• question-circle
  • quote-line-wt

મૃત્યુનું રહસ્ય!

“મૃત્યુ”, એક એવો શબ્દ છે જેને યાદ કરતાં જ શોક, ભય અને દુઃખની લાગણી અનુભવાય છે. દરેક મનુષ્યને જીવનમાં કોઈક ને કોઈક મૃત્યુના સાક્ષી બનવાનું થાય જ છે. મૃતદેહ જોતાં જ મૃત્યુ વિશે અસંખ્ય વિચારો મનમાં ઉદ્ભવે છે. તેમાંય પ્રિય સ્વજનનું અકાળ મૃત્યુ થાય ત્યારે કુટુંબીજનો નર્યા દુઃખમાં ડૂબી જાય છે. આવા સમયે મૃત્યુના સ્વરૂપની વાસ્તવિકતા અને તેનું રહસ્ય નહીં ઉકેલાતાં દુઃખ કે ભય ઘટતાં નથી. વળી જે મૃત્યુ પામે છે, તે અનુભવ કહી શકતા નથી અને જે જન્મ પામે છે, તેને જન્મ પહેલાંની અવસ્થાની જાણ નથી. તેથી મૃત્યુ પહેલાં, મૃત્યુ સમયે અને મૃત્યુ પછી કઈ દશામાંથી પસાર થવું પડે છે તેનું રહસ્ય અકબંધ રહી જાય છે.

મૃત્યુ એટલે શું? મૃત્યુનું કારણ શું? મૃત્યુ પછી શું? શું પુનર્જન્મ છે? એ બધાં રહસ્યો સમજાય તો મૃત્યુનો ભય ઊડી શકે છે! દુઃખના પ્રસંગોમાં સમાધાન રહે છે, એટલું જ નહીં પણ મૃત્યુની હકીકત સમજાય તો મનુષ્ય જીવનનું મહત્ત્વ પણ સમજાઈ જાય. પરિણામે મૃત્યુ એક દુઃખદ ઘટના નહીં પણ મહોત્સવ બની જાય!

પરમ પૂજ્ય દાદા ભગવાને મૃત્યુના તમામ રહસ્યોના વૈજ્ઞાનિક ફોડ આપ્યા છે, જે વાચકોને અહીં પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, મૃત્યુ પછી ફરી જન્મવું ના પડે અને જન્મ-મરણના ફેરામાંથી કાયમ માટે છૂટી શકાય તેના ઉપાયો પણ સૂક્ષ્મતાએ સમજાવ્યા છે. તો ચાલો, મૃત્યુ સંબંધી તમામ પ્રશ્નો સામે વ્યવહારિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ સમાધાન મેળવીએ.

મૃત્યુનું રહસ્ય શું?

મૃત્યુ આવવાનું છે એ દરેકને ખબર હોય છે. મૃત્યુ વખતે 'આપણું શું થશે ?' એ વિચાર તો આવ્યા જ કરતા હોય છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ મૃત્યુ એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાની વાત છે. તો મૃત્યુના રહસ્યો જાણો પૂજ્ય નીરુમા દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. મૃત્યુ શું છે?

    A. મૃત્યુ એ જીવનનું સત્ય છે, એક અનિવાર્ય હકીકત છે. આ હકીકત આપણે બધા જાણીએ છીએ, છતાં મૃત્યુના નામથી જ... Read More

  2. Q. મૃત્યુનું કારણ શું?

    A. દેખીતી રીતે મૃત્યુના અનેક કારણો હોઈ શકે. કોઈને બીમારીના કારણે મૃત્યુ આવે, તો કોઈને અકસ્માતના કારણે,... Read More

  3. Q. શું ખરેખર પુનર્જન્મ છે?

    A. મૃત્યુ પછી આત્મા દેહ છોડીને જતો રહે છે એ સૌ માને છે, પણ આત્મા જાય છે ક્યાં? શું આત્મા ફરીથી બીજા... Read More

  4. Q. મૃત્યુ પછી શું થાય છે?

    A. મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે છે અને બીજી બાજુ જ્યાં પિતાનું વીર્ય અને માતાનું રજ બે ભેગા થવાનો... Read More

  5. Q. મૃત્યુના ભયથી કેવી રીતે છૂટવું?

    A. મૃત્યુ ટાળી શકાય એવું નથી એ જાણવા છતાં મૃત્યુનો ભય દરેકને રહે જ છે. મૃત્યુનો ભય રાખવાનો નથી પણ... Read More

  6. Q. અંતિમ સમયે કઈ જાગૃતિ રાખવી?

    A. વ્યક્તિને અંતિમ સમયે ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જશે એમ લાગે છે. અણધાર્યું મૃત્યુ નજીક આવે તો “હજુ... Read More

  7. Q. જન્મ-મરણના ફેરામાંથી કઈ રીતે છૂટાય?

    A. જો આત્મા અજન્મ-અમર છે, તો પછી આવાગમન એટલે કે જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી ફરી જન્મના ફેરા કોના... Read More

Spiritual Quotes

  1. મૃત્યુનો ભય તો અહંકારને રહે છે, આત્માને કશું નથી. અહંકારને ભય રહે છે કે હું મરી જઈશ, હું મરી જઈશ.
  2. જન્મ-મરણ એટલે એનાં કર્મનો હિસાબ પૂરો થઈ ગયો, એક અવતાર જે હિસાબ બાંધ્યો હતો, તે પૂરો થઈ ગયો એટલે મરણ થઈ જાય.
  3. આ એક્સપાયર્ડ થવું એટલે શું તે જાણું છું? ચોપડાના હિસાબ પૂરા થવા તે. એટલે આપણે શું કરવું, આપણને બહુ યાદ આવે તે, તો વીતરાગ ભગવાનને કહેવું કે એને શાંતિ આપો. યાદ આવે માટે એમને શાંતિ મળે એમ કહેવું. બીજું શું આપણાથી થાય?
  4. જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય!
  5. ભગવાનની દ્રષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. ભગવાનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દહાડો આપે એ તમને તો અહીં ગમે એટલા માણસ મરી જાય તોય તમને અસર કરે નહીં. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી.
  6. જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા ‘પરમેનન્ટ’ વસ્તુ છે. આ જન્મ-મરણ ‘ઈગોઈઝમ’નાં છે.
  7. જેનો ઉપાય નથી, તેની ચિંતા શી? મરણનો ઉપાય નથી, તેથી તેની કોઈ ચિંતા કરે છે?
  8. જગતમાં બધું જ ફરજિયાત છે. મરવાનુંય ફરજિયાત છે. જન્મવાનુંય ફરજિયાત છે. માટે એવી કંઈ શોધખોળ કરો કે, 'મરજિયાત' શું છે?
  9. જન્મ્યો ત્યારથી જ કરવતી ચાલુ! આપણા લોકો લાકડું છૂટું પડે, તેને મરણ કહે છે! એ તો પહેલેથી જ કપાતું હતું!
  10. જીવનમાં વહેલું મરવાની ભાવના કરે તેય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, ને ના મારવાની ભાવના કરે તેય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે. જ્યારે સ્ટેશન આવે ત્યારે ઊતરી પડવું. મરવાનીય નહીં ને ના મરવાનીય ભાવના ના રાખવી.
  11. જે દુનિયામાં મરી જવાનું હોય એ દુનિયા પોષાય જ શી રીતે? આપણે અમર છીએ!!

Related Books

×
Share on