Related Questions

બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, 'આ જ્ઞાન પછી વિષયનો ક્યારે મને વિચારેય નથી આવ્યો !' ત્યારે જ આવું વિષય રોગને ઉખેડીને ખલાસ કરી નાખે એવી વાણી નીકળી છે !

પરંતુ, બ્રહ્મચર્ય અને આત્મજ્ઞાનને એકબીજા સાથે શું સંબંધ છે?

બંને એકબીજા સાથે ઘણી બધી રીતે સંકળાયેલા છે. બ્રહ્મચર્ય વગર આત્માનો અનુભવ જ ખબર ના પડે. આ સુખ આવે છે તે આત્માનું છે કે પુદ્ગલનું છે એ ખબર જ ના પડે ને ! જેને આત્માનું સ્પષ્ટવેદન આ દેહે જ અનુભવવું હોય, તેને વિશુદ્ધ બ્રહ્મચર્ય વિના આની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્યાં સુધી વિષયમાં સુખ છેએવી સૂક્ષ્માતિસૂક્ષ્મ રોંગ બિલીફ છે, ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી.રોંગ બિલીફસંપૂર્ણ-સર્વાંગપણે ઊડે ત્યાં સુધી જાગૃતિ અતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે.

બ્રહ્મચર્ય આત્મસુખ પ્રાપ્તિમાં કેવી રીતે મદદ કરે છે? તે બહુ રીતે મદદરૂપ છે. દેહબળ, મનોબળ, બુદ્ધિબળ અને અહંકારનું બળ, અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે! જ્યારે, આખું અંત:કરણ બ્રહ્મચર્યનાં કારણે ખૂબ જ સુદ્રઢ અને શકિતશાળી બને છે.  

એકવાર આત્મસુખનો સ્વાદ ચાખ્યા પછી, વિષયી સુખો મોળાં લાગે.  જલેબી ખાધા પછી ચા પીધેલી? તો મોળી લાગે ને? પછી આપણે ચામાં ઘણો ટેસ્ટ કરવા જઈએ, પણ ટેસ્ટ ના બેસે. એવી જ રીતે, આત્મજ્ઞાન પછી, પોતે જે આત્મસુખ અનુભવે છે તે વિષયમાંથી મળતા સુખ કરતાં અનેક ગણું હોય છે. 

આ દેહ એ રેશમી ચાદરથી વીંટેલું હાડમાંસ જ છે. બુદ્ધિ બહારનું રૂપાળું દેખાડે છે, જ્યારે જ્ઞાન આરપાર જેમ છે તેમ દેખાડે. આ આરપાર દ્રષ્ટિ કેળવવા માટે દાદાશ્રીએ થ્રી વિઝનનું અદ્ભુત હથિયાર આપ્યું છે. આ અવતારમાં અક્રમજ્ઞાનથી વિષય બીજથી તદ્દન નિગ્રંથ થઈ શકાય એવું છે! મહીં રુચિનું બીજ પડેલું હોય, તે ધીમે ધીમે પકડાય ને તેનાથી છૂટાય. જેને એકાવતારી થવું હોય એને વિષયથી મુક્ત થવું જ પડે.

અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણે સમજી લેવાથી એ અટકે છે. જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્વિષયી બનેલા હોય, તેથી તેમનામાં જબરજસ્ત વચનબળ પ્રગટ થયું હોય. જે વિષયનું વિરેચન કરાવનાર બની રહે છે.

પરમ પૂજ્ય દાદાશ્રી પાસે જગતને જોવા માટેની દ્રષ્ટિ છે કે જેના દ્વારા પોતે જોઈ શકે કે શરીર અને પોતે જુદો (આત્મા જુદા) છે. દેહ વિનાશી છે અને તેથી દેહનાં અંગો તરફ આકર્ષણ થવામાં કંઈ સાર નથી, કારણકે અંતે, તો પોતે સુખી નથી થતો પરંતુ, દુઃખી જ થાય છે. તેઓ એવી રીતે સમજણ આપે છે કે ગમે તેવા મોટા બુદ્ધિશાળીને પણ તે આસાનીથી પચી જાય!

જો વિકારી ભાવોને અંદર જ સમજણથી, આત્મજ્ઞાન દ્વારા અને પુરુષાર્થથી જ શમાવી નાખે તો પોતે વિષયથી મુક્ત થઈ જાય.

Related Questions
  1. બ્રહ્મચારીનાં લક્ષણો ક્યા ક્યા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયનાં જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on