અધ્યાત્મ અને ધર્મ વચ્ચે ચોક્કસપણે ખૂબ મોટો તફાવત છે.

આવો, તે બન્ને વચ્ચેનો તફાવત જોઇએ.

શાંતિ અને આનંદની શોધ વ્યક્તિ ધર્મથી કરે છે.

દરેક ધર્મ તેની રીતે, શું સારુ છે અને શું ખરાબ છે તેનું જ્ઞાન આપે છે. ધર્મ એક શ્રદ્ધા અથવા માન્યતા છે. તે આપણને ખરાબ વસ્તુ છોડવાનું અને સારું ગ્રહણ કરવાનું શીખવે છે, કારણ કે કુદરતનો નિયમ એવો છે કે જ્યારે વ્યક્તિ ખરાબ કર્મો કરે છે, ત્યારે તે પાપ કર્મો બાંધે છે જેના દ્વારા તે દુઃખ ભોગવે છે; અને જો તે સારા કામો કરે છે, તો તે પુણ્ય કર્મો બાંધે છે જે તેને સુખ આપે છે.

દુનિયામાં ઘણા ધર્મો અનુસરવામાં આવી રહ્યા છે જેમ કે, હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તિ ધર્મ વગેરે. વ્યક્તિના આધ્યાત્મિક વિકાસના આધારે, દરેક પોતાના માટેનો શ્રેષ્ઠ ધર્મ શોધે છે – જેમાં વ્યક્તિનો દ્રષ્ટિકોણ મળતો આવતો હોય છે, તે પ્રમાણે સ્વીકારે છે અને તેને જ સાચું માનવા લાગે છે અને એ રીતે તે ધર્મને વળગી રહે છે.

religion
  • ધર્મ એટલે કશું કરવાનો રસ્તો- તમારે ભગવાનની પૂજા કરવી પડે, તમારે ભગવાનના નામનો જાપ કરવો પડે, તમારે ક્રિયા-કાંડ કરવા પડે, તમારે પ્રાર્થનાઓ બોલવી પડે, તમારે પસ્તાવો કરવો પડે, તમારે ધ્યાન કરવું પડે, તમારે પત્ની અને બાળકોનો, ઘર અને સંપત્તિનો, ધન અને તમામ સાધનોનો ત્યાગ કરવો પડે અને તમારે ખૂબ જ આકરું તપ પણ કરવું પડે. સૈધ્ધાંતિક રીતે, ધર્મ સાથે સંકળાયેલી દરેક ક્રિયાઓ કરવામાં ખૂબ જ બોજો અને તણાવ રહેલો છે.
  • જ્યારે કોઇ સંજોગોવશાત, વ્યક્તિ જે કરવા ઇચ્છે છે તે કરી શકતો નથી, તો તેમાં ખૂબ ભય અને વેદના રહેલી છે જે વ્યક્તિની અંદર તરત જ ઉત્પન્ન થાય છે અને તેને ખૂબ અશાંત બનાવી દે છે.
  • સારા કર્મો કરવાથી, વ્યક્તિ પુણ્ય કર્મ બાંધે છે તેમાં કોઇ શંકા નથી, પરંતુ આ પુણ્ય કર્મોના ફળ ભોગવવા માટે, વ્યક્તિએ ફરી જન્મ લેવો પડે છે અને આ સંસારમાં આવવું પડે છે. જન્મ અને મરણની પરિસ્થિતિ જ ખૂબ દુ:ખદાયક છે અને વ્યક્તિએ પુણ્ય કર્મના ફળ ભોગવવા આ દુ:ખદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
  • વધારામાં, પુણ્યકર્મના ફળ સામાન્ય રીતે સાંસારિક સુખોના સ્વરૂપમાં હોય છે, જે સ્વભાવથી જ ક્ષણિક છે. આવા વિનાશી સુખો જ્યારે તેના સમયનો અંત આવે છે ત્યારે ખૂબ જ દુ:ખ આપે છે.
  • અને જ્યારે વ્યક્તિ આવા સુખો ભોગવી રહી હોય છે, ત્યારે પણ તે થોડો સમય જ સંતોષ અનુભવે છે; પરંતુ પછી તે વસ્તુથી ધરાઇ જાય છે અને બીજા સાધનોમાંથી સુખ ભોગવવા દોટ મૂકે છે. આ પ્રક્રિયા અનંત જન્મો સુધી ચાલ્યા જ કરે છે.

birth-death

જયારે કાયમી સુખ માટે અધ્યાત્મની ખોજ શરૂ થાય છે ત્યારે...

લોકોને એવો અનુભવ થાય છે કે ભગવાન મહાવીર, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અથવા જે પણ ભગવાનની અત્યારે ભજતા હોવ – તેઓએ કંઇક એવું પ્રાપ્ત કર્યું છે જે બુધ્ધિથી પર છે, અહંકારથી પર છે, જગતના લોકો પાસે છે તેનાથી પર છે; તેઓએ કંઇક એવું મેળવ્યું છે જે તેમને હંમેશા સુખી રાખે છે બહાર ગમે તે પરિસ્થિતિ કેમ ન આવે અને તેથી આપણે તેઓની ભગવાન તરીકે પૂજા કરીએ છીએ.

