અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા ? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, 'તારી પાસે પૈસા છે ?' ત્યારે કહે છે, 'હા'. ત્યારે મેં કહ્યું, 'આવી રીતે આપજે.' હું જાણું કે આ માણસ દિલનો બહુ ચોખ્ખો અને ભોળા દિલનો છે. એને સાચી સમજણ પાડો.
વાત એમ બની હતી કે અમે એક ભાઈને ત્યાં ગયેલા. એમણે એક માણસને મને મૂકવા માટે મોકલ્યો. ખાલી મૂકવા માટે જ. પેલા ડૉક્ટરને કહે કે દાદાને ગાડીમાં મૂકવા તમે ના જશો. હું મૂકી આવીશ. તે મૂકવા પૂરતું આવ્યા ને તેમાં વાતચીતો થાય ! એ ભાઈ મારી પાસે સલાહ માગતા હતા કે મારે પૈસા આપવા છે તો ક્યાં આપવા, કેવી રીતે આપવા ? 'બંગલો બાંધ્યો ત્યારે તો પૈસા કમાયા હશો.' પછી ત્યારે કહે, 'બંગલો બાંધ્યો, સિનેમા થિયેટર બાંધ્યું. હમણે સવા લાખ રૂપિયા તો મારા ગામમાં દાનમાં આપ્યા છે.' ત્યારે મેં કહ્યું કે 'વધારે કમાયા હો તો એકાદ આપ્તવાણી છપાવી દેજો.' તરત જ એ કહે, 'તમે કહો એટલી જ વાર. આ તો મને ખબર જ નહીં આવી. મને કોઈ સમજણ પાડતું જ નથી.' પછી કહે છે, 'આ મહિનામાં તરત જ છપાવી દઈશ.' પછી જઈને પૂછવા માંડ્યો કે કેટલા થાય ? ત્યારે કહ્યું કે, 'વીસ હજાર થાય.' તરત જ કહે છે કે, 'આટલી ચોપડી મારે છપાવી દેવાની !' મેં ઉતાવળ કરવાની ના કહી એ ભાઈને.
એટલે આવાં ભલા માણસ હોય ને જેને સમજણ ના પડતી હોય દાન આપવાની અને એય પૂછે તો એને દેખાડીએ. આપણે જાણીએ કે આ ભોળો છે. એને સમજણ પડતી નથી તો એને દેખાડીએ. બાકી સમજણવાળાને તો અમારે કહેવાની જરૂર નહીં ને ! નહીં તો એને દુઃખ થાય. અને દુઃખ થાય એ આપણે જોઈતા નથી. આપણને પૈસાની જરૂર જ નથી. સરપ્લસ હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી જગતમાં !
કારણ કે આ જ્ઞાનની ચોપડીઓ કોઈ વાંચે, એમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હોય તો આપવાના, ના હોય તો આપણને કંઈ જરૂર જ નથી ત્યાં આગળ !
Q. દાન/ધર્માદાનાં ફાયદા શું છે?
A. પ્રશ્નકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે ? દાદાશ્રી : એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો....Read More
Q. દાનનાં કેટલાં અને ક્યાં પ્રકાર છે?
A. દાદાશ્રી: કેટલાં પ્રકારના દાન છે એવું જાણો છો તમે ? ચાર પ્રકારનાં દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન. પહેલું આહારદાન...Read More
Q. દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?
A. પ્રશ્નકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ? દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ...Read More
A. પ્રશ્નકર્તા : સરપ્લસ કોને કહેવાય ? દાદાશ્રી : સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની...Read More
Q. દાન કેવી રીતે આપવું? ધર્માદો કેવી રીતે આપવો?
A. પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય. ઉપયોગ એ જાગૃતિ છે. આપણે...Read More
A. પ્રશ્નકર્તા : આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છેને ? દાદાશ્રી : કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એ...Read More
Q. મંદિરમાં શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા : આપણે મંદિરોમાં ગયા'તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું કે આ જીવતા જાગતા અંતર્યામી અને તે દરેક...Read More
Q. ગરીબોને શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા : માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી કે કોઈને દાન આપવું ? શું કરવું ? દાદાશ્રી :...Read More
Q. પૈસા નો સદુપયોગ કેવી રીતે કરવો ?
A. પ્રશ્નકર્તા : પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો ? દાદાશ્રી : નહીં, એ પૈસા ઘરના...Read More
Q. શું કાળાં નાણાંને દાનમાં આપવા જોઈએ?
A. એરણચોરી, સોયદાન ! પ્રશ્નકર્તા : ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે ? દાદાશ્રી : દાન કરે છતાં નર્કે જાય એવાં ય છે. કારણ કે દાન કોઈના દબાણથી કરે...Read More
subscribe your email for our latest news and events