આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના આ જગતમાં બે પ્રકાર છે, જે આ મુજબ છે:
અહીં. તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કશું ‘કરવું’ પડે છે. એટલે કે, કંઇક ધ્યાન કરો, કોઇ મંત જાપ કરો, પૂજા કરો, તપ કરો, ક્રિયાકાંડ કરો અને ‘હું કોણ છું’ તે જાણવા સાધના કરો, અને અંતે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો. આ માર્ગે આત્મા પ્રાપ્ત કરવો શક્ય છે પરંતુ તે બહુ લાંબો છે.
અધ્યાત્મના આ માર્ગ ઉપર, જ્ઞાનીની કૃપા દ્વારા, આપણે એક જ કલાકમાં આત્મા પ્રાપ્ત કરીએ છીએ. પછીના એક કલાકમાં, આપણે કઈ રીતે શુદ્ધાત્મામાં રહેવું અને કઇ રીતે આપણા બાંધેલા કર્મોમાંથી મુક્ત થવું કે જેથી નવા કર્મો બંધાય નહિ તેના માટે આપણને પાંચ આજ્ઞા આપવામાં આવે છે.
ક્રમિક માર્ગમાં, વ્યક્તિને ખરાબ કર્મો બંધ કરવાનું કહેવામાં આવે છે અને સારા કર્મો કરવા માટે કહેવામાં આવે છે. વ્યક્તિને તેની બધી નબળાઇઓ- ક્રોધ, માન, માયા અને લોભમાંથી છૂટકારો મેળવવા માટે સારી વસ્તુઓ તરફ વાળવામાં આવે છે. અક્રમમાં આ બધી વસ્તુઓનું કોઇ મહત્વ નથી. અક્રમમાં અંદરના ભાવને પરિવર્તન કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે.
બન્ને પ્રકારના અધ્યાત્મિક માર્ગમાં ત્યાગ સ્થાન ધરાવે છે. ક્રમિક માર્ગ આપણી માલિકીનો ત્યાગ કરવાનો માર્ગ છે. પહેલા, વ્યક્તિ સ્થૂળ માલિકીપણામાંથી બહાર નીકળે છે. પછી, તે સૂક્ષ્મ માલિકીભાવનો ત્યાગ કરે છે જેવા કે રાગ, ક્રોધ, માન, માયા, અને લોભ, અને છેલ્લે તે સંપૂર્ણ અનુભવ આત્માની સ્થિતિએ (કેવળજ્ઞાન દશાએ) પહોંચે છે.
અક્રમ માર્ગમાં, જ્ઞાની તમારા અહંકારનો ત્યાગ કરાવી દે છે અને તમે તમારા સ્વરૂપને પ્રાપ્ત છો. તેથી, જ્ઞાનીની કૃપા દ્વારા, શુધ્ધાત્માની પ્રતિતી, જાગૃતિ અને અનુભવ તમારી અંદર જ થવા લાગે છે. હવે આત્માની જાગૃતિ દ્વારા, વ્યક્તિ તેના ક્રોધ, માન, માયા અને લોભના ગુનાઓ સાફ કરે છે.
જ્ઞાની આપણને સીધી કૃપા દ્વારા આત્મજ્ઞાન કરાવે છે અને આપણા આત્માને જગાવે છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિ દેહ અને આત્માને અલગ અલગ અનુભવે છે. આ જાગૃતિ નિરંતર રહે છે, અને તેની સાથે, સાંસારિક જીવનના કોઇ સુખ કે દુ:ખ અનુભવાતા નથી. તેના બદલે, વ્યક્તિ તેના આત્માની અંદર રહેલા પરમાનંદનો નિરંતર અનુભવ કરે છે!
જો તમે તમારી જાતની સાચી ઓળખ માત્ર બે કલાકમાં જ પ્રાપ્ત કરી લો તો, તમને પરિણામ સ્વરૂપે કોઇ દુ:ખ અનુભવાશે જ નહિ, આનાથી મોટી વાત શું હોય શકે? આ જ્ઞાન મળ્યા બાદ, વ્યક્તિને તુરત જ મહત્વપૂર્ણ પરિવર્તન અનુભવાય છે. તેના અનુભવો સાંભળીને, લોકો આપમેળે જ આ માર્ગ પર ખેંચાય છે.