જન્મ-જન્માંતરથી, જીવ પોતાની આધ્યાત્મિક સફરમાં વિકસિત થઇ રહ્યો છે, જેમાં અંતે અનુભવોમાંથી પસાર થતા થતા તેને એવું સમજાય છે કે, ‘સંસારની બધી વસ્તુઓ નાશવંત છે અને સાંસારિક ચીજોમાંથી મળતું સુખ પણ નાશવંત છે.’ આવી સમજણ વ્યક્તિને કાયમી સુખ માટે આધ્યાત્મિક ખોજ માટે પ્રેરે છે. આ સમયે, તે ભગવાન પાસે પહોંચવા, તેનું અનુસરણ કરવા અને અંતે તેમાં વિલિન થવા ઇચ્છે છે; તે ભગવાન સાથે ઐક્ય ઇચ્છે છે. પરંતુ કેવી રીતે, તે જાણતો નથી.

hunt-begins

માટે એવી શોધ શરૂ થાય છે, “કઈ જગ્યાએથી મને કાયમનું સુખ મળશે?”

કુદરત એક દિવસ આ શોધનો અંત લાવી દે છે, એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને કે જે તેને જ્ઞાની સમક્ષ પહોંચાડી દે છે.

જ્ઞાની તેને એવું ભાન કરવામાં મદદ કરે છે, જ્યારે ધર્મ કરતી વખતે તે હંમેશા એવું વિચારતો, માનતો અને કહેતો કે,”હું ધર્મનું પાલન કરું છું, હું પૂજા કરું છું, હું ધ્યાન કરું છું.” પરંતુ “આ હું કોણ છું?”

તે ખરેખર હું નથી. તો પછી, “હું કોણ છું?”

અને તેનાથી અધ્યાત્મની શરૂઆત થાય છે.

આધ્યાત્મ એટલે પોતાની જાતનું, ‘હું કોણ છું?’નું ભાન કરવા માટેનું જ્ઞાન પ્રાપ્ત કરવું.

ધર્મ અને અધ્યાત્મ વચ્ચે ખૂબ મોટો તફાવત છે. ધર્મ આપણને એવું જ્ઞાન આપે છે જે સારા અને ખરાબનો ભેદ કરવામાં મદદરૂપ થાય છે; અને આપણે ખરાબ છોડતા અને સારું ગ્રહણ કરવાનું શીખવે છે. જ્યારે આધ્યાત્મમાં, કંઇ પણ છોડવાની કે કંઈપણ પકડવાની જરૂર નથી. આધ્યાત્મ આપણને એવું શીખવીને મુક્ત કરે છે જે દ્વૈતથી પર છે, ભેદભાવથી પર છે અને સારા – ખરાબ વચ્ચેના તફાવતથી પર છે, અને ‘ખરેખર હું કોણ છું?’ તેનો અનુભવ કરાવે છે તેમજ ‘સારા અને ખરાબનો ખરેખર કર્તા કોણ છે?’ તે સમજાવે છે.

હું કોણ છું?

આ જગતમાં એકપણ દુઃખ આપણને અડે એવું નથી એવું આ વિજ્ઞાન છે. જીવનનો હેતુ 'હું કોણ છું ?' એ જાણવાનો છે. પ્રસ્તુત વીડિયોમાં નીરુમા આ પ્રશ્ન અંગે વધુ ફોડ પાડે છે.

ચાલો જોઇએ કેવી રીતે?

જેવી રીતે ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક ખરાબ પાણીમાંથી બે તત્વો જુદા પાડી આપે છે, તે જ રીતે, જ્ઞાની, આધ્યાત્મિક વૈજ્ઞાનિક, શુદ્ધાત્માને, આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા, જડ તત્વોમાંથી છુટા કરી આપે છે.

આજના જગતમાં, અક્ર્મ વિજ્ઞાન અક્રમાગત આધ્યાત્મિક માર્ગ છે જેમાં જ્ઞાનીની કૃપાથી, માત્ર ૨ કલાકમાં જ જ્ઞાનવિધિના પ્રયોગ દ્વારા, આપણને સીધો આત્માનો અનુભવ પ્રાપ્ત થઇ જાય છે.

જ્યારે આપણને ‘હું કોણ છું?’ નું ભાન થાય છે, ત્યારે આપણે આત્મા કે જે શાશ્વત છે તેનો અનુભવ કરીએ છીએ અને આત્માનું સુખ એ કાયમી છે, એવી સમજણ પ્રાપ્ત થાય છે. જ્ઞાન વિધિ દરમિયાન, આપણે કાયમના સુખનો અનુભ કરીએ છીએ! આત્માનો સંપૂર્ણ અને કાયમી અનુભવ, આખરે આ ક્રિયા દ્વારા પ્રાપ્ત થઇ શકે એમ છે.

જ્યાં સુધી આપણે તે દશા પ્રાપ્ત કરી શકતા નથી, ત્યાં સુધી જ્ઞાની જ આપણો શુદ્ધાત્મા છે!!! જ્ઞાનીના નિરંતર સંગમાં રહેવાથી, અને તેમની આજ્ઞાનું પાલન કરવાથી, આપણે તેમના કૃપા પાત્ર બનીશું જે આપણને ધીમે ધીમે આપણી ભૂલોને ઓળખી, સ્વ્કારી અને તેમાંથી મુક્ત થવા સક્ષમ બનશું અને આ સાથે આપણી આત્માની જાગૃતિ પણ વધશે.

જ્ઞાનીનો હાથ પકડી રાખી, એક દિવસ આપણે આધ્યાત્મિક માર્ગની સફર ચોક્ક્સ રીતે પૂર્ણ કરી શકીશું અને ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત કરી શકીશુ. ભગવાન કેવળજ્ઞાન સ્વરૂપ છે અને જે પણ તે દશાને પ્રાપ્ત કરે છે તેમને મોક્ષપ્રાપ્તિ થાય છે!! આમ, વ્યક્તિ ધર્મના પગથિયા ચડવાની શરૂઆત કરે છે અને જે અધ્યાત્મ થકી પૂર્ણતાને પામે છે.

gnanvidhi

×
Share on