત્ર ઉપાય દેખાય છે. પણ આ સાચો રસ્તો નથી!
જરા વિચાર કરી જુઓ કે, શું આત્મહત્યાથી આપણી વર્તમાનની મુશ્કેલીઓનો અંત આવશે? આનો, ટૂંકામાં ટૂંકો જવાબ છે,’ના’. આમ કરવાથી તો પરિસ્થિતિ વધુ વણસે છે. એટલું તો વિચારો કે, જે લોકો આપણા પર નિર્ભર છે, તેમનું શું થશે? આપણને એવું લાગે છે કે, આત્મહત્યાથી બધી મુશ્કેલીઓનો અંત આવી જશે. પણ ના, પરિણામે આવા કૃત્ય બાદ આપણા પરિવારજનોની ખરી મુશ્કેલીઓની શરૂઆત થાય છે, જેનો અંત પણ નિશ્ચિત નહીં હોય. આપણને એ બાબતની કલ્પના પણ કરવી મુશ્કેલ થઈ જશે કે આપણા ગયા બાદ એ લોકોની પરિસ્થિતિ કેવી થઈ જશે?
માટે, આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવામાં જ આપણું હિત સમાયેલું છે. એક સાથે બધી સમસ્યાઓનું સમાધાન લાવવું શક્ય નથી. જો આપણે બધી જ સમસ્યાઓને એકસાથે ઉકેલવા જઈશું તો મૂંઝાઈ જશું અને પછી પરિસ્થિતિને નિયંત્રિત કરવું પણ અઘરું થઈ જશે. તેના બદલે, એક સમયે એક જ સમસ્યાને પ્રાથમિકતા આપીને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
એટલું જાણી રાખવું કે, ચિંતા કરવાથી ક્યારેય ઉકેલ આવતો નથી પણ પરિસ્થિતિ વધુ વણસે છે. હકીકતમાં, ચિંતાથી અંતરાયો ઊભા થાય છે.
નીચે દર્શાવેલા ઉપાયો થકી આપણે દેવા સંબંધી સમસ્યાઓનું સમાધાન લાવી શકીએ છીએ:
આ બધાથી સમજવું કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો અને ‘મારે મરવું છે’ એમ વિચારવું એનાથી મુશ્કેલીઓનો અંત નથી આવવાનો. તે ફક્ત બાબતોને વધુ ખરાબ કરશે. આવા પડકારરૂપ સંજોગો આપણને મજબૂત બનાવવા માટે આવતા હોય છે. માટે, આપણે દૃઢ નિશ્ચય અને પોઝિટિવ અભિગમ રાખીને આ મુશ્કેલ સમયને પણ સરળતાથી પાર કરી શકીશું, એવી ભાવના રાખવી જોઈએ.
‘હવે, આપણી પાસે કંઈ જ બચ્યું નથી. હવે, શું કરવું? હવે, કોઈ ઉમીદ નથી રહીં!’, આવા પ્રકારના નબળા વિચારોનાં વમળમાં આવવાના બદલે, ’હવે, બધું સારું જ થશે’, ‘જે પરિસ્થિતિ આવે એને હું પહોંચી વળીશ’, આવા પોઝિટિવ વિચારો કરવા. જ્યારે પણ મનમાં નેગેટિવ વિચાર આવે ત્યારે એની સામે પોઝિટિવ વિચારોને ગોઠવીને આપણે મનને ડાયવર્ટ કરી શકીએ છીએ.
તદુપરાંત, આવા મુશ્કેલીના સમયે, જો આપણે બીજાને દોષિત જોઈશું તો એ આપણા જ અંતરાયનું કારણ બનશે. માત્ર પોતાના ધ્યેયને કેન્દ્રમાં રાખીને આ મુશ્કેલ સમયમાંથી પાર ઊતરી શકાય એમ છે. જો આપણે જીવનમાં પોઝિટિવિટીને અપનાવીશું તો એની મેળે જ આપણને સવળા સંજોગો ભેગા થશે.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
A. કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events
