નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી
પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય ને! જે પોઝિટિવ વિચાર કરે મારું સારું જ થવાનું છે. મારે આમ થવું છે!
દાદાશ્રી: હા, તો તો વાંધો નહીં. પણ પેલો જે નેગેટિવ શબ્દ છે ને તેને એકવાર ખસેડી મૂકવો જોઈએ. પછી પોઝિટિવ વિચાર કરવો. નહીં તો એકબાજુ પેલા શબ્દનું દબાણ વધતું જાય અને પેલો શબ્દ વધતો જાય. બેનું એ થાય નહીં. બાદબાકી કરી નાખવી જોઈએ પહેલી. એ શબ્દ ઉડાડી દેવો જોઈએ.
'આ તો મને આંખે ઓછું દેખાય છે,' કહેશે. ૩૫ વર્ષનો હતોને, કહે છે. 'ઓછું દેખાય છે.' અલ્યા, આંખ બદલાવી નાખને. આંખના પર્યાય બદલાય નહીં? કંઈ કાયમ આંખના (ઓછું દેખાય છે) એ જ પર્યાય રાખવા છે તારે? મેં કહ્યું બોલ કે 'આંખે મને સારું દેખાય છે'.
પ્રશ્નકર્તા: આંખે સારું દેખાય છે.
દાદાશ્રી: આ એવું વધુ પડતું બોલે, આંખે મને સારું થયું, તો આંખ સારી દેખતી થાય પછી આજે મને ૭૪ વર્ષ થયા, પણ હું ૪૨ વર્ષનો હોઈશ કે નહીં હોઈશ? ત્યારે આપણા લોકો શું કહે, કે '૪૨ વર્ષનો છે, એટલે પેલું પેપર વંચાય નહીં.' પેલા ઝીણા અક્ષર આવેને આમ ત્યારે લોકો પાસે સાંભળેલું કે બેતાળીસ વર્ષ થાય એટલે બેતાલા આવે. ત્યારે મેં કહ્યું, ૪૨ વર્ષે થયા એટલે બેતાલા આવ્યા ત્યારે. એટલે પછી ચશ્મા લાવ્યો. ચશ્મા લાવ્યા ને પછી વર્ષ-દોઢેક વર્ષ પહેર્યા. પછી એક જણ મારા ચશ્મા આમ મૂક્યા'તાને, તે આમ લઈને આમ જોવા માંડ્યો. પછી 'હું જરા પેપર વાંચું' કહે છે. મેં કહ્યું, 'વાંચો ને!' 'શું વાત કરું, આ તમારા ચશ્માથી મને બહુ સરસ દેખાય છે' કહે છે. ત્યારે મેં કહ્યું 'હવે લઈ જાઓ. હવે પાછો ના લાવશો.' પછી તરત મેં વાંચવા માંડ્યું તો મને દેખાવા માંડ્યું. ઝીણા અક્ષર બધાં દેખાયા. અત્યારેય ઝીણા અક્ષર બધા દેખાય. સાંજે સાડા છ વાગ્યેય વંચાય. દહાડે સૌ કોઈ વાંચે પણ સાંજે સાડા છ વાગ્યે એ હું વાંચું છું. એટલે શું બોલવું જોઈએ આપણે?
પ્રશ્નકર્તા: સારું છે, પોઝિટિવ.
દાદાશ્રી: 'નેગેટિવ બોલ્યા' કે એવું નીચે ઉતારીને મૂકી દો (બાજુ પર મૂકી દો). તમે જો નીચે ઉતારીને મૂકી દો અગર તો દાદાને રિડિરેક્ટ કરી દો. એને કોઈ ટીકીટો હોતી નથી. મૂળ ધણી નહીં મળવાથી એ (નેગેટિવિટી) ત્યાં રહે છે અત્યારે (પોતાની પાસે જ).
Reference: દાદાવાણી Sep 2009 (Page #14 - Paragraph #2 to #9)
ચિંતવે તેવું થાય
પ્રશ્નકર્તા: આ પોઝિટિવ દ્ષ્ટિને લીધે આ ઉંમરે પણ દાદા એકદમ યંગ દેખાય છે.
