અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ?
પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી કંઈ પણ અસર ના થાય એની, તો એ જડતા કહેવાય ?
દાદાશ્રી: અસર ના થાય, એનું નામ જ જ્ઞાન.
પ્રશ્નકર્તા: અને અસર થાય, એને શું કહેવાય ?
દાદાશ્રી: એ બુદ્ધિ કહેવાય. એટલે સંસાર કહેવાય. બુદ્ધિથી ઈમોશ્નલ થાય. પણ ધોળવાનું કશું ય નહીં.
આ અહીં આગળ છે તે, ત્યાંથી બધા આવતા'તા, બોમ્બ નાખવા માટે પાકિસ્તાનથી, તે આપણા લોકો, પેપરમાં વાંચે કે ત્યાં આગળ આમ પડ્યું તો અહીં ગભરામણ થાય. આ બધી જે અસરો કરે છે, એ એમની બુદ્ધિ છે ને બુદ્ધિ જ આ સંસાર ઊભો કરે છે. જ્ઞાન અસરમુક્ત રાખે, પેપર વાંચે, છતાં અસરમુક્ત રહે. અસરમુક્ત એટલે આપણને અડે નહીં. આપણે તો જાણવાનું-જોવાનું જ છે.
આ પેપરને શું કરવાનું ? જાણવાનું અને જોવાનું, બસ ! જાણવાનું એટલે ખુલ્લું જે વિગતવાર લખ્યું હોય, એનું નામ જાણ્યું કહેવાય અને વિગતવાર ના હોય ત્યારે એ જોયું કહેવાય. એમાં કોઈનો દોષ છે નહીં.
Reference: Book Name: ભોગવે એની ભૂલ (Page #11 - Paragraph #4 to #8, Page #12 - Paragraph #1)
આજે ગુનેગાર - લૂંટારુ કે લૂંટાનાર?
આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટનાં બાઈસાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હું ય લૂંટાઈ જઈશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એનાં કરતાં તું તારે સહજમાં ફર્યા કરને ! તારો હિસાબ હશે તો લઈ જશે, નહીં તો કોઈ બાપો ય પૂછનાર નથી. માટે તું નિર્ભય થઈને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડાં ઓછાં પ્રમાણમાં ડાઈવોર્સ થાય છે, એ સારું છે. છતાં, વધારે ડાઈવોર્સ થવા માંડે તો બધાંની શંકાને સ્થાન મળે કે આપણે ય ડાઈવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય, ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપો ય ઉપરી નથી.
લૂંટનારો ભોગવે છે કે લૂંટાયેલો ભોગવે છે ? કોણ ભોગવે છે, તે જોઈ લેવું. બહારવટિયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં ! આગળ પ્રગતિ માંડવાની !
જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાંક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાંક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી ? પોતે એવાં હિસાબ લાવ્યો છે તેથી.
'આ' એક જ શબ્દ ઘેર લખી રાખ્યો હોય ને તો ભોગવતી વખતે જાણજો કે આ ભૂલ કોની ? એટલે આ કેટલાંય ઘરોમાં મોટા અક્ષરે દિવાલો ઉપર લખેલું રાખે છે કે 'ભોગવે એની ભૂલ !' ભૂલાય જ નહીં ને પછી વાત !
આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ વાપરે, યથાર્થ રીતે સમજીને જો વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.
Reference: Book Name: ભોગવે એની ભૂલ (Page #3 - Paragraph #6 , Page #4 - Paragraph #1 to #5)
A. મનુષ્યોનું નિરાશ્રિતપણું આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય. આ મનુષ્યોને તો કોઈનોય આશરો નથી. કોઈનો આશરો લીધો હોય તો...Read More
Q. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
A. પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ? દાદાશ્રી: ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી...Read More
Q. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
A. પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી: દુઃખ શું ? પ્રશ્નકર્તા: શારીરિક વ્યાધિ. દાદાશ્રી: એમાં બીક શું ?...Read More
Q. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
A. પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસકભાવ ભૂલી જાય,' તો એ શું છે ? દાદાશ્રી: હા, વાઘ ભૂલી...Read More
A. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં હોય એવું બિચારો કરે. એમાં આપણે શું લેવા-દેવા ? આપણે ટીકા...Read More
Q. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
A. તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ થઈ જાય.' 'અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં...Read More
Q. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
A. પ્રશ્નકર્તા: તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી: અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે...Read More
Q. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
A. પ્રશ્નકર્તા: તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ? દાદાશ્રી: અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો માણસ ભગવાન થાય ! અત્યારે થોડી ઘણી અહિંસા પાળો છો...Read More
Q. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
A. ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે...Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.'' આમાં આત્માની શંકા આત્મા...Read More
Q. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
A. આધિ-વ્યાધિ-ઉપાધિ જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે !! તે ત્રણ તાપ ક્યા ? આધિ, વ્યાધિ ને ઉપાધિ. પેટમાં...Read More
Q. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
A. દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ? દાદાશ્રી: પણ તમને...Read More
Q. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
A. ભય આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે નોર્માલિટીમાં હોય. તેમને તો ભયના સંયોગ ભેગા થાય ત્યારે જ ભય લાગે....Read More
subscribe your email for our latest news and events