અંતઃકરણ - બાહ્યકરણ
અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવે છે. તેઓ ભેગા મળીને કામ કરે છે અને પછી રૂપકમાં ક્રિયા થાય છે. અંતઃકરણ અને બાહ્યકરણ વિષે વધુ જાણવા નિહાળો આ વિડિયો…
અન્ય ઈન્દ્રિયોની જેમ, માનવ મનનું પણ પોતાનું કાર્ય છે. મનનું કાર્ય વિચારવાનું છે. તે સારું પણ નથી કે ખરાબ પણ નથી. મન ગાંઠોનું બનેલું છે. જ્યારે બહાર કે અંદર કોઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે, ત્યારે મનમાં ગાંઠો ફૂટે છે અને વિચારો આવે છે. આ ગાંઠોનું ફૂટવું એટલે વિચારોની શરૂઆત થાય છે. અને આવા ઘણા વિચારો આવે છે ને જાય છે. આપણું કાર્ય એ છે કે મનમાં જે વિચારો આવે છે તેને જોવાના.
જ્યારે ઘણા બધા વિચારો એકસાથે આવે છે, ત્યારે આપણને થાય છે કે મનને મારી નાખીએ. પરંતુ, મનને મારી નાખવું એટલે ઉદાસીન થવું અને ઉદાસીન થવું એટલે આપણી વિચારવાની શક્તિને મારવી, એના જેવું છે. મોક્ષ મેળવવા માટે મનની જરૂર છે, કારણ કે આત્મજ્ઞાન પામવું હોય તો મનની જરૂર પડશે. ઉદાસીન બની જવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય બનતું નથી, જે મુક્તિ તરફ લઈ જાય છે.
‘જીવનરૂપી સમુદ્ર’માં મન એ ‘નાવ’ જેવું છે; અને આ નાવ વડે જ મનુષ્ય સમુદ્રને પાર કરીને કિનારે, એટલે કે મુક્તિ સુધી પહોંચી શકે છે. તેથી મનને મારવાનું નથી, પણ તેને ઓગાળવાનું છે.
માણસનું મન કેવી રીતે કામ કરે છે? તેની વૈજ્ઞાનિક સમજણ માટે આગળ વાંચો...


Q. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
A. ...એને કહેવાય વિજ્ઞાની! હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ... Read More
Q. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
A. આજનું મન, એટલે ગતભવની માન્યતા! પ્રશ્નકર્તા: મન, જીવ અને આત્મા એ વિશે કંઈ કહો. દાદાશ્રી: આ મન છે... Read More
Q. શું હું મંત્રોના જાપ કરીને મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
A. સ્વ-સ્વરૂપની ભજના... પ્રશ્નકર્તા: મનની વધુ શાંતિ મેળવવા માટે એવો કયો જપ વધુ કરવો કે જેથી મનની... Read More
Q. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
A. માંડે મન સંસાર જંગલમાંય! આ તો અહીં બેઠા હોય ને, આ તો સારું છે મારી રૂબરૂમાં બેઠા, તે જરાક અહીંયા... Read More
Q. મનને કેવી રીતે શાંત કરવું? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
A. પ્રયત્નો, ખીલે બાંધવાના... દાદાશ્રી: મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી... Read More
Q. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
A. મોક્ષે જવાનું નાવડું! પ્રશ્નકર્તા: બધાય 'મનને મારો' એમ જ કહે છે. દાદાશ્રી: હા. મનને કેમ મારવાનું?... Read More
A. પ્રશ્નકર્તા: મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે... Read More
A. મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય... Read More
Q. શું મન અને મગજ એક જ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
A. મન, મગજ ને આત્મા! પ્રશ્નકર્તા: મન એટલે મગજ કહેવાય? દાદાશ્રી: ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે.... Read More
Q. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
A. અસંગપંથી બનવા મનોનિગ્રહ જરૂરી! પ્રશ્નકર્તા: મનોનિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે શું? દાદાશ્રી:... Read More


subscribe your email for our latest news and events
