અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોસમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો
મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારીને, હાથ તો નથી ભાંગ્યોને! એટલી તો બચત થઈ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો બીજો તો નથી ભાંગ્યોને! બે હાથ કાપી નાખ્યા ત્યારે કહે, પગ તો છે ને! બે હાથ ને બે પગ કાપી નાંખે તો કહેવું કે હું જીવતો તો છું ને. આંખે તો દેખાય છે ને! લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં, હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને? ભગવાને સમ્યક્ દ્ષ્ટિથી જોયું. જેથી નુકસાનમાં પણ નફો દેખાય.
આપણને ગાળો દે તો એ ખાવાની (જમે કરી લેવાની). આપણે નેગેટિવ નહીં, પોઝિટિવ લેવાનું. જગતમાં નેગેટિવ તો છે જ. આપણે પોઝિટિવ રાખવું પણ નેગેટિવથી કંટાળવું નહીં.
Reference: દાદાવાણી Sep 2009 (Page #22 - Paragraph #4 & #5)
દુઃખનું કારણ, અણસમજણ
કેટલાંક માણસો બે હજાર જતાં રહે તો કશું અસર ના થાય. એવું બને કે ના બને? કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધા દુઃખો એ આપણી અજ્ઞાનતાના છે.
કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાંક લોકો તો, અંદર દુઃખ ને બહાર પણ દુઃખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથા ફોડીને મરી જઉં તોય એનો ફેરફાર થવાનો નથી.
પ્રશ્નકર્તા: આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ.
દાદાશ્રી: હા. પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ લે. નહીં તો પછી બુદ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય તે?
Reference: દાદાવાણી Feb 2010 (Page #7 - Paragraph #1 to #4)
દુઃખ ઊભા નેગેટિવ વલણથી
પ્રશ્નકર્તા: કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય?
દાદાશ્રી: પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તોય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે. નહીં તો નેગેટિવ જ જુએને. આ જગત આખું દુઃખી છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે. આ પોતાની મિલો હોવા છતાંય! માટે સમજવાની જરૂર છે.
જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને! કંઈ બધાને મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને! ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો, કઈ રીતે જીવન જીવવું. સુખને માટે ભટકે છે ને, તો સુખ ક્લેશમાં હોય ખરું? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તોય દુઃખ ના લાવે. દુઃખ હોય ને તો એને બહાર કાઢે.
Refrence: દાદાવાણી Sep 2009 (Page #16 - Paragraph #3 to #5)
subscribe your email for our latest news and events