માટે અમે પરમ હિતનું કહીએ છીએ. ટ્રીકો વાપરવાની બંધ કરો. ચોખ્ખે ચોખ્ખો વેપાર કરો. ઘરાકને સાફ કહી દો કે ભાઈ, આમાં મારા પંદર ટકા છે. તમારે જોઈતું હોય તો લઈ જાવ. ભગવાને શું કહ્યું છે ? જો તને ત્રણસો રૂપિયા મળવાના છે તો ચોરી કરીશ કે ટ્રીકો વાપરીશ કે પછી ચોખ્ખો રહીને ધંધો કરીશ, તને તેટલા જ મળશે. એમાં એક પૈસો પણ આઘોપાછો નહીં થાય. ત્યારે મૂઆ ચોરી અને ટ્રીકોની જોખમદારી શું કામ વહોરે છે ? થોડા દહાડા ન્યાયમાં રહીને જ ધંધો કરી જુઓ. શરૂઆતમાં છ-બાર મહિના અડચણ પડશે. પણ પછીથી ફર્સ્ટ કલાસ ચાલશે. લોકો પણ સમજી જશે કે, આ માણસનો ધંધો ચોખ્ખો છે, ભેળસેળિયો નથી. તે એની મેળે વગર બોલાવ્યે તમારી જ દુકાનમાં આવશે. કેટલા ઘરાક આજે તમારી દુકાનમાં આવશે તે 'વ્યવસ્થિત' જ હોય છે. ત્યારે અક્કરમી ગાદીએ બેસી હમણાં ઘરાક આવે તો સારું, હમણાં આવે તો સારું એમ ચીતર ચીતર કરશે. તે પોતાનું ધ્યાન બગાડે છે.
જો મનમાં એવું નક્કી કર્યું હોય કે મારે તો ચોખ્ખો ભેળસેળ વગર ધંધો કરવો છે તો તેવો મળી આવે. ભગવાને કહ્યું છે, કે ખાવાની વસ્તુઓમાં, સોનામાં ભેળસેળ કરીશ તો એ ભયંકર ગુનો છે.
કચ્છીઓને પણ આ ટ્રીકનો ભયંકર રોગ. એ તો વાણિયાનેય ટપી જાય !
અત્યારે તો ટ્રીકવાળાની વચ્ચે જ રહેવું પડે તેવો જમાનો છે. છતાં આપણાથી ટ્રીકોમાંથી ક્યારે છૂટાય, એ જ નિરંતર લક્ષમાં હોવું જોઈએ. એ લક્ષમાં હશે તો પશ્ચાત્તાપથી મોટી જોખમદારીમાંથી છૂટી જશો ને એવા સંયોગ પણ મળી રહેશે કે તમારે એકુય ટ્રીક વાપરવી નહીં પડે ને ધંધો સરસ ચાલશે. પાછા લોક તમારા ધંધાને વખાણશે.
જો આપણે મોક્ષે જવું હોય તો જ્ઞાનીના કહ્યા અનુસાર કરવું જોઈએ અને જો મોક્ષે ના જવું હોય તો જમાનાને અનુસરીને કરવું. પણ મનમાં એટલો ખટકો તો અવશ્ય રાખવો જ કે મારે આવો ટ્રીકવાળો ધંધો નથી કરવો. તે એવો ધંધો મળી આવશે. વેપારમાં તો એવું હોવું જોઈએ કે નાના છોકરા આવે તોય માબાપને ભો ના હોય કે છોકરો છેતરાશે.
Q. મારે ધંધો કેટલો વધારવો જોઈએ?
A. પ્રશ્નકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઈએ ? દાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, જ્યારે... Read More
Q. શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના... Read More
Q. ધંધામાં ટ્રીક... શું મારે વાપરવી જોઈએ?
A. લક્ષ્મી શાથી ખૂટે છે ? ચોરીઓથી. જ્યાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.... Read More
Q. ધંધામાં ખોટ આવે, ત્યારે શું કરવું ?
A. પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઈ ગયું... Read More
Q. દેવું ખૂબ થઈ જાય તો શું કરવું ?
A. પ્રશ્નકર્તા : માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય ? દાદાશ્રી : દેવું મૂકીને મરી જાય તો ? દેવું... Read More
Q. મંદીના સમયમાં શું કરવું? લક્ષ્મીનો સ્વભાવ શું છે?
A. પ્રશ્નકર્તા : જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું ? દાદાશ્રી : એક વરસ વરસાદ ના પડે... Read More
Q. અનીતિનાં પૈસાની શું ઈફેક્ટ આવે છે?
A. મુંબઇમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન... Read More
Q. ધંધામાં નીતિમત્તા એટલે શું?
A. પ્રશ્નકર્તા : આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ ? દાદાશ્રી : એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર... Read More
A. જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તો ય સંતોષ ના થાય !... Read More
subscribe your email for our latest news and events