મનુષ્યોનું નિરાશ્રિતપણું
આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય. આ મનુષ્યોને તો કોઈનોય આશરો નથી. કોઈનો આશરો લીધો હોય તો પોતે જ નિરાશ્રિત હોય તે તારો શો શક્કરવાર વળવાનો ? હવે નિરાશ્રિત કેવી રીતે તે હું તમને ભગવાનની ભાષામાં સમજાવું.
એક શેઠ, એક મહારાજ અને તેમનું પાળેલું એક કૂતરું એમ ત્રણ જણા પ્રવાસે નીકળ્યા. તે રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું અને સામા ચાર બહારવટિયા ધારિયાં, બંદૂક સાથે મળ્યા. આ પ્રસંગની ત્રણેયની શી ઈફેક્ટ થાય ? શેઠને થાય કે આ મારી પાસે દસ હજારની પોટલી છે તે મૂઆ લઈ લેશે તો મારું શું થશે ? ને મારી નાખશે તો મારું શું થશે ? મહારાજને શું થાય આપણી પાસેથી તો કંઈ લેવાનું છે જ નહીં. આ લોટું-બોટું છે તે મૂઆ લેશે તો દેખા જાયેગા. પણ મૂઆ મારો ટાંટિયો-બાંટિયો ભાંગી નાખશે તો મારું શું થશે ? મારી ચાકરી કોણ કરશે ? અને કાયમનો લંગડો થયો તો મારું શું થશે ? જ્યારે પેલું કૂતરું તો એક વારકું બહારવટિયાઓની સામું ભસશે ને બહારવટિયા જો એને લાકડી મારશે તો એ ક્યાંઉં.... ક્યાંઉં.... કરતું ટગર ટગર શેઠને પડતો માર જોયા કરશે. તેને એમ ના થાય કે મારું શું થશે ? કારણ કે તે આશ્રિત છે ને આ અક્કરમીઓ નિરાશ્રિત છે. હવે મારું શું થશે એવું એકવાર પણ વિચારમાં આવ્યું તો તે નિરાશ્રિત છે. ભગવાન શું કહે છે ? 'જ્યાં સુધી પ્રગટનાં દર્શન કર્યાં નથી ત્યાં સુધી તમે નિરાશ્રિત છો અને પ્રગટનાં દર્શન થાય તો તમે આશ્રિત છો.'
પ્રગટનાં દર્શન થયા પછી બહારના કે અંદરના ગમે તેવા સંજોગો આવે તોય મારું શું થશે એવું ના થાય.
Q. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
A. અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ? પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં... Read More
Q. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
A. પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ? દાદાશ્રી:... Read More
Q. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
A. પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી: દુઃખ શું... Read More
Q. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
A. પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો... Read More
A. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં... Read More
Q. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
A. તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ... Read More
Q. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
A. પ્રશ્નકર્તા: તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી: અભયદાનને તો બધા લોકોએ... Read More
Q. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
A. પ્રશ્નકર્તા: તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ? દાદાશ્રી: અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો... Read More
Q. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
A. ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું... Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે... Read More
Q. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
A. આધિ-વ્યાધિ-ઉપાધિ જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે... Read More
Q. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
A. દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને... Read More
Q. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
A. ભય આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે... Read More
subscribe your email for our latest news and events