Related Questions

શું આત્માની મુક્તિ ખરેખર થાય છે? કોણ મોક્ષ પ્રાપ્ત કરે છે?

ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છૂટકારો. આ જે બંધાયેલો છે તે જ મુક્ત થાય છે. હવે, તે દેહ છે કે આત્મા, જે બંધાયેલો છે? કેદ કોણ ભોગવે છે, કેદી કે કેદ? તેથી આ દેહ એ કેદ જેવું છે અને તેની અંદર જે રહેલો છે, તે બંધાયેલો છે. આત્મા દેહની અંદર રહેલો છે, તો પછી તેનો અર્થ એવો થાય છે કે આત્મા બંધાયેલો છે? ના.

પરમ પૂજ્ય દાદાશ્રી આ બાબતે શું કહે છે તે વિષે વધુ વાંચો અહી. 

પ્રશ્નકર્તા : દેહના બંધનોને કારણે શું આત્માને ભવોભવ ભટકવું પડે છે? 

દાદાશ્રી : પોતાની જાતને કોઇ વળગણ નથી. આ બધો અહંકારનો ડખો છે. જ્યાં અહંકાર છે, ત્યાં પોતે નથી, અને જ્યાં પોતે છે ત્યાં અહંકાર નથી.  

પ્રશ્નકર્તા : પરંતુ મુક્તિ તો પોતાને જ મળે છે, ખરું ને? 

દાદાશ્રી : પોતે હંમેશા મોક્ષમાં (મુક્ત) જ છે. તેને કોઇ પણ પ્રકારનું દુ:ખ છે જ નહિ. જેને પીડા અને દુ:ખ થાય છે તેને જ મુક્ત થવાની જરૂર છે, પોતે ક્યારેય બંધનમાં આવ્યો જ નથી; પોતે હંમેશા મુક્ત જ છે. પોતાની જાતની અજ્ઞાનતાને કારણે તે એવું માને છે કે, ‘ હું બંધાયેલો છું’ અને જ્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે ‘હું મુક્ત છું’, પછી તે મુક્ત થાય છે. ખરેખર તો , તે બંધાયેલો નથી, માત્ર તેની માન્યતા જ છે.  

“ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા ‘પરમેનન્ટ’ વસ્તુ છે. આ જન્મ-મરણ ‘ઈગોઈઝમ’નાં છે.”
-પરમ પૂજ્ય દાદા ભગવાન  

શું તમે અહંકારની પાછળનું સાચું વિજ્ઞાન જાણો છો? 

વૈજ્ઞાનિક રીતે, જ્યારે બે જૂદા જૂદા તત્વો ભેગા થાય છે, ત્યારે ત્રીજું તત્વ ઊભું થાય છે. જ્યારે જડ તત્વ અને આત્મા ભેગા થાય છે ત્યારે આ રીતે અહંકાર ઊભો થાય છે. 

અહંકાર શું છે? 

અહંકાર એટલે ‘હું’. તે ‘હું છું’નું અસ્તિત્વ સૂચવે છે. દરેક જીવ “હું છું”ના તેઓના પોતાના અસ્તિત્વને જાણતા હોય છે. જો કે, તેઓ એ જાણતા નથી , “ હું કોણ છું”. તેથી આપણે બધા આપણા દેહને અથવા દેહને જે નામ આપેલ છે તેને આપણી ઓળખ માનીએ છીએ. દાખલા તરીકે, કોઇ એમ કહે છે, ‘હું ચંદુભાઇ છું’ , પરંતુ તે તો શરીરને ઓળખવા માટે આપેલું નામ છે. તમે ‘ચંદુભાઇ’ નથી અને છતાં તમે એવું માનો છો કે તમે ‘ચંદુભાઇ’ છો. 

ખરેખર જે તમે નથી તેને માનવું કે તમે છો તેને અહંકાર કહેવાય છે. “હું આ શરીર છું”, “હું એક એન્જિનિઅર છું”, “હું તેનો પતિ છું”, “હું આ ઉંમરનો છું”, “હું સાચો છું” વગેરે અહંકારના પ્રકારો છે. 

તે અહંકાર છે, જે ખોટી માન્યતાઓથી ઊભો થયેલો છે, તેનાથી કર્મ બંધાય છે (કોઇ પણ ક્રિયા માટે એવી કર્તાપણાની દ્રઢ માન્યતાને કારણે કર્મ બંધાય છે કે જેના કારણે તેની અસરોનું ચક્ર એક ભવ પછી બીજો ભવ એમ ચાલ્યા રાખે છે). જે કર્મનું ફળ ભોગવે છે તે પણ અહંકાર જ છે. જ્યારે આ અહંકાર જાય છે, ત્યારે તમે તમારી મૂળ જગ્યાએ પાછા આવો છો, આત્મામાં, જ્યાં કોઇ બંધનો નથી. 

જ્યારે કોઇ પરિસ્થિતિ જાતને વળગી ન શકે કે ચોંટી ન શકે, ત્યારે એક પણ કર્મ વળગતું નથી. મુક્ત થયેલ આત્મા માટે કોઇ કર્મો રહેતા નથી અને તે માત્ર સિધ્ધક્ષેત્રમાં ( સંપૂર્ણપણે મુક્ત થયેલ આત્મા કાયમી જ્યાં રહે છે ) જ જોવા મળે છે. 

અહંકારથી ઝડપથી અને સહેલાઇથી છૂટકારો મેળવવા માટે જ્ઞાની પુરૂષની કૃપાથી આત્મ-જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. આ જ્ઞાનથી તમારો અહંકાર નષ્ટ થશે. 

×
Share on