લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને દુઃખદાયક બની જાય છે. તે તમને અસુરક્ષિત અને સંકુચિત બનાવી દે છે. જાણ્યે-અજાણ્યે, આપણે બધાએ જીવનના કેટલાક તબક્કે આ અનુભવ કર્યો છે, પરંતુ કેટલાક લોકો માટે આ પ્રકારની લાગણીની અસર અત્યંત નિરાશાજનક થઈ શકે છે.
જગતના લોકોનો તમારા વિશે શું અભિપ્રાય છે, એ વાતને વધુ ગણકારશો નહીં. આમ કરવાથી તમારું જીવન સરળ બનશે. પાસાંની બીજી સારી બાજુ એ છે કે, તમારે સામાના વિનયમાં જરૂરથી રહેવું, પણ સામાના મંતવ્યોને પસંદ કરવાની અથવા તો એમના અનુરૂપ વર્તવાની આવશ્યકતા નથી. જો તમે પોતાના ઘરે પણ જોશો, તો દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ હશે. ઉદાહરણ તરીકે, જ્યારે રાત્રિભોજન માટે શું બનાવવું તે નક્કી કરવાની વાત આવે છે. ત્યારે પરિવારનો દરેક સભ્ય જુદી જુદી વસ્તુઓ પસંદ કરશે અને દરેકની ઈચ્છા પ્રમાણે બનાવવું અશક્ય બની રહે છે, આવી પરિસ્થિતિમાં પરિવારના અમુક સદસ્યોએ થોડી બાંધછોડ કરવી પડે છે.
તેવી જ રીતે જીવનમાં, તમે ક્યારેય પણ પ્રત્યેક વ્યક્તિને ખુશ રાખી શકશો નહીં. તમે જે પણ નિર્ણયો લો છો અથવા જે પણ કંઈ કાર્ય કરશો, તો તમને માપશે અને એના આધારે લોકો મંતવ્યો (પોતાના અભિપ્રાયો) આપશે. પોતાના નિર્ણયમાં અડગ રહી દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરવાને બદલે, તેમને દુઃખ ન પહોંચે એ માટે સક્રિયપણે પ્રયાસ કરો.
દરેક વ્યક્તિનું પોતાનો દૃષ્ટિકોણ હોય છે. આપણને જે સાચું લાગે છે, એ જરૂરી નથી કે સામાને પણ એવું જ લાગે. ઉદાહરણ તરીકે, આપણે એવું માનીએ કે, મોડી રાત્રે ન ખાવું જોઈએ, પરંતુ બીજા કોઈની પાસે મોડી રાત્રે ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે, તેને લાંબા સમય સુધી કામ કરવું પડે છે. આમાં કોઈ સાચું કે ખોટું નથી, ફક્ત દૃષ્ટિકોણ જુદા છે. અને તેથી જ લોકો આ પ્રકારની પરિસ્થિતિઓને જુદી જુદી રીતે સમજે છે.
સારા અને ખરાબમાં અંતર રાખવાનું કામ બુદ્ધિનું છે. સમ્યક્ બુદ્ધિ આપણને સારી બાબતો બતાવશે અને વિપરીત બુદ્ધિ આપણને ખરાબ બાબતો બતાવશે. વિપરીત બુદ્ધિથી આપણે ભારે દુ:ખનો અનુભવ કરીશું, જ્યારે સમ્યક્ બુદ્ધિથી આપણે શાંતિનો અનુભવ કરીશું. ચોરની દૃષ્ટિએ ચોરી કરવી એ ખરાબ વસ્તુ નથી. તેથી, જ્યારે ચોરનો ન્યાય કરવામાં આવે છે, ત્યારે તે દુ:ખ અનુભવે છે, કેમ કે તેની દૃષ્ટિ (વિચારસરણી) જુદી છે.
આ ઉપરાંત, તમારે અન્યના અભિપ્રાયો અથવા ધારણાઓની અસરથી દૂર રહેવા માટે, પોઝિટિવ (સકારાત્મક) બુદ્ધિ જાળવવી પડશે અને તેમની સાથે એડજસ્ટમેન્ટ લેવું પડશે. જો કે, જો તમારી જે બાબતમાં શ્રદ્ધા હોય અને અન્ય લોકો તમારી વિચારધારા સાથે સહમત નથી, તો તમે જે યોગ્ય લાગે છે તે કરવાનું ચાલુ રાખો, પરંતુ તેના કારણે કોઈને દુઃખ ન થાય એ ધ્યાન રાખવું.
આ દુનિયામાં આપણું સ્થાન સ્થાપિત કરવા માટે, આપણે પોતાનું લક્ષ્ય નક્કી કરવું પડશે. ધ્યેય વિનાનું જીવન અસ્પષ્ટ અને મૂંઝવણભર્યું થઈ જશે. આપણી પાસે કોઈ દિશા નહીં હોય અને આપણે લક્ષ્ય વિના આગળ વધીશું.
મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી, આપણે બે વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ:
આ લક્ષ્યને પ્રાપ્ત કરવાથી આપણે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ આત્માનું કાયમી સુખ અનુભવી શકીશું. જગતના પ્રત્યેક જીવમાત્રને આ સુખનો અધિકાર છે, આમાં કોઈ શંકા નથી. પડકાર માત્ર એ જ છે કે લોકો તેમના જીવનકાળ દરમિયાન શેની પસંદગી કરે છે.
"જીવનના બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે: 'જ્ઞાની પુરુષ' આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈનેય કિંચિતમાત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારા દરેક કામ થાય. 'પઝલ' 'સોલ્વ' થઈ જાય બધાં." - દાદા ભગવાન
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી અને... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events