અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો
પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય.
દાદાશ્રી: હા, પલટો થતો જાય.
પ્રશ્નકર્તા: એ જ આત્માનો અનુભવ.
દાદાશ્રી: બસ, એ જ, એ જ.
પ્રશ્નકર્તા: જે પલટો થતો જાય, જે પોઝિટિવ થતો જાય....
દાદાશ્રી: પોતાના દોષ દેખાતા જાય. આ જગતમાં આ બધા લોક છે ને પણ પોતાના દોષ (કોઈને) ના દેખાય. સામાના દોષ કાઢવા હોય તે બધા કાઢી આપે, જ્યારે અહીં તો પોતાના દોષો દેખાય.
પ્રશ્નકર્તા: હા, પોતાના દોષ દેખાય!
દાદાશ્રી: બધું દેખાય, બધું.
પ્રશ્નકર્તા: પછી કાંઈક ખરાબ-ખોટું, સારું-નરસું તેનો ખ્યાલ આવે તે અનુભવ કહેવાય ને?
દાદાશ્રી: બધું પોતાને ખબર પડી જાય, પોતાને ખ્યાલ આવી જાય એ જ આત્મા.
Reference: Book Name: આપ્તવાણી 14 (Part 4) (Page #344 - Paragraph #11 to #13, Page #345 - Paragraph #1 to #7)
વિજ્ઞાન હાથમાં આવ્યું છે તો પૂરું કરી લો
આ તો અલૌકિક વિજ્ઞાન છે. આ કંઈ ધર્મ નથી, આ તો વિજ્ઞાન છે. તરત જ ફળ આપનારું છે. માટે કહીએ છીએ કે હવે કામ કાઢી લો.
અક્રમ વિજ્ઞાનની કેટલી અજાયબી છે કે માણસને પોઝિટીવ સાઈડમાં મૂકી દે છે! પોઝિટીવ સાઈડમાં આવતા આવતા માણસને કરોડો અવતાર થાય. આ નેગેટિવ ધીમે ધીમે કાઢતા કાઢતા ક્યારે પાર આવે?
પ્રશ્નકર્તા: જેટલો વખત નેગેટિવ પૂર પૂર કર્યું હોય એટલો વખત લાગે.
દાદાશ્રી: એટલો બધો વખત બસ, એમાં ને એમાં જાય. અને દોસ્તારોય નેગેટિવવાળા મળી ગયા. સગાવ્હાલા, દોસ્તાર બધું ઊંધું, સંયોગો બધા નેગેટિવવાળા.
પ્રશ્નકર્તા: બધું નેગેટિવમાં.
દાદાશ્રી: તે નેગેટિવ પોર્શન (નકારાત્મક ભાગ) જ ઊડી ગયો આખો. એ કંઈ જેવી તેવી વસ્તુ છે? દેહાધ્યાસ હોય ત્યાં સુધી નેગેટિવ સાઈડ જ હોય. નેગેટિવપણું ગયું બધું. એક માણસ માટે જરા ખરાબ વિચાર આવવો તે પણ નેગેટિવ, આપણને ગાળ ભાંડતો હોય એના માટે ખરાબ વિચાર આવે તોય નેગેટિવ કહેવાય. એય પાછું પેલા માણસ પર નથી જતું, ખુદ ભગવાન પર જાય છે. એને (મહીં) એના ભગવાન રહેલા જ છે ને! આટલી બધી જવાબદારીઓ ઉપાડે છે. માટે કહીએ છીએ કે આ (વિજ્ઞાન) હાથમાં આવ્યું છે ને પૂરું કરી લો ને કામ કાઢી લો. ચા પીઓ છો તેનો વાંધો નહીં, સ્ટેશન પર ભજિયા ખાઓ છો તેય વાંધો નહીં પણ આટલું ધ્યાનમાં લક્ષમાં રાખજો કે આ જે સામાન છે તે પૂરેપૂરું કામ કાઢી લેવા જેવો છે એ. આપણા અનુભવમાં આવેલું છે પાછું કે આ નેગેટિવમાં જતું નથી.
Reference: દાદાવાણી May 2012 (Page #21 - Paragraph #10 & #11, Page #22 - Paragrapgh #1 to #5)
જીવનમાં નેગેટિવ શા કારણથી ઊભા થઈ જતાં હોય છે? ધાર્યા પ્રમાણે ના થાય તો અપમાન મળે, માન બરોબર ન સચવાય તો, મોહ-અપેક્ષા પ્રમાણે ના મળે તો, કોઈ નુકસાન કરે તો ત્યાં નેગેટિવ ઊભા થાય. જેને છૂટવું છે, તેણે નેગેટિવના કારણો શોધી કાઢી પોઝિટિવથી ભાગાકાર કરે અને જ્ઞાનથી છેદ ઊડાવે તો જ એ કર્તાપણાની, માનની, મોહની, લોભની ગાંઠ તૂટે અને જીવનમાં શાંતિ થાય, મોક્ષમાર્ગે આગળ વધાય.