દાદાશ્રી: એ રોજ બધા કહે છે. પછી હુંય અરીસામાં જોઉં, દેખાય આ કેવા? મનેય યંગ દેખાય છે. બધાં કહે એટલે પછી અસર થાયને મહીં. બાકી 'હું ઘૈડો છું' એવું કોઈ દહાડો બોલું નહીં. કારણ હું તો શુદ્ધાત્મા છું, ઘૈડો તો, દેહ થાય. એ બોલે નહીં. અમારા પૂછ્યા સિવાય શી રીતે બોલે? વ્યવહારમાં કહે કે 'ભઈ, આ ઘૈડા છીએ.' પણ 'હું ઘૈડો છું' એવું ના બોલાય. કારણ કે 'હું તો શુદ્ધાત્મા છું' એટલે અમારા હિસાબ બધા જુદી જાતના હોય. 'હું શુદ્ધાત્મા' થઈને 'હું ઘૈડો છું' ખરેખર બોલ્યા, તો તમે તેવા થઈ જશો. એટલે તમે કહો કે હું ઘૈડો થયો, એ તમે તમારે માટે નથી બોલતા, પણ અંદરખાને જાણતા હોય કે હું જુદો ને આ તો *ચંદુભાઈના માટે બોલાય છે. એટલે તમને અસર ના થાય. બધું ઇફેક્ટિવ છે. આ વર્લ્ડમાં એક શબ્દ બોલ્યા કે ઇફેક્ટિવ છે બધું!
'*ચંદુભાઈ' કહે કે મારી તબિયત બગડી છે. તો 'આપણે' અંદરખાને સમજવું કે એ *ચંદુભાઈની તબિયત બગડી છે, પણ મારી તો નહીં જ ને!
પ્રશ્નકર્તા: હા, દાદા. *ચંદુભાઈને માટે કહેવાનું. અને 'તબિયત સારી છે' એવું પોઝિટિવ બોલવાનું આપણે.
દાદાશ્રી: એટલે 'તબિયત સારી છે' એવું કહો. *ચંદુભાઈ કહે કે 'મારી તબિયત ખરાબ છે.' ત્યારે આપણે કહીએ, 'ના, સારી છે.' એમાં બીજું કંઈ લાંબું હોય નહીં, પણ શાંતિ રહે એને! બાકી તમે પોતે જ કહો કે, 'મારી તબિયત સારી છે', તો સારી થઈ જાય. તમે પોતે જ કહો કે 'મારી તબિયત ખરાબ છે', તો ખરાબ થઈ જાય. એટલે જેવું ચિંતવે એવો એ થઈ જાય!
સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેમ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય છે.
* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
Reference: દાદાવાણી Sep 2009 (Page #15 - Paragarph #8 to #12, Page #16 - Paragraph #1 & #2)
નેગેટિવની કેટલી બધી જોખમદારી !
ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ગાળો ભાંડે. ન્યાય-અન્યાય તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો જગતનું એક થર્મોમીટર છે કે કોને કેટલો તાવ ઉતરી ગયો ને કેટલો ચઢ્યો? જગત ક્યારેય ન્યાયી બનવાનું નથી અને અન્યાયીયે થઇ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.
આ જગત છે ત્યારથી આવું ને આવું જ છે. સત્યુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા, તો અત્યારે ના હોય? આ ચાલ્યા જ કરવાનું. પહેલેથી આ મશીનરી એવી જ છે. એને ગમ પડતી નથી. પોતાની જવાબદારીઓનું ભાન નથી. માટે બેજવાબદારીવાળું બોલશો નહીં, બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં, બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઇનું સારું કરવું હોય તો કરવા જજો, નહીં તો બૂરામાં પડશો જ નહી ને બૂરું વિચારશો નહીં. કોઇનું બૂરું સાંભળશોય નહીં. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે!!!
નકારાત્મક વિચારોથી જુદા રહીને, તેની અસરોથી જુદા રહી શકાય છે. ખરાબ વિચારોને કાબુમાં કેવી રીતે કરવા તે જાણવા ક્લીક કરો.
Q. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
A. પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો! એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
A. સામાની સમજણ શોધાય? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા... Read More
A. સંજોગ સુધારીને મોકલો દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત? પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા... Read More
A. પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે? પ્રશ્નકર્તા: મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું... Read More
Q. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
A. ત્યારે કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે... પ્રશ્નકર્તા: દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી... Read More
Q. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
A. પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ... Read More
Q. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
A. પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
A. નેગેટિવ વિચારવાની પણ હદ શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ... Read More
Q. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
A. ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ... Read More
Q. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
A. સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો... Read More
Q. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
A. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે... Read More
subscribe your email for our latest news and events