પ્રશ્નકર્તા: તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ?
દાદાશ્રી: અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે શું કે અહીં ચકલાં બેઠાં હોય તો એ ઊડી જશે એમ માનીને આપણે આમ ધીમે રહીને પેલી બાજુથી જતા રહેવું. રાત્રે બાર વાગે આવ્યા હોય અને બે કૂતરાં ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે, એમ માનીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. આપણાથી કોઈ ભડકે, એને માણસાઈ કેમ કહેવાય ? બહાર કૂતરાં ય આપણાથી ના ભડકવાં જોઈએ. આપણે આમ પગ ખખડાવતા ખખડાવતા આવ્યા અને કૂતરું કાન આમ કરીને ઊભું થાય તો આપણે સમજી જવું કે ઓહોહો, અભયદાન ચૂક્યો ! અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. ક્યાંય જોયા અભયદાની પુરુષો ?! અભયદાન તો મોટામાં મોટું દાન છે.
હું બાવીસ વર્ષનો હતો ત્યારે ય કૂતરાંને નહોતો ભડકવા દેતો. અમે નિરંતર અભયદાન જ આપીએ છીએ, બીજું કશું આપતા નથી. અમારા જેવું અભયદાન આપવાનું જો કોઈ શીખી ગયો તો એનું કલ્યાણ થઈ જાય ! ભયનું દાન આપવાની તો લોકોને પ્રેક્ટિસ પહેલેથી છે, નહીં ? 'હું તને જોઈ લઈશ' કહેશે. તો એ અભયદાન કહેવાય કે ભયનું દાન કહેવાય ?!
પ્રશ્નકર્તા: તો આ જીવ બચાવીએ છીએ એ અભયદાન નહીં ?
દાદાશ્રી: એ તો બચાવનારને જબરજસ્ત ગુનો છે. એ તો ખાલી અહંકાર કરે છે. ભગવાને તો એટલું જ કહ્યું હતું કે તમે તમારા આત્માની દયા પાળજો. બસ, એટલું જ કહેલું છે આખા શાસ્ત્રમાં કે ભાવદયા પાળજો. બીજી દયા માટે તમને નથી કહ્યું. અને વગર કામના હાથમાં લેશો તો ગુનો થશે.
A. મનુષ્યોનું નિરાશ્રિતપણું આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય.... Read More
Q. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
A. અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ? પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં... Read More
Q. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
A. પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ? દાદાશ્રી:... Read More
Q. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
A. પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી: દુઃખ શું... Read More
Q. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
A. પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો... Read More
A. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં... Read More
Q. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
A. તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ... Read More
Q. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
A. પ્રશ્નકર્તા: તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ? દાદાશ્રી: અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો... Read More
Q. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
A. ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું... Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે... Read More
Q. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
A. આધિ-વ્યાધિ-ઉપાધિ જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે... Read More
Q. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
A. દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને... Read More
Q. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
A. ભય આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે... Read More
subscribe your email for our latest news and events