નીચેની સંવાદ દ્વારા, આપણે અક્રમ માર્ગ દ્વારા થયેલ આત્મજ્ઞાન પછીના અનુભવોની ઝલક મેળવીએ:
દાદાશ્રી: મને કહો કે જો તમને રાતના બે વાગ્યે પણ જગાડવામાં આવે તો સૌપ્રથમ તમારા મગજમાં કઈ વસ્તુ આવશે?
પ્રશ્નકર્તા: ‘હું શુધ્ધાત્મા છું’ આ એક જ વસ્તુ મગજમાં આવે છે.
દાદાશ્રી: નહિ તો લોકો સંસારી ચીજોને યાદ કરે અને લોકો જે તેમને પ્રિય હોય તેમને યાદ કરે પરંતુ તમે તો આત્માને યાદ કરો. વ્યક્તિ ક્યારેય આ જાગૃતિ પ્રાપ્ત કરી શક એનહિ કારણ કે તે ખૂબ જ સૂક્ષ્મ છે. એટલા માટે જાતને અલખ નિરંજન કહેવામાં આવે છે. (અલખ – અતિ સૂક્ષ્મ; કે જે જાણી ન શકાય. નિરંજન – સાંસારિક કોઇ વસ્તુ ચોંટી ન શકે કે બાંધી ન શકે). છતાં પણ, તમે અહીં માત્ર એક કલાકમાં જ એવી પોતાની જાતની જાગૃતિ પ્રાપ્ત કરો છો! આ અક્રમ જ્ઞાની ની આધ્યાત્મિક સિધ્ધિ છે! આ દેવ- દેવીઓની દિવ્ય કૃપા છે! આ લોકોની કૃપાથી જ તમે માત્ર એક કલાકમાં જ અસાધારણ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો! બીજો માર્ગ એ ક્રમિક માર્ગનું વિજ્ઞાન છે અને આ અક્રમ માર્ગ છે. બન્ને માર્ગનું જ્ઞાન એ જ સર્વોચ્ચ ભ્ગવાન છે; ત્યાં જ્ઞાનમાં કોઇ તફાવત જ નથી!
A. આધ્યાત્મિકતાની વ્યાખ્યા આપવી એ એક સરળ નથી, કારણ કે વર્ષોથી લોકો અલગ-અલગ દ્રષ્ટિકોણથી તેને સમજે છે.... Read More
Q. આધ્યાત્મિકતા શા માટે જરૂરી છે?
A. આધ્યાત્મિકતા એટલે આત્માની ઓળખાણ કરવી, આપણા દરેકની અંદર રહેલી ચેતના એ જ આત્મા. આવી ઓળખાણ કરવી શા... Read More
Q. આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે?
A. આધ્યાત્મિકતા અને ધર્મ બન્ને સમાન નથી. બન્ને વચ્ચે મોટો તફાવત છે. માટે, ચાલો જાણીએ કે આધ્યાત્મિકતા... Read More
Q. શું આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે ભૌતિક સુખ સાધનનો ત્યાગ કરવો જરૂરી છે?
A. આજના સમાજમાં એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે જો કોઇ આધ્યાત્મિક માર્ગે જવા ઇચ્છે છે તો, તેણે બધી... Read More
Q. ભૌતિક વસ્તુઓ તરફ ખૂબ જ આકર્ષણ હોવા છતાં હું આધ્યાત્મિક કઈ રીતે બની શકું?
A. જો તમે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને ભૌતિક વસ્તુઓ તરફ તમને ખૂબ આકર્ષણ છે, તો તમને લાગશે કે તમારા... Read More
Q. આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે ક્યા ક્યા અવરોધો આવે છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન આધ્યાત્મિક સાધકોને ત્રણ ખૂબ જ ભયંકર ટેવો બાબતે ચેતવે છે, જે સમય જતાં આપણી... Read More
subscribe your email for our latest news and events