Related Questions

મૃત્યુ શા માટે થાય છે?

પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ?

દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ મન-વચન-કાયા એ ત્રણ 'બેટરી'ઓ છે, એ ગર્ભમાંથી 'ઇફેક્ટ' (પરિણામ) આપતી જાય છે. તે 'ઇફેક્ટ' પૂરી થાય, 'બેટરી'થી હિસાબ પૂરો થઈ જાય, ત્યાં સુધી એ 'બેટરી' રહે અને પછી એ ખલાસ થઈ જાય, એને મૃત્યુ કહે છે. પણ ત્યારે પાછી આવતા ભવને માટે મહીં નવી 'બેટરી'ઓ ચાર્જ (પાવર ભરાય) થઈ ગઈ હોય. આવતા ભવના માટે અંદર નવી 'બેટરી' 'ચાર્જ' થયા જ કરે છે અને જૂની 'બેટરી'ઓ 'ડિસ્ચાર્જ' થાય છે. આમ 'ચાર્જ'-'ડિસ્ચાર્જ' (ખાલી) થયા જ કરે છે. કારણ કે એને 'રોંગ બિલિફ' (ઊંધી માન્યતા) છે. એટલે 'કૉઝિઝ' (કારણ) ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી 'રોંગ બિલિફ' છે, ત્યાં સુધી રાગ-દ્વેષ ને 'કૉઝિઝ' ઉત્પન્ન થાય છે અને એ 'રોંગ બિલિફ' બદલાય ને 'રાઈટ બિલિફ' બેસે એટલે રાગ-દ્વેષ ને 'કૉઝિઝ' ઉત્પન્ન થાય નહીં.  

×
Share on
Copy