Related Questions

જય સચ્ચિદાનંદ નો અર્થ શું છે?

આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા મુસ્લીમ, યુરોપીયન બધાય આવી ગયા.

એટલે સચ્ચિદાનંદમાં બધાય લોકોના મંત્રો આવી જાય.

sat chit ananad

એટલે આ બધા મંત્રો ભેગાં બોલીએ, આ મંત્રો નિષ્પક્ષપાતીપણે બોલીએ ત્યારે ભગવાન આપણા પર રાજી થાય. એક જણનો પક્ષ લઈએ કે 'નમઃ શિવાય, નમઃ શિવાય' એકલું બોલ્યા કરીએ તો પેલાં બધાં રાજી ના થાય. આ તો બધા દેવ રાજી થાય.

એટલે મતમાં પડ્યા હોય તેનું કામ નહીં. આ મતમાંથી બહાર નીકળે ત્યારે કામનું છે.

કેવા કેવા માણસો હિન્દુસ્તાનમાં છે હજુ. કંઈ હિન્દુસ્તાન ખલાસ થઈ ગયું નથી ! ના ખલાસ થાય આ તો ! આ તો મૂળ આર્યોની ભૂમિ. અને જ્યાં તીર્થંકરોનાં જન્મો થયાં ! તીર્થંકરો એકલા નહીં, ત્રેષઠ શલાકા પુરુષ જે દેશમાં જન્મે છે, તે દેશ છે આ ! 

×
Share on