અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
નેગેટિવ વિચારવાની પણ હદ
શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ નેગેટિવે તો મારી નાખ્યા છે લોકોને. નેગેટિવ વલણથી જ મરી ગયા છે લોકો.
જુઓ ને, કેટલે સુધી વિચાર કરી નાખે! દુકાન એક બાર મહિના ના ચાલી હોય તો 'દુકાન નાદારી થઈ જશે અને નાદારી પછી આવી થશે ને, ત્યાર પછી મારી સ્થિતિ આવી થશે.' આ લોકો ત્યાં સુધી વિચારી નાખે! ક્યાં સુધી વિચારી નાખે? તે એક માણસ મને કહે છે, 'વિચાર કર્યા વગર ચાલતું હશે? વિચાર કર્યા વગર દુનિયા શી રીતે ચાલે?' ત્યારે મેં કહ્યું, 'તું આ બોમ્બે સીટીમાં ડ્રાયવરની જોડેની સીટમાં બેસે અને ડ્રાયવરને કહે કે 'તું શું શું વિચાર કરું છું? હવે આમ આમ જઈશ, આમ કરીશ, તેમ કરીશ, એવા વિચાર કરું છું? એ શું કરે?' એવા કોઈ વિચાર ન કરે. એટલે દરેક માણસે અમુક હદ સુધીનો વિચાર કરવો. પછી પોતાનો વિચાર બંધ કરી દેવો, સ્ટોપ જ કરી દેવો જોઈએ, દરેક બાબતમાં. તે આપણે આ મરી જવાની વાત હોય તો આપણે તરત સ્ટોપ કરી દઈએ છીએ, પણ આમાં વેપારમાં નથી કરી દેતા. તમને કેમ લાગે છે?
પ્રશ્નકર્તા: બરોબર છે, વિચારની પણ અમુક હદ હોય.
દાદાશ્રી: સ્ટોપ કરતાં આવડે છે. નથી આવડતું એવું નહીં. આ તો (એમાં જ) રમણતા કરે છે. અક્કલની કોથળી ચલાવે છે. છોકરો આજથી લડે છે તો 'હું ઘૈડો થઉં ત્યારે, મારું કોણ?' 'અલ્યા મૂઆ! આવું અહીં સુધી વિચારી નાખ્યું!' આજના દહાડાનું જ, ભગવાને આવતી કાલનું વિચારવાનું ના કહ્યું છે. થીંક ફોર ટુડે, નોટ ફોર ટુમોરો! (આજ માટે વિચારો, આવતી કાલ માટે નહીં.) અને તે અમુક બાબતમાં. ગાડીમાં બેઠો હોય, પછી 'અથડાશે તો શું થઈ જશે? અથડાશે તો શું થઈ જશે?' છોડોને, એ વિચાર બંધ કરી દેવાનો. આ તો એવા વિચાર કરે છે ઠેઠ, 'દુકાનમાં નાદારી આવી ગઈ, ત્યાર પછી શું સ્થિતિ ને ત્યાર પછી શું સ્થિતિ? શુક્કરવારીમાં ભીખ માંગવી પડશે.' એય પાછો બૈરીને કહે, 'ભીખ માંગવી પડશે.' 'મૂઆ, કંઈથી જોઈ આવ્યો?' 'આ મેં વિચારી નાખ્યું' કહેશે. હવે આ અક્કલનો કોથળો! હવે આને અક્કલખોર કહેવા? અક્કલ એનું નામ કે નિરંતર સેફસાઈડ રાખે. કોઈ પણ જગ્યાએ સેફસાઈડ તોડે, એને અક્કલ જ કેમ કહેવાય? અને અક્કલ તો સેફસાઈડને સાચવી લે ત્યાં સુધી કરી શકે એમ છે.
એટલે માણસ કેટલું વિચારવાનું એ સમજે તો બહુ થઈ ગયું, ઘણાં દુઃખો ઓછાં થઈ જાય. અને બીજું 'ભોગવે એની ભૂલ' નક્કી કરી લે તો ઘણા દુઃખો ઓછા થઈ જાય. ત્રીજું 'અથડામણને ટાળે', તો ઘણાં દુઃખો ઓછાં થઈ જાય.
Reference: દાદાવાણી Sep 2009 (Page #12 - Paragraph #4 to #9, Page #13 - Paragraph #1)
બુદ્ધિ નેગેટિવ, પોઝિટિવ આત્મા!
આત્મા પોઝિટિવ છે અને બુદ્ધિ નેગેટિવ છે. વિચારો કરાવડાવે, આમ નથી થવા દેતું ને આમ થવા દેતું નથી. નથી થવા દેતું એને જોવાનું નથી, શું થવા દે છે એ જોવાનું છે. તો બહુ રીતે મહીં, ચોગરદમની મદદ કર્યા કરે.
એટલે બુદ્ધિ તો આપણો ટાઈમ બગાડે ને આપણને આનંદ ઉત્પન્ન થવા ના દે. અને 'મારું કશું જ અધૂરું નથી', આમ કહેવું, 'ધન્ય છે આ દિવસ!' શ્રીમદ્ રાજચંદ્રને એક 'સમકિત પ્રકાશ્યું' તેમાં તે કહે છે, 'ધન્ય રે દિવસ આ અહો!'
એટલે આપણે ત્યાં નેગેટિવ વાતો ના હોય, બધી પોઝિટિવ વાતો હોય. નેગેટિવ તો સંસારી વાતો, ટાઈમ બગાડે. ગૂંચવે અને સુખ ના આવવા દે.
Reference: Book Name: આપ્તવાણી 10 (U) (Page #92 - Paragraph #4 to #6)
Q. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
A. પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો! એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં કહ્યું કે 'આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
A. સામાની સમજણ શોધાય? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા! એવું બોલાતું હશે? પછી ઝઘડા જ થાય ને! પણ એવું ના...Read More
A. સંજોગ સુધારીને મોકલો દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત? પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયા, ઘૈડપણ ખરું ને! દાદાશ્રી: સંયોગોનો...Read More
A. પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે? પ્રશ્નકર્તા: મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું કામ આ ૨૮ વર્ષની ઉંમરે મારી પાસેથી એણે છીનવી લીધી, એની...Read More
Q. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
A. ત્યારે કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે... પ્રશ્નકર્તા: દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી જોયેલું હોય, એટલે એ નેગેટિવ જ એને પછી પોઝિટિવ જેવું થઇ જાય...Read More
Q. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
A. પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ જાય? દાદાશ્રી: નાસ્તિક કહે છે તે? હવે નાસ્તિક જેવું આ જગતમાં કોઈ...Read More
Q. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
A. પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
A. નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય ને! જે પોઝિટિવ વિચાર કરે મારું સારું જ થવાનું છે. મારે...Read More
Q. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
A. ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ થાય એ સમજણ કહેવાય. ઓછી સમજણવાળો સંકુચિત થતો જાય. જેટલું...Read More
Q. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
A. સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારીને,...Read More
Q. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
A. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય. દાદાશ્રી: હા, પલટો થતો...Read More
subscribe your email for our latest news and events