પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી અમને જે અનુભવ થાય છે, એમાં કંઈ પ્રેમ, પ્રેમ, પ્રેમ ઊભરાય છે એ શું છે ?
દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. જે રાગથી સંસારના રાગ બધા છૂટી જાય. આવો રાગ ઉત્પન્ન થાય એટલે સંસારમાં જે બીજા રાગ બધે લાગેલા હોય એ બધા પાછા આવી જાય. આને પ્રશસ્ત રાગ કહ્યો ભગવાને. પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એ રાગ બાંધે નહીં. કારણ કે એ રાગમાં સંસાર હેતુ નથી. ઉપકારી પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય, એ પ્રશસ્ત રાગ. એ બધા રાગને છોડાવડાવે.
આ 'દાદા'નું નિદિધ્યાસન કરીએ તો એમનામાં જે ગુણો છે ને, તે ઉત્પન્ન થાય આપણામાં. બીજું એ કે જગતની કોઈ વસ્તુની સ્પૃહા નહીં કરવાની, ભૌતિક ચીજની સ્પૃહા કરવી નહીં. આત્મસુખ જ વાંછવું, બીજું કંઈ વાંછવું જ નહીં અને કોઈ આપણને ગાળ ભાંડી ગયો હોય એની જોડેય પ્રેમ ! એટલું હોય કે કામ થઈ ગયું પછી.
Q. સાચા પ્રેમની વ્યાખ્યા શું છે?
A. દાદાશ્રી : વોટ ઈઝ ધ ડેફિનેશન ઓફ લવ ? પ્રશ્નકર્તા : મને ખબર નથી. એ સમજાવો. દાદાશ્રી : અરે, હું જ... Read More
Q. પ્રેમ અને આસકિત વચ્ચે શું તફાવત છે?
A. પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો ને ! દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ... Read More
Q. આસકિત પાછળનું વિજ્ઞાન શું છે?
A. એ કોના જેવું છે ? આ લોહચુંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને લોહચુંબક આમ આમ કરીએ તો ટાંકણી... Read More
Q. સાચા પ્રેમ અને ઈમોશન (લાગણી) વચ્ચે શું તફાવત છે?
A. પ્રશ્નકર્તા : આ પ્રેમ સ્વરૂપ જે છે એ પણ કહેવાય છે કે હૃદયમાંથી આવે છે અને ઈમોશનલપણું પણ હૃદયમાંથી જ... Read More
A. આ કાળમાં આવા પ્રેમનાં દર્શન હજારોને પરમાત્મ પ્રેમ સ્વરૂપ શ્રી દાદા ભગવાનમાં થયાં. એક વખત જે કોઈ... Read More
Q. શુદ્ધ પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય?
A. એટલે જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. આપણને ના આવડે, બોલતાંય ના આવડે તોય એ પ્રેમ... Read More
Q. પ્રેમસ્વરૂપ કેવી રીતે થવું?
A. ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, પછી અનુભવે તો એને પ્રેમસ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ શું છે ? કે કોઈ... Read More
Q. શુદ્ધ પ્રેમ કેવી રીતે ખીલવવો? પ્રેમની મૂર્તિ કેવી રીતે બનવું?
A. હવે જેટલો ભેદ જાય, તેટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમને ઉત્પન્ન થવા માટે શું જવું જોઈએ... Read More
Q. પરમાત્મ પ્રેમ એટલે શું? આવો પ્રેમ ક્યાં શોધવો?
A. આ પ્રેમ તો ઈશ્વરીય પ્રેમ છે. એવું બધે હોય નહીં ને ! આ તો કોઈક જગ્યાએ આવું હોય તો બને, નહીં તો બને... Read More
A. પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો. દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ... Read More
subscribe your email for our latest news and events