જેમ સિક્કાની બે બાજુ હોય તેમ જીવનવ્યવહારમાં બે જાતના પરિણામ હોય જ, 'પોઝિટિવ' અને 'નેગેટિવ'. કોઈપણ પોઝિટિવ લાઈન ભગવાન પક્ષી છે, નેગેટિવ લાઈન શૈતાન પક્ષી છે. જગતમાં નેગેટિવ દુઃખ આપશે અને પોઝિટિવ સુખ આપશે. આત્મા પોઝિટિવ પક્ષ છે ને બુદ્ધિ નેગેટિવ પક્ષ છે. જેનું મન કાયમ પોઝિટિવ થઈ ગયું તે જ ભગવાન. નેગેટિવ તો સંસારી વાતોમાં સમય બગાડે ને ગૂંચવે, સુખ ના આવવા દે અને સંસારમાંથી બહાર ના નીકળવા દે. સંસાર વ્યવહારમાં નેગેટિવ ભાંગવામાં જેટલો સમય નકામો જાય છે તેના કરતાં પોઝિટિવમાં જોઈન્ટ થઈ જાય તો નેગેટિવ ઓટોમેટિક ભાંગી જશે. એટલે દાદાશ્રી કહે છે વ્યવહારમાં પોઝિટિવ રહેજો, નેગેટિવ ના થશો. પોઝિટિવ રહે તો સંસારની કોઈ અડચણ અડે નહીં.
પોઝિટિવ-નેગેટિવ અંગેની સાચી સમજ દાદાશ્રીના શ્રીમુખે નીકળેલી સત્સંગ સરવાણીમાંથી પ્રાપ્તિ થાય છે, જેથી જીવનમાં આશા-નિરાશા, ચડતી-પડતી કે સુખ-દુઃખના પ્રસંગોમાં નોર્માલિટીમાં રહી, સાચું સમાધાન મેળવી, જીવન ખરા અર્થમાં જીવવા લાયક બની જાય છે. દાદાશ્રી સૈદ્ધાંતિક સમજ આપતા કહે છે, 'જીવનમાં એક પ્રિન્સિપલ રાખવો, હંમેશા પોઝિટિવ રહેવું. નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.'
Reference: દાદાવાણી sep 2009 (Page #1 - Paragraph #2 to #4)
સૈદ્ધાંતિક વાત, જ્ઞાનીની
આપણો સિદ્ધાંત શું છે? પોઝિટિવ. નેગેટિવ નહીં, તલવાર લઈને આવ્યો તો આપણા હાથમાં તલવાર હોય તો નીચે મૂકી દેવાની. પોઝિટિવ આપણું. કતલખાનું ખરું પણ અહિંસક કતલખાનું. જીવહિંસા ના થાય. ભ્રષ્ટાચારી ગુણો બધા કતલ થઈ જાય અને સદાચારી ગુણો ઉત્પન્ન થાય. બહારના ગુણો બધા બદલાઈ જાય.
મૂળ ભગવાન મહાવીરના વખતથી ચાલતું આવ્યું છે કે પોઝિટિવ મોક્ષે વહ્યા જાય અને નેગેટિવ તદ્દન ઊંધા રસ્તે ચાલ્યા જાય. એટલે આપણે જીવનમાં એક પ્રિન્સીપલ રાખવો. હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.
અમારું મન છે તે વર્ષોનાં વર્ષો ગયા પણ એક સહેજેય નેગેટિવ થયું નથી. સહેજેય, કોઈપણ સંજોગોમાં નેગેટિવ થયું નથી. લોકોને આ મન જો પોઝિટિવ થઈ જાય, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટિવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટિવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ નહીં ને નેગેટિવેય નહીં!
એકવાર પૂર્ણ જાગૃતિ આવ્યા પછી પોઝિટિવીટી ક્યારેય જશે નહિ. અને ક્યારે પૂર્ણ જાગૃતિ થશે? આત્મ અનુભવ પછી.
Q. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
A. પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો! એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં કહ્યું કે 'આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
A. સામાની સમજણ શોધાય? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા! એવું બોલાતું હશે? પછી ઝઘડા જ થાય ને! પણ એવું ના...Read More
A. સંજોગ સુધારીને મોકલો દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત? પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયા, ઘૈડપણ ખરું ને! દાદાશ્રી: સંયોગોનો...Read More
A. પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે? પ્રશ્નકર્તા: મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું કામ આ ૨૮ વર્ષની ઉંમરે મારી પાસેથી એણે છીનવી લીધી, એની...Read More
Q. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
A. ત્યારે કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે... પ્રશ્નકર્તા: દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી જોયેલું હોય, એટલે એ નેગેટિવ જ એને પછી પોઝિટિવ જેવું થઇ જાય...Read More
Q. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
A. પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ જાય? દાદાશ્રી: નાસ્તિક કહે છે તે? હવે નાસ્તિક જેવું આ જગતમાં કોઈ...Read More
Q. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
A. પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
A. નેગેટિવ વિચારવાની પણ હદ શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ નેગેટિવે તો મારી નાખ્યા છે લોકોને. નેગેટિવ વલણથી જ મરી ગયા છે...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
A. નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય ને! જે પોઝિટિવ વિચાર કરે મારું સારું જ થવાનું છે. મારે...Read More
Q. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
A. ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ થાય એ સમજણ કહેવાય. ઓછી સમજણવાળો સંકુચિત થતો જાય. જેટલું...Read More
Q. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
A. સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારીને,...Read More
subscribe your email for our latest news